આપણે આપણા બાળકોને એક સારી ઝીંદગી આપવા માંગીએ છીએ. રમકડા, ચોપડીઓ, દફતર, પારંપરિક પોશાકો, સાઇકલ, અવનવા સાધનો અને ઉપકરણો - આવી કોઈ પણ વસ્તુઓથી તેઓ વંચિત ના રહે તેનું ધ્યાન રાખીએ છીએ. આપણે તેવી કોઈ વસ્તુઓ આપવામાં જરાપણ અચકાતા નથી કે જેનાથી તેમની કલ્પનાઓને આકાર મળે - રંગીન પેનો અને પેન્સિલો, કાગળ, કલર, ચમક વાળા પદાર્થો, ગુંદર વગેરે વગેરે.
આપનો હેતુ સારો હોય છે, પણ ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ કે કદાચ આપણે આપણા બાળકોને આ રીતે સારા પ્રમાણમાં કચરો નીપજાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. કાગળનો એક વખત ઉપયોગ કાર્ય પછી તે કચરાપેટીમાં જાય છે, પ્લાસ્ટિકના રમકડાઓ થોડે વાર (અથવા થોડા દિવસ) રમ્યા પછી કચરાપેટીમાં જાય છે, કલર પેન્સિલ અને બીજા બધા કલરની વસ્તુઓ થોડા બપોરની પ્રક્રિયાઓ પછી કચરાપેટીમાં જાય છે. શા માટે આપણે તેમને વારંવાર યાદ નથી આપવતા કે અસ્ત વ્યસ્ત ઢગલો પોતાની વાંચવાની જગ્યા પરથી સાફ કરે, રૂમને સાફ રાખે. આ એક સારી આદત છે જે શરૂઆતથીજ તેમનામાં કેળવવાની જરૂર છે. પણ પહેલા આટલું બધું આસ્ત વ્યસ્ત ઢગલો કરવો અને પછી કચરાપેટીમાં ઠાલવી દેવાનું નામ સફાઈ? આપણે સફાઈ કરી રહ્યા છીએ કે પછી વાતાવરણ / પર્યાવરણમાં ગંદવાડ ઠાલવી રહ્યા છીએ?
આ સાચો સમય છે કે આપણે આપણા બાળકોને વસ્તુઓનો ફરી વખત ઉપયોગ કરવો, સાચી રીતે નિકાલ કરવો, ઓછી ખરીદી કરવી કે જેથી ઓછો કચરો થાય. કોઈ પણ વસ્તુ નો ફરીથી ઉપયોગ કરવો એક સારે રમત પણ થઇ શકે છે અને અંતે કશું સારું કર્યાનો અનુભવ પણ.
ઉદાહરણ તરીકે - લખવાની પાટી અને ચોક : અમે નાનપણમાં પાટી અને ચોકથી ભણ્યા હતા. આજ વસ્તુ મેં મારી દિકરી સાથે કરે. આમ થવાથી તે કાગળ, જાત જાતના કલર અને પેન્સિલનો બગાડ ઓછો કરતી થઇ. વળી આમ કરવાથી અમને બંનેને ખુબજ મજા પણ આવા માંડી.
આવી જ રીતે, દર વખતે નવા નવા કપડા લાવવા કરતા તેમને ફરીથી સારી પ્રિન્ટ કરવું એ પણ સારી બાબત બની શકે છે.
વિચારીએ તો આવા ઘણા પ્રયોગો થઇ શકે છે જેનાથી આપણે આપણા પર્યાવરણમાં ઓછો કચરો ઠલવાય અને બાળકોમાં સારી આદત અને સમાજ ઉભી થાય.
Monday, October 24, 2011
Saturday, October 22, 2011
આધ્યાત્મિકતા - એટલે શું?
આશા છે કે આપ સહુ અત્યારે દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હશો અને દિવાળીની રજાઓ માણતા હશો. અને અમુક લોકો મારી જેમ થોડા ઘણા બ્લોગ લખવામાં વ્યસ્ત હશે :)
મેં જે કઈ પણ અધ્યાત્મ વિષે વાંચ્યું છે તે બધું ભૂલી ને આજે આ બ્લોગ લખી રહ્યો છું. અહી મેં ભરપુર પ્રયત્ન કર્યો છે કે આ લેખ લખતી વખતે મારા પર કોઈ બાહ્ય પ્રભાવ ના હોય. આ વિચારો મારા અનુભવો અને મારા રોજીંદા અભ્યાસ ઉપરથી છે.
આધ્યાત્મ વિષે આપના સમાજમાં ઘણા ગુરુઓએ લખ્યું છે અને કહ્યું છે. મારો અધ્યાત્મ સાથેનો પરિચય બહુ જુનો નથી. મને થોડા વર્ષો પહેલાજ કોઈકે કહેલું કે "જેને નરક માં જવાની બીક હોય તેના માટે ધર્મ છે અને જે લોકો પહેલાથી ત્યાં છે તેમના માટે અધ્યાત્મ છે." હું કદાચ ૩૦ કે ૩૧ વર્ષ નો હતો ત્યારે. મેં આ વાક્યનો ઘણી વખત ઉપયોગ કર્યો પણ ક્યારેય એને સમઝવાની કોશિશ નહોતી કરી કે આનો હકીકતમાં અર્થ શું થાય. પાછલા થોડા મહિનાઓની અજંપાભરી અને અશાંત સમય પછી હું આ વિષય વિષે વિચારતો થયો. વળી, આજકાલ તો આ કરોડોનો ધંધો છે.
મેં જે કઈ પણ અધ્યાત્મ વિષે વાંચ્યું છે તે બધું ભૂલી ને આજે આ બ્લોગ લખી રહ્યો છું. અહી મેં ભરપુર પ્રયત્ન કર્યો છે કે આ લેખ લખતી વખતે મારા પર કોઈ બાહ્ય પ્રભાવ ના હોય. આ વિચારો મારા અનુભવો અને મારા રોજીંદા અભ્યાસ ઉપરથી છે.
આધ્યાત્મ વિષે આપના સમાજમાં ઘણા ગુરુઓએ લખ્યું છે અને કહ્યું છે. મારો અધ્યાત્મ સાથેનો પરિચય બહુ જુનો નથી. મને થોડા વર્ષો પહેલાજ કોઈકે કહેલું કે "જેને નરક માં જવાની બીક હોય તેના માટે ધર્મ છે અને જે લોકો પહેલાથી ત્યાં છે તેમના માટે અધ્યાત્મ છે." હું કદાચ ૩૦ કે ૩૧ વર્ષ નો હતો ત્યારે. મેં આ વાક્યનો ઘણી વખત ઉપયોગ કર્યો પણ ક્યારેય એને સમઝવાની કોશિશ નહોતી કરી કે આનો હકીકતમાં અર્થ શું થાય. પાછલા થોડા મહિનાઓની અજંપાભરી અને અશાંત સમય પછી હું આ વિષય વિષે વિચારતો થયો. વળી, આજકાલ તો આ કરોડોનો ધંધો છે.
થોડા સવાલ વાંચકો માટે :
- શું યોગા કરવું એ અધ્યાત્મ છે?
- શું ધ્યાન કરવું એ અધ્યાત્મ છે?
- શું પ્રાણાયામ કરવું એ અધ્યાત્મ છે?
- શું કોઈ આધ્યત્મિક ગુરુને અનુસરવું એ અધ્યાત્મ છે?
- શું અધાર્મિક કે નાસ્તિક થવું અધ્યાત્મ છે?
- શું વિપશ્યના અધ્યાત્મ છે?
મારા મુજબ તો આમાંથી કશું પણ અધ્યાત્મ નથી. આજકાલ યોગા, ધ્યાન, પ્રાણાયામ, વિપશ્યના, વગેરે તો એક જાતનો ધંધો બની ગયો છે. આજકાલ તો યોગા જેવા નામોથી તો કપડા અને જાત જાતની વસ્તુઓ વેચાય છે.
મારા માટે, અધ્યાત્મ એ બીજું કશું નહિ પણ પોતાની જાતને ઓળખવી. એટલે કે હું શું છું નું ભાન થવું. પોતાની જાતને ખૂબજ ધ્યાનથી અવલોકન કરવું અને પોતાના વ્યક્તિત્વ પ્રત્યે થોડી સમઝ ઉભી કરવી. આનાથી આપના દિમાગ અને દિલ વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે. આનાથી આપના શારીરિક અને માનસિક મૂળતત્વો વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે.
અને આથીજ, ભગવાનને ઓળખવા પહેલા પોતાની જાતને ઓળખવું ખુબજ જરૂરી છે.
- શું યોગા કરવું એ અધ્યાત્મ છે?
- શું ધ્યાન કરવું એ અધ્યાત્મ છે?
- શું પ્રાણાયામ કરવું એ અધ્યાત્મ છે?
- શું કોઈ આધ્યત્મિક ગુરુને અનુસરવું એ અધ્યાત્મ છે?
- શું અધાર્મિક કે નાસ્તિક થવું અધ્યાત્મ છે?
- શું વિપશ્યના અધ્યાત્મ છે?
મારા મુજબ તો આમાંથી કશું પણ અધ્યાત્મ નથી. આજકાલ યોગા, ધ્યાન, પ્રાણાયામ, વિપશ્યના, વગેરે તો એક જાતનો ધંધો બની ગયો છે. આજકાલ તો યોગા જેવા નામોથી તો કપડા અને જાત જાતની વસ્તુઓ વેચાય છે.
મારા માટે, અધ્યાત્મ એ બીજું કશું નહિ પણ પોતાની જાતને ઓળખવી. એટલે કે હું શું છું નું ભાન થવું. પોતાની જાતને ખૂબજ ધ્યાનથી અવલોકન કરવું અને પોતાના વ્યક્તિત્વ પ્રત્યે થોડી સમઝ ઉભી કરવી. આનાથી આપના દિમાગ અને દિલ વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે. આનાથી આપના શારીરિક અને માનસિક મૂળતત્વો વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે.
અને આથીજ, ભગવાનને ઓળખવા પહેલા પોતાની જાતને ઓળખવું ખુબજ જરૂરી છે.
Thursday, October 20, 2011
મેરા ભારત મહાન
મેં ઘણા લોકોને આપણી સરકાર, દેશ અને ભ્રષ્ટાચાર વિષે ફરિયાદ કરતા સાંભળ્યા છે. TVમાં પણ ફક્ત આ જ વિષય છે. આજે દુનિયાના ઘણા દેશોમાં કામ કર્યું છે. ઘણા દેશોમાં લોકોને સાંભળ્યા છે, જોયું છે અને તેમની સાથે રહીને થોડું ઘણું પણ અનુભવ્યું છે. મારા મતે, આપણી સરકાર થોડું સારું કામ પણ કરી રહી છે.
શિક્ષા અભિયાન અને નિયમો :
થોડા વર્ષો પહેલા ૫મા ધોરણ સુધે અભ્યાસ મફત અને ફરજીયાત હતું જે આજે ૮મા ધોરણ સુધી છે. વળી, બધા વિદ્યાર્થીઓને મધ્યન ભોજન મળે છે, જે ઘણા લોકો મતે ખુબજ મહત્વનું છે. વાલીઓને પ્રોત્સાહન પણ આપાય છે. લોકો સાથે વાત કરતા લગભાગ બધા આ બાબતથી ખુશ હતા.
સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાદળી કલરના પોશાક પહેરે છે જે આજે દેશમાં લગભાગ દરેક ગામડા અને શહેરોમાં જોવા મળે છે. મને યાદ છે કે મેં જયારે એક ગામડામાં એક શાળાને મુલાકાત લીધી હતી ત્યારે દરેક વિદ્યાર્થી સવારે પ્રાર્થના સભામાં એક લયમાં માં સરસ્વતીની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ પોતપોતાના ક્લાસરૂમમાં શિસ્તતા પૂર્વક જતા રહ્યા. કલાસરૂમમાં નકશા અને ભારતના મહાન પુરુષોના ફોટા હતા. શિક્ષકો કરતા શિક્ષિકાઓની સંખ્યા વધુ હતી. આચાર્યશ્રીના રૂમમાં થોડા ઘણા પુસ્તકો પણ હતા. બધા બાળકોના ચહેરા પર સ્મિત દેખાતું હતું.
કોલેજનું ભણતર પણ આજે સારું અને સસ્તું છે. આજે મોટાભાગની કોલેજોમાં ફી લગભગ ૩૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા વાર્ષિક હોય છે. સારી કોલેજમાં અને સારા અભ્યાસ માંટે અંદાજે ૫૦,૦૦૦ રૂપિયા જેવી ફી હોય છે. તદુપરાંત, સ્ત્રીઓ માંટે ઘણી શાળામાં ફીમાં રાહત આપાય છે.
જમીન માલિકી :આજે કોઈ પણ વ્યક્તિ ૧૮ હેક્તેર જેટલી જમીનની માલિકી ધરાવી શકે છે. કાયદા મુજબ તેથી વધુ જમીન કોઈ પણ વ્યક્તિ લઇ શકે નહિ. હા, કોઈ સહકારી પરિવાર ગમે તેટલી જમીન ધરાવી શકે છે. જોકે આ બાબતમાં ઘણી જગ્યાએ ખામીઓ દેખાય છે પણ આજે આને લગતા નીતિ નિયમો અમલમાં છે અને તેનું પાલન પણ સારી રીતે થાય છે અથવા થવા લાગ્યું છે
હવેલીથી હોટેલ સુધી : જૂની હવેલીઓ જે જર્જરિત અવસ્થામાં હતી તેના પુનઃનિર્માણ અથવા સમારકામ માંટે પણ સરકાર ઘણા પ્રયાસ કરી રહી છે. હવેલીના માલિકોને તેને હોટેલમાં પરિવર્તિત કરવા માંટે પ્રોત્સાહન અને નાણાકીય સહાય પણ આપે છે. આમ કરવાથી તે જૂની જર્જરિત હવેલીઓ આજે એક સુંદર હવેલી જેવી લાગે છે. અને, આનાથી પ્રવાસીઓ પણ આકર્ષાય છે.
ગામડાઓમાં સરકારી કર્યો : પરિવારના એક વ્યક્તિને વર્ષ દરમિયાન ૧૦૦ દિવસ જેટલું કામ મળી રહે તેવી યોજનાઓ પણ અમલમાં છે. લોકો મુજબ આ યોજનાઓથી ગામડામાં પરિવર્તન આવી રહ્યું છે, લોકોને ગરીબી રેખાથી ઉપર આવવામાં મદદ મળી રહી છે. હા, ઘણી વખત એવો પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે આ યોજનાનો લાભ કેટલા લોકો સુધે પહોચે છે અને તે કાર્યની ગુણવત્તા કેવી છે.
મને ઘણી વખત ગામડાઓમાં એવા અનુભવો થયા છે કે બહારથી દેખાતા ગરીબ જેવા ઘરમાં જયારે મુલાકાત લેવામાં આવે છે ત્યારે તે ઘર અંદરથી સારું લાગે છે અને તે પરિવાર થોડું સદ્ધર હોય છે.
હકારાત્મક કાર્ય :
આજે સરકારે ગરીબ અને પછાત લોકોના ઉત્થાન માંટે ઘણા હકારાત્મક કર્યો કર્યા છે. તેમના માંટે વિવિધ શિક્ષા અભિયાનો, ઉચ્ચા અભ્યાસ માંટે સહાય, નૌકરી મેળવવામાં મદદ અને સમાજમાં સમાન દરજ્જો મેળવવામાં સહાયક યોજનાઓ અને નિયમો.
તેમ છતાં, આપના સમાજમાં જ્ઞાતિ પ્રથા હજુ પણ ચાલે છે. તે પ્રથા દૂર થઇ રહે છે પણ ખુબજ ધીમી ગતિએ. પણ મને સંતોષ છે કે સરકાર તે પ્રત્યે પ્રયત્ન કરી રહી છે.
નોંધ : અહી સરકાર થી મારો મતલબ કોઈ રાજકીય પક્ષ નથી.
હકારાત્મક કાર્ય :
આજે સરકારે ગરીબ અને પછાત લોકોના ઉત્થાન માંટે ઘણા હકારાત્મક કર્યો કર્યા છે. તેમના માંટે વિવિધ શિક્ષા અભિયાનો, ઉચ્ચા અભ્યાસ માંટે સહાય, નૌકરી મેળવવામાં મદદ અને સમાજમાં સમાન દરજ્જો મેળવવામાં સહાયક યોજનાઓ અને નિયમો.
તેમ છતાં, આપના સમાજમાં જ્ઞાતિ પ્રથા હજુ પણ ચાલે છે. તે પ્રથા દૂર થઇ રહે છે પણ ખુબજ ધીમી ગતિએ. પણ મને સંતોષ છે કે સરકાર તે પ્રત્યે પ્રયત્ન કરી રહી છે.
નોંધ : અહી સરકાર થી મારો મતલબ કોઈ રાજકીય પક્ષ નથી.
શિક્ષા - ઉપકાર
હું, ભારતના એક સારા નાગરિક તરીકે દર વર્ષે ૩ વખત આવક વેરો સમયસર ભરું છું. આવક વેરો કે જેમાં શિક્ષા - ઉપકાર પણ શામેલ છે. યુનિયન સરકારએ સ્વાસ્થ્ય વીમા યોજના જાહેર કરી છે કે જેમાં દરેકને મૂળભૂત પ્રાથમિક આરોગ્ય જરૂરિયાત મળી રહે. આયોજન આયોગના નિષ્ણાતોએ હજુ આ બાબતમાં સરકારને પૈસા ક્યાંથી આવશે તે વિષે સલાહ નથી આપી પણ ૧% નો પણ ઉપકાર લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે લાવી શકે છે. આ વાતથી એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે શિક્ષા ઉપકાર વિષે. અંદાજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે કઈ રીતે ખરચવા માં આવે છે. હું આ ઉપકાર કે જેનો સામાજિક યોજનાઓ ઉપર ખરચવામાં આવે છે તેનો વિરોધી નથી પણ આ ખરચને ખરચવા માટે કઈ રીતે નિયંત્રણ / દેખરેખ દ્વારા ખરચવામાં આવે છે. કે પછી આ પણ ભ્રષ્ટાચારનો ભોગ બને છે.
આ આવક વેરા ઉપર નો શિક્ષા ઉપકારના બે ભાગ છે. - પ્રાથમિક શિક્ષા અને ઉચ્ચ શિક્ષા. ૨૦૦૫માં સરકારે પ્રાથમિક શિક્ષા ઉપકાર શરુ કર્યું અને આ પૈસા પ્રમ્ભિક શિક્ષા કોશ માં જમા થાય છે. જેમાંથી સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાન ભોજન જેવી યોજનાઓ ચાલવામાં આવે છે.
૨૦૦૭માં સરકારે ઉચ્ચ શિક્ષા ઉપકારની શરૂઆત કરી અને તે પૈસાથી દેશના ઉચ્ચ શિક્ષાના વિકાસ માટે ખરચવાનું આયોજન હતું. આ આયોજનમાં National Higher Education Finance Corporation - NHEFCની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષા માટે ઉચ્ચ શિક્ષા સંસ્થાઓને નાણાં ઉછીના આપવા. આ પ્રસ્તાવને ૪ વર્ષ થયા. આયોજન મંડળે આ બાબતની ભલામણ સરકારને કરી દીધી છે. એવું લાગે છે કે સરકાર હજુ પણ આ બાબત માં વિચાર કરે છે અને ભારતના દરેક નાગરિકો પાસેથી ઉપકાર હેઠળ નાણાં ઉઘરાવ્યા કરે છે.
આપને સરકારના ભંડોળ ઉપર આનીયંત્રણ વિષે સારી રીતે માહિતગાર છીએ. આખરે આપણને આઝાદી મળ્યે ૬૦ વર્ષથી ઉપર થયા અને સરકારને જોતા પણ ૬૦ વર્ષોથી ઉપર થયા. સૈધાંતિક રીતે આ શિક્ષા કર બરોબર હશે અને આ એક સારી વાત પણ છે, પરંતુ, હકીકતમાં અમલીકરણ દર્શાવે છે કે કરચુકવવાવાળા લોકોના નાણાં વેડફવામાં આવે છે.
આથી, સરકારે આરોગ્ય વીમા યોજના શરુ કરવા પહેલા સરકારે ખાતરી કરવી અને સુનિશ્ચિત કરવું કે આવકવેરો ભરનારા લોકોના નાણાં વેડફાય નહિ.
આ આવક વેરા ઉપર નો શિક્ષા ઉપકારના બે ભાગ છે. - પ્રાથમિક શિક્ષા અને ઉચ્ચ શિક્ષા. ૨૦૦૫માં સરકારે પ્રાથમિક શિક્ષા ઉપકાર શરુ કર્યું અને આ પૈસા પ્રમ્ભિક શિક્ષા કોશ માં જમા થાય છે. જેમાંથી સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાન ભોજન જેવી યોજનાઓ ચાલવામાં આવે છે.
૨૦૦૭માં સરકારે ઉચ્ચ શિક્ષા ઉપકારની શરૂઆત કરી અને તે પૈસાથી દેશના ઉચ્ચ શિક્ષાના વિકાસ માટે ખરચવાનું આયોજન હતું. આ આયોજનમાં National Higher Education Finance Corporation - NHEFCની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષા માટે ઉચ્ચ શિક્ષા સંસ્થાઓને નાણાં ઉછીના આપવા. આ પ્રસ્તાવને ૪ વર્ષ થયા. આયોજન મંડળે આ બાબતની ભલામણ સરકારને કરી દીધી છે. એવું લાગે છે કે સરકાર હજુ પણ આ બાબત માં વિચાર કરે છે અને ભારતના દરેક નાગરિકો પાસેથી ઉપકાર હેઠળ નાણાં ઉઘરાવ્યા કરે છે.
આપને સરકારના ભંડોળ ઉપર આનીયંત્રણ વિષે સારી રીતે માહિતગાર છીએ. આખરે આપણને આઝાદી મળ્યે ૬૦ વર્ષથી ઉપર થયા અને સરકારને જોતા પણ ૬૦ વર્ષોથી ઉપર થયા. સૈધાંતિક રીતે આ શિક્ષા કર બરોબર હશે અને આ એક સારી વાત પણ છે, પરંતુ, હકીકતમાં અમલીકરણ દર્શાવે છે કે કરચુકવવાવાળા લોકોના નાણાં વેડફવામાં આવે છે.
આથી, સરકારે આરોગ્ય વીમા યોજના શરુ કરવા પહેલા સરકારે ખાતરી કરવી અને સુનિશ્ચિત કરવું કે આવકવેરો ભરનારા લોકોના નાણાં વેડફાય નહિ.
શિક્ષાનો અધિકાર - ભારતના પ્રધાનમંત્રીનો દરેક શાળાના આચાર્યશ્રીને પત્ર
આજે જયારે સાક્ષરતા હજુ પણ એક સ્વપ્ન જ છે, બાળકોના શિક્ષાનો અધિકાર (Right to education - RTE) પ્રાથમિક અગત્યતા છે. આ વિષે જાગૃતિ લાવવા અને ભણતરના પ્રોત્સાહન માટે, ભારત ના પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહે ભારત ના ૧૩ લાખ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને એક પત્ર લખ્યો છે અને ભલામણ કરી છે કે ૧૧ નોવેમ્બર - ભણતર દિવસના રોજ સવારના દરેક વિદ્યાર્થીઓને વાંચી સંભળાવવું. આ પત્ર દ્વારા ૧૧ નોવેમ્બરથી શરુ થતી એક વર્ષની RTE ઝુંબેશ શરુ થયાની નોંધ લેવામાં આવી છે.
પ્રધાનમંત્રીશ્રીના આ અંગત પત્ર દ્વારા પાઠવેલ સંદેશ, કે જેને સમગ્ર ભારતને આવરી લેવા માટે ૧૪ ભાષામાં અનુવાદિત કરેલ છે - તેનો હેતુ બાળકો, વાલીઓ અને ૬૦ લાખ શિક્ષકોને પ્રોત્સાહિત કરવું અને RTEના ઉદ્દેશ્ય તરફ વધુ પ્રયત્ન કરવા માટેનો છે.
શિક્ષાનો અધિકાર (RTE) સામાજિક જાગૃતિ લાવવા માટે એક અલગ પ્રકારની ઝુંબેશ છે કે જેમાં ૨ લાખથી વધુ સ્વયંસેવકો અને હજારો સામાજિક સંસ્થાઓ સાથે મળીને ઘરે ઘરે જઈને જાગૃતિ લાવવા પ્રયત્ન કરશે.
પ્રધાનમંત્રીશ્રીના આ ઝુંબેશમાં શામેલ થવાથી આ ઝુંબેશ અગત્યની બની ગયી છે.
Saturday, October 15, 2011
શું સવારે વહેલા ઉઠવું જરૂરી છે?
Googleમાં સવારે વહેલા ઉઠવાના કારણ શોધવાથી ૧,૫૦૦,૦૦૦ કારણો મળશે. Amazone પાસે આ વિષે ૬૬૯૯ ચોપડીઓ છે. અનેક વ્યક્તિત્વ વિકાસ વિષે લખવા વાળા લેખકોએ અને ગુરુઓએ સવારે વહેલા ઉઠવાના ફાયદાઓ વિષે અનેકગણી ચોપડીઓ અને લેખો લખ્યા છે. થોડા સમય પહલા જ મેં આ બધા કારણોની યાદી બનવાનો પ્રયત્ન કર્યો ત્યારે યાદીમાં ૧૦,૦૦૦ થી વધુ કારણો થઇ ગયા. ત્યારે મને થયું કે કદાચ ખરેખર જરૂરી છે સવારે વહેલા ઉઠવું.
એક ચોખવટ કરી દઉં કે મને સવારે વહેલા ઉઠવામાં કોઈ જ રસ નથી. સામાન્ય રીતે મારે ઓફીસ સવારે ૭ થી ૭.૩૦ ની વચ્ચે પહોચી જવું પડે છે પણ જયારે ઘરે રજા હોય ત્યારે નીંદર ખુલે ત્યારે ઊઠવાનું ગમે. કોઈ જાતની અલર્મ ના જોઈએ કે ના જોઈએ સવારે વહેલા ઉઠવાનો વિચાર. શા માટે મારે સવારે વહેલા ઉઠવું અને મારે શું સાબિત કરવું છે?
તેથી, આ મારા નીચે મુજબ ના કારણો છે કે શા માટે મારે મોડે સુધી સુઈ રહેવું અને ખરાબ ના લગાડવું જયારે સવારે વહેલા ઉઠવાના કારણો સભર વ્યાખ્યાન, લેખો અને વ્યક્તિઓ વહેલા ઉઠવાના વખાણ કરતા હોય છે.
તેથી, આ મારા નીચે મુજબ ના કારણો છે કે શા માટે મારે મોડે સુધી સુઈ રહેવું અને ખરાબ ના લગાડવું જયારે સવારે વહેલા ઉઠવાના કારણો સભર વ્યાખ્યાન, લેખો અને વ્યક્તિઓ વહેલા ઉઠવાના વખાણ કરતા હોય છે.
શા માટે મોડે સુધી સુતા રહેવું?
૧. સવારે વહેલા ઉઠવું એ પ્રાક્રતીક અથવા કુદરતી નથી. આ કદાચ ઘણા વર્ષો પહેલા જયારે સૂર્ય-પ્રકાશ જ એક માત્ર પ્રકાશનો સ્ત્રોત હતો અને એ સમયે જ તમે ઘણા ખરા કર્યો કરી શકતા હતા. તેથી સવારે વહેલા ઉઠવાની જરૂર દિવસના પ્રકાશ દરમ્યાન કર્યો પૂરા કરવાની જરૂરિયાત ના કરને હતી. આવી જરૂરિયાત આજે નથી - જ્યાં વીજળી હોય છે. (જો તમે આ વાંચો છો તો તમારે ત્યાં વીજળી છે.)
૨. એ ખોટી વાત છે કે જો તમે સવારે વહેલા ઉઠો તો સમયની બચત થાય છે. દિવસના ૨૪ કલાક હોય છે અને તમે ૬ થી ૮ કલાક સુતા હો તો તમારી પાસે ૧૬ થી ૧૮ કલાક બચે જે એ બધા કર્યો કરવા માટે - આ બાબત ને તમે ક્યારે સુવો છો અને ક્યારે ઉઠો છો સાથે કોઈ જ નિસ્બત નથી.
૩. જો તમે સવારે વહેલા ઉઠો તો તમને રાત્રે વહેલા સુવાની જરૂર પડશે. જો વહેલા સુઈ જશો તો તમે એ તમામ રોમાંચી અને રસપ્રદ વસ્તુઓ જે મોડે રાત્રી સુધી થતી હોય છે. સામાન્ય રીતે લોકો રાત્રે ૮ વાગ્યા સુધી દિનચર્યાથી નવરા થતા હોય છે અને તરત જ સુવા જતા રહે છે. એ લોકો પાસે પોતાના માટે ફક્ત ૧ અથવા ૨ કલાક જ હોય છે. અને આ સમય દરમ્યાન ખરેખર કશું રસપ્રદ અને અર્થપૂર્ણ કરવું શક્ય નથી. પણ જો તમારી પાસે રાત્રે ૯ વાગ્યા પછી ૩ -૪ કલાક નો સમય હોય તો કશું સારી રીતે કરી શકો. જેમકે ચોપડી વાંચવી, ફિલ્લમ જોવી, કાર્ય કરવું, કે પછી મિત્રો અથવા પરિવાર સાથે ફક્ત વાતો કરવી.
૪. મોડે સુધી કાર્ય કરવું અને પછી ઘસઘસાટ નીંદર કરવી એ એક આલ્હાદક લાગણી છે. એક દમ સારી નીંદર અને શાંત નીંદર.
૫. રાત્રે ૩ - ૪ વાગે બારી ખોલીને બહારની ઝડપની ઝીંદગી જુવો. આખું શહેર ઝાંખી પીડા પ્રકાશમાં નહાઈ રહ્યું છે - તમામ લોકો નિંદ્રાધીન છે. પેલો ઘોંઘાટયો પાડોશી પણ. આવા સમય માં હું કોઈ પણ અનુભવ ગુમાવીશ નહિ.
૬. ઘણી વખત મેં મોડે રાત્રીના સમયે સારું ભોજન માણ્યું છે જેમ કે અમદાવાદ ની મોડે રાત્રીએ ખાઉગલી અથવા માણેક ચોક. કોલેજ ના સમયમાં મોડે રાત્રેએ બહાર જઈને કરેલો નાસ્તો. રાતના મોડે સુધે વાંચ્યા પછી અમને ખુબજ ભૂખ લગતી અને રાતના ૨ -૩ વાગે અમે કશું ખાવાનું બનાવતા અથવા ક્યાંક નાસ્તો કરવા જતા. જો કોલેજના સમય દરમ્યાન તમે રાતના ૩ વાગે નાસ્તો ના કર્યો હોય તો તમે ખરેખર એ આલ્હાદક અનુભવ ગુમાવ્યો છે.
૭. મોડે રાત્રે ચાલવા જવાનો પણ એક જુદો અને અનોખો અનુભવ છે. જે ભાગદોડ ભરેલ ઝીંદગી અને ગીચતા વચ્ચે અઘરું છે. રાત્રે ૧૧ વાગ્યા પછી કલાક ચાલવા જવાનો અનુભવ ખરેખર સરસ હોય છે. તદ્દન શાંત વાતાવરણમાં ચાલવા જવાથી ઘણા સારા વિચારો આવે છે.
૮. હું તન્મયતાથી ખરેખર કશું સારું કાર્ય મોડે રાત્રેજ કરી શકું છું - કોઈ જ પ્રકારની ખલેલ કે કોઈ પ્રકારનો આવાજ નથી હોતો. મને ખબર હોય છે કે અત્યાર અને સુવા વચ્ચે ફક્ત એક જ વસ્તુ છે અને તે છે જે કાર્ય હું કરું છું. એક અદ્ભુત લાગણી છે.
૯. જયારે તમે મોડા સુવો છો અને મોડા ઉઠો છો ત્યારે તમે અણગમતા કર્યો ખરેખર સારી કાર્યશીલતાથી કરી શકો છો. જે સામાન્ય રીતે આળસથી અને રોજીંદા કાર્ય ની જેમ વિચારીને કરો છો. તમને ખબર પડશે કે તમે કેમ ઓછા સમયમાં એ બધા કર્યો ફટાફટ પતાવી દીધા છે અને તે પણ તે વિષે વધુ વિચાર કાર્ય વગર. જેમ કે સવારે તૈયાર થવું અને કામે જવું.
૧૦. જયારે તમે મોડે સુધે કોઈ કામમાં રચ્યા પચ્યા રહો છો અને એ કાર્ય પૂરું કરી દો છો ત્યારે તમને કશુક સારી રીતે પૂરું કાર્યની લાગણી થાય છે. આવી સંતોષ ની લાગણી સાથે જયારે સુવા જાઓ છો અને આંખો બંદ કરો છો એ લાગણી ની કોઈજ તુલના ના થઇ સકે.
આથી, સવારે કેટલા વાગે ઉઠીશું ના વિચારને પડતો મૂકી દો. સવારે વહેલા ઉઠવું ઘણા લોકો માટે સારું છે અને તે લોકો કરી શકે છે પણ એ બધા માટે નથી. કેટલા કલાક તમે આરામથી સારી રીતે સુઈ શકો છો એ મહત્વનું છે અને પોતાના પાસે જાણવા જેવું છે. થોડા દિવસો વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો, અને થોડા દિવસ મોડે સુધે જાગવાનો. કેવું અનુભવ થાય છે? અને પછી એવું જ કરો કે જે નીંદર પછી તમે સારી નીંદરની લાગણી ત્યાં, તમે દિવસ દરમ્યાન કશું સ્વસ્થ મન થી કાર્ય કરી શકો અને તમને કુદરતી જીવનચર્યાની લાગણી થાય.
આ બધા કારણો ફક્ત જરૂરિયાત મુજબની નીંદર માટે છે. આળસ કે વધુ નીંદર માટે નહિ.
આથી, સવારે કેટલા વાગે ઉઠીશું ના વિચારને પડતો મૂકી દો. સવારે વહેલા ઉઠવું ઘણા લોકો માટે સારું છે અને તે લોકો કરી શકે છે પણ એ બધા માટે નથી. કેટલા કલાક તમે આરામથી સારી રીતે સુઈ શકો છો એ મહત્વનું છે અને પોતાના પાસે જાણવા જેવું છે. થોડા દિવસો વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો, અને થોડા દિવસ મોડે સુધે જાગવાનો. કેવું અનુભવ થાય છે? અને પછી એવું જ કરો કે જે નીંદર પછી તમે સારી નીંદરની લાગણી ત્યાં, તમે દિવસ દરમ્યાન કશું સ્વસ્થ મન થી કાર્ય કરી શકો અને તમને કુદરતી જીવનચર્યાની લાગણી થાય.
આ બધા કારણો ફક્ત જરૂરિયાત મુજબની નીંદર માટે છે. આળસ કે વધુ નીંદર માટે નહિ.
બસ થોડા જ વર્ષો માં...
મારી ૪ વરસની દીકરી અમદાવાદની એક સારી શાળામાં ભણે છે. તે નર્સરીમાં છે. તે જયારે શાળા જાય છે ત્યારે તેના દફતરનું આકાર અને વજન જોઇને મને કશુક થાય છે. સાચું કહું તો ખબર નહિ કેવું - પણ ચોક્કસ સારું તો નથી જ લાગતું. મેં એક વખત એને એના દફતરમાં બેસાડી ને પણ જોઈ હતી. એ બરોબર અંદર આવી ગઈ હતી. એના દફતર નું વજન પણ ૭ કિલો છે જયારે એનું વજન ૧૪ કિલો છે. એ દફતર માં ઘણી બધી ચોપડીઓ અંદ બધી જ અગત્યની એટલે કશું પણ ઘરે ભૂલી જવાની શક્યતા નથી. સામે આવું મારી સાથે પણ થયેલું.
હા, ઝીંદગી જરૂર બદલાશે એવી મને ખાતરી છે. આવતા થોડા જ વર્ષોમાં. એ સમય આવવામાં જ છે. હું એવું માનું છું કે આ બધા છોકરાઓ થોડા જ વર્ષોમાં દફતર ની અંદર ચોપડાંની જગ્યાએ Tablet PC લઇ ને જશે - પેલા iPad જેવું. બધી ચોપડીઓ, syllabus અને ઘણું બધું એ Tablet PCમાં preloaded હશે. અને દર વર્ષે છોકરાઓ આ બધું દર નવા વર્ષે નવું શાળાનું કાર્યક્રમ online ખરીદી શકશે. શાળામાં અભ્યાસ અને ઘરે અભ્યાસ - આ બધું એક જ Tablet PCમાં કરી શકશે. તમામ પરીક્ષાઓમાં પણ ફક્ત Tablet PCની જ જરૂર પડશે.
છોકરાઓ (અને તેમના વાલીઓ પણ) Teblet PC દ્વારા વીડિઓ, આવર નવારની પરીક્ષાઓ, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા (chatting) - બધું જ અ એક જ સુરક્ષિત Tablet PC દ્વારા.
આવા વિચાર સાથેમેં ગઈકાલે દુબઈના એરપોર્ટ પર Teblet PC જોવામાં સારો એવો સમય પસાર કર્યો અને આજે વિચારો અહી પ્રસ્તુત કાર્ય છે.
હા, ઝીંદગી જરૂર બદલાશે એવી મને ખાતરી છે. આવતા થોડા જ વર્ષોમાં. એ સમય આવવામાં જ છે. હું એવું માનું છું કે આ બધા છોકરાઓ થોડા જ વર્ષોમાં દફતર ની અંદર ચોપડાંની જગ્યાએ Tablet PC લઇ ને જશે - પેલા iPad જેવું. બધી ચોપડીઓ, syllabus અને ઘણું બધું એ Tablet PCમાં preloaded હશે. અને દર વર્ષે છોકરાઓ આ બધું દર નવા વર્ષે નવું શાળાનું કાર્યક્રમ online ખરીદી શકશે. શાળામાં અભ્યાસ અને ઘરે અભ્યાસ - આ બધું એક જ Tablet PCમાં કરી શકશે. તમામ પરીક્ષાઓમાં પણ ફક્ત Tablet PCની જ જરૂર પડશે.
છોકરાઓ (અને તેમના વાલીઓ પણ) Teblet PC દ્વારા વીડિઓ, આવર નવારની પરીક્ષાઓ, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા (chatting) - બધું જ અ એક જ સુરક્ષિત Tablet PC દ્વારા.
આવા વિચાર સાથેમેં ગઈકાલે દુબઈના એરપોર્ટ પર Teblet PC જોવામાં સારો એવો સમય પસાર કર્યો અને આજે વિચારો અહી પ્રસ્તુત કાર્ય છે.
બસ થોડા જ વર્ષો માં.........
Sunday, August 7, 2011
અંગત કરી લઉં છું
કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,
ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું.
કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,
નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.
જીવનને આંગણે નિત્ નિત્ નવા મહેમાન આવે છે,
ખુશી આવે-ગમી આવે ,પરોણાગત કરી લઉં છું.
નહીવત છું, પરંતુ આભ સામે મીટ માંડું છું,
પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું.
સભામાં કોઈ "અકબર"થી પરાયું રહી નથી શકતું,
ગઝલમાં હું પરાઈ પીડને અંગત કરી લઉં છું.
-"અકબર"ભાઈ જસદણવાલા
ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું.
કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,
નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.
જીવનને આંગણે નિત્ નિત્ નવા મહેમાન આવે છે,
ખુશી આવે-ગમી આવે ,પરોણાગત કરી લઉં છું.
નહીવત છું, પરંતુ આભ સામે મીટ માંડું છું,
પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું.
સભામાં કોઈ "અકબર"થી પરાયું રહી નથી શકતું,
ગઝલમાં હું પરાઈ પીડને અંગત કરી લઉં છું.
-"અકબર"ભાઈ જસદણવાલા
Monday, July 11, 2011
मिज़ाज -ऐ -ज़िन्दगी
देख के दुनिया
को मैं भी
बदलूंगा अब
अपना मिज़ाज -ऐ -ज़िन्दगी …
राबता सब से
होगा लेकिन
वास्ता किसी से
नहीं ………!!
को मैं भी
बदलूंगा अब
अपना मिज़ाज -ऐ -ज़िन्दगी …
राबता सब से
होगा लेकिन
वास्ता किसी से
नहीं ………!!
Friday, May 27, 2011
પ્રવાસ - ઈથીઓપિયા
ઘરે ૨ મહિના થી વધુ આરામ કર્યા પછી મારે ઓક્ષ્ફોર્ડ જવાનું થયું. દર વર્ષે જાહેર આરોગ્ય વિષે અમારી એક કાર્યશાળા યોજાય છે. આ કાર્યશાળામાં અમારી સંસ્થાએ કરેલ કાર્યો અને તેમાંથી શીખવા મળેલ બાબતો વિષે ચર્ચા થાય છે. ખૂબ જ રસ પ્રદ અને જાણવા જેવું હોય છે તેથી મને પણ ખૂબ જ રસ પડે છે. દુનિયા માં નવા નવા પ્રયોગો અને અવનવી પ્રગતિ વિષે પણ જાણવા મળે છે. આ સિવાય મારી સાથે કામ કરતા ૬૦ - ૭૦ જેટલા મારા જેવા લોકો ને મળવાનું અને તેમની સાથે ચર્ચા કરવાનો મોકો પણ મળે છે. મેં આ વર્ષે હૈતીમાં કરેલ કૂપન પદ્ધતિથી રાહત સામગ્રીના વિતરણ વિષે બધાને વાત કરી. બધાને ખૂબ જ રસ પડ્યો.
આજે આ કાર્યશાળા પૂર્ણ થયી અને હવે આવતી કાલે હું અમદાવાદ પરત આવીશ. સાંજે મને જણાવવામાં આવ્યું કે મારી હવે ઈથીઓપિયા જવાનું છે. ૪ મહિના માટે. ખૂબજ ખુશ છું કારણ કે નવા દેશ વિષે જાણવાનું મળશે. ઈથીઓપિયા દુનિયાનું ૨૭મુ સૌથી મોટું દેશ છે અને તેની વસ્તી ૮.૫ કરોડની છે. ત્યાં હાલમાં દુષ્કાળ છે અને તીગ્રાય નામનો વિસ્તાર આ દુષ્કાળથી ખૂબજ પ્રભાવિત છે. મારે અહી દુષ્કાળ ની અસર લોકો પર ઓછી થાય તેના માટે કામ કરવાનું છે. જેમાં મારે ખાસ તો લોકોને પાણી મળી રહે, સામાન્ય આરોગ્ય જળવાઈ રહે અને લોકોને આમ કરવા માટે જરૂરી એવી વસ્તુઓ પૂરી પડવાનું કાર્ય કરવાનું છે.
આમદાવાદ આવી ને તરત જ મારે વિઝા મેળવવો પડશે અને તે મળ્યે ઈથીઓપિયા જવાનું.
આ વિષે વધુ ત્યાં પહોચ્યા પછી....
Thursday, May 19, 2011
जिंदा रहेंगे
सदमे उठा रहे हैं बहुत जिंदगी से हम,
जीतें हैं आज तक मगर जिंदादिली से हम.
वो कौन सा जहाँ है जहाँ जिंदगी नहीं,
दमन बचा के जाएँ कहाँ जिंदगी से हम.
हमको किसी ने आज तक अपना नहीं कहा,
अपना समझ के मिलते रहे हर किसी से हम.
लाया है हमको जज्बये इंसानियत वहां,
मायूस हो गए हैं जहाँ आदमी से हम.
देता रहा फरेब हमें उम्र भर कोई,
खाते रहे फरेब बड़ी सादगी से हम.
होगी भी या न होगी हमें वो घडी नसीब,
जब कह सकेंगे अपना फ़साना किसी से हम.
खूने जिगर पिला के इसे दी है जिंदगी,
जिंदा रहेंगे "नीर" इसी शायरी से हम.
कवी : धीरेन्द्र मदान "नीर"
जीतें हैं आज तक मगर जिंदादिली से हम.
वो कौन सा जहाँ है जहाँ जिंदगी नहीं,
दमन बचा के जाएँ कहाँ जिंदगी से हम.
हमको किसी ने आज तक अपना नहीं कहा,
अपना समझ के मिलते रहे हर किसी से हम.
लाया है हमको जज्बये इंसानियत वहां,
मायूस हो गए हैं जहाँ आदमी से हम.
देता रहा फरेब हमें उम्र भर कोई,
खाते रहे फरेब बड़ी सादगी से हम.
होगी भी या न होगी हमें वो घडी नसीब,
जब कह सकेंगे अपना फ़साना किसी से हम.
खूने जिगर पिला के इसे दी है जिंदगी,
जिंदा रहेंगे "नीर" इसी शायरी से हम.
कवी : धीरेन्द्र मदान "नीर"
यह ग़ज़ल मुझे मेरे दादाजी के पुराने संग्रह मैं से मिली. यह मेरे दादाजी ने अपने जवानी के समय मैं अपने लिए सम्हाल के रखी थी. करीब १० -१२ सालो से यह मेरे पास थी. आज वापस हाथ आई और पढ़ा.
Monday, May 16, 2011
નિશાળ - એક મુંઝવણ
વર્ષો પહેલા, જયારે હું ભણતો હતો ત્યારે નિશાળમાં પ્રવેશ મેળવવો એક ખૂબ જ સીધી અને સરળ પ્રક્રિયા હતી. ખાસ કરીને મારા વાલીઓ માટે. એ સમયે "જૂથ" પ્રક્રિયાએ દરેક વાલીઓનો સામાન્ય તર્ક હતો. જો એક શેરીના બાળકો "X" શાળામાં જાય તો તેમના પછીના બધા બાળકો પણ "X" શાળામાં જ જાય. વધુ માં વધુ આની ચર્ચા વાલીઓ પોતાના મિત્ર વર્તૂળમાં અથવા કાર્યાલયમાં કરે. એ સમય માં ચર્ચા નો ખાસ મુદ્દો ફક્ત એક જ હતો. અંગ્રેજી માધ્યમમાં ભણવવું કે પછી ગુજરાતી માધ્યમમાં? અને ઘર થી શાળા ની દૂરી અથવા સહશિક્ષા જેવા પ્રશ્નો પણ ક્યારેક ચર્ચાઈ જતા.
આજે, (ખાસ કરી ને અમદાવાદના દ્રષ્ટિકોણથી), એવું લાગે છે કે આ એક જટિલ અને મૂંઝવણ ભરેલ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્ય બોર્ડ (જેમાં કોઈ જવા નથી માંગતું) સિવાય કેન્દ્રિય બોર્ડ અને ICSE (Council for the Indian School Certificate Examinations ) છે. આ સિવાય International Baccalaureate પણ છે. શાળાની ફીમાં જે વધારો છે તેના વિષે શું કહેવું? ઘણી શાળાઓ તો ઘોડા સવારી અને તરવા જેવું પણ શીખાડે છે. ઘણી શાળામાં તો દર ૨૦ છોકરા માટે ૧ શિક્ષક હોય છે. ઘણી શાળા એવો દાવો કરે છે કે તેઓ બાળકો ઉપર કોઈ પ્રકારનું દબાણ નથી કરતા. જેમકે ઘરે લેસન નહિ આપે અને કોઈ જાતની પરીક્ષા નહિ. એવી શાળાઓ પણ છે કે જે બાળકોના વ્યક્તિત્વનું સંપૂર્ણ વિકાસ નો દાવો કરે છે અને અન્ય જાત જાતના ફાયદાઓ દેખાડે છે.
કહેવાનો તાત્પર્ય એ કે આ બધું ખરાબ નથી. પણ, શું ખરેખર ઝીંદગી આવી છે? શું તમે બાળકોને આવતા ૧૦ વર્ષ માટે એક આદર્શ શાળામાં એટલા માટે જ ભણશો કે આગળ નો જમાનો ખૂબ જ કઠીન છે અને તેનો સામનો કરવું સરળ નથી? આ ખરેખર બાળકો અને વાલીઓ માટે ખૂબ જ ચિંતા જનક વિષય છે અને હકિકતમાં અઘરું પણ છે. શું એ એક સારો વિચાર છે કે આવતા ૧૦-૧૫ વર્ષ બાળકોને "superhero " બનાવવા માટે આવી શાળા માં ભણાવીએ અને પછી બાળકો ને ખબર પડે કે દરેક વ્યક્તિ જાંગીયા અંદર જ પહેરે છે - પેન્ટ ને ઉપર નહિ. અથવા એ સારું કે જેમાં બાળકો ને ભાવવા માં આવે, ઘરે લેસન આપવામાં આવે અને સમયસર પરીક્ષા થાય વગેરે વગેરે???
શું હું પસંદ કરીશ કે બાળકને વ્યક્તિગત રીતે ધ્યાન આપવામાં આવે. શાળામાં અને ઘરે પણ. અને ૧૦-૧૫ વર્ષ પછી એને ખબર પડે કે તેના પર વ્યક્તિગત રીતે ધ્યાન આપવા વાળું કોઈ નથી અથવા કોઈને પડી નથી. કે પછી હું એવું પસંદ કરીશ કે આવતા ૧૦ વર્ષ સુધી કોઈ પરીક્ષા નહિ અને પછી દર વર્ષે એક ખૂબ જ અઘરી પરીક્ષા સામે ઉભી છે જેમાં જોરદાર હરીફાઈ છે.
હું અહી કોઈ નિર્ણય લેતો નથી કે કોઈ સચોટ રસ્તો બતાવતો. હું ખરેખર જાણવા માંગું છું કે જે આ બધી શાળાઓ કરે છે એ સારું અને સાચું છે? જો હોય તો અમારા જેવા ૯૦% લોકો ૧૦૦% ખોટું ભણ્યા છીએ? જે પણ અમે ભણ્યા છીએ (સરકારી શાળાઓમાં) તેનાથી અમે આ હકિકતની ઝીંદગીમાં સફળતા મેળવવામાં મદદ મળી છે. તો શું આ આજની ભણતરની પદ્ધતિથી ભણેલા બાળકો હકિકત ની ઝીંદગી નો સામનો સારી રીતે કરશે? શું તેમને અમારા કરતા સારી સફળતા મળશે? કે પછી તેઓ મરઘીની જેમ, ઈંડા જેવા એક સંપૂર્ણ સુરક્ષા કવચમાંથી બહાર નીકળ્યા પછી જ જાણશે કે ખરેખર ની ઝીંદગી માં તેઓ એક મરઘી છે.
આજે, (ખાસ કરી ને અમદાવાદના દ્રષ્ટિકોણથી), એવું લાગે છે કે આ એક જટિલ અને મૂંઝવણ ભરેલ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્ય બોર્ડ (જેમાં કોઈ જવા નથી માંગતું) સિવાય કેન્દ્રિય બોર્ડ અને ICSE (Council for the Indian School Certificate Examinations ) છે. આ સિવાય International Baccalaureate પણ છે. શાળાની ફીમાં જે વધારો છે તેના વિષે શું કહેવું? ઘણી શાળાઓ તો ઘોડા સવારી અને તરવા જેવું પણ શીખાડે છે. ઘણી શાળામાં તો દર ૨૦ છોકરા માટે ૧ શિક્ષક હોય છે. ઘણી શાળા એવો દાવો કરે છે કે તેઓ બાળકો ઉપર કોઈ પ્રકારનું દબાણ નથી કરતા. જેમકે ઘરે લેસન નહિ આપે અને કોઈ જાતની પરીક્ષા નહિ. એવી શાળાઓ પણ છે કે જે બાળકોના વ્યક્તિત્વનું સંપૂર્ણ વિકાસ નો દાવો કરે છે અને અન્ય જાત જાતના ફાયદાઓ દેખાડે છે.
કહેવાનો તાત્પર્ય એ કે આ બધું ખરાબ નથી. પણ, શું ખરેખર ઝીંદગી આવી છે? શું તમે બાળકોને આવતા ૧૦ વર્ષ માટે એક આદર્શ શાળામાં એટલા માટે જ ભણશો કે આગળ નો જમાનો ખૂબ જ કઠીન છે અને તેનો સામનો કરવું સરળ નથી? આ ખરેખર બાળકો અને વાલીઓ માટે ખૂબ જ ચિંતા જનક વિષય છે અને હકિકતમાં અઘરું પણ છે. શું એ એક સારો વિચાર છે કે આવતા ૧૦-૧૫ વર્ષ બાળકોને "superhero " બનાવવા માટે આવી શાળા માં ભણાવીએ અને પછી બાળકો ને ખબર પડે કે દરેક વ્યક્તિ જાંગીયા અંદર જ પહેરે છે - પેન્ટ ને ઉપર નહિ. અથવા એ સારું કે જેમાં બાળકો ને ભાવવા માં આવે, ઘરે લેસન આપવામાં આવે અને સમયસર પરીક્ષા થાય વગેરે વગેરે???
શું હું પસંદ કરીશ કે બાળકને વ્યક્તિગત રીતે ધ્યાન આપવામાં આવે. શાળામાં અને ઘરે પણ. અને ૧૦-૧૫ વર્ષ પછી એને ખબર પડે કે તેના પર વ્યક્તિગત રીતે ધ્યાન આપવા વાળું કોઈ નથી અથવા કોઈને પડી નથી. કે પછી હું એવું પસંદ કરીશ કે આવતા ૧૦ વર્ષ સુધી કોઈ પરીક્ષા નહિ અને પછી દર વર્ષે એક ખૂબ જ અઘરી પરીક્ષા સામે ઉભી છે જેમાં જોરદાર હરીફાઈ છે.
હું અહી કોઈ નિર્ણય લેતો નથી કે કોઈ સચોટ રસ્તો બતાવતો. હું ખરેખર જાણવા માંગું છું કે જે આ બધી શાળાઓ કરે છે એ સારું અને સાચું છે? જો હોય તો અમારા જેવા ૯૦% લોકો ૧૦૦% ખોટું ભણ્યા છીએ? જે પણ અમે ભણ્યા છીએ (સરકારી શાળાઓમાં) તેનાથી અમે આ હકિકતની ઝીંદગીમાં સફળતા મેળવવામાં મદદ મળી છે. તો શું આ આજની ભણતરની પદ્ધતિથી ભણેલા બાળકો હકિકત ની ઝીંદગી નો સામનો સારી રીતે કરશે? શું તેમને અમારા કરતા સારી સફળતા મળશે? કે પછી તેઓ મરઘીની જેમ, ઈંડા જેવા એક સંપૂર્ણ સુરક્ષા કવચમાંથી બહાર નીકળ્યા પછી જ જાણશે કે ખરેખર ની ઝીંદગી માં તેઓ એક મરઘી છે.
Sunday, May 15, 2011
વૈષ્ણવ જન
વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુખ્ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે
સકળ લોક માન સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે
સમદૃષ્ટિ ને તૃષ્ળા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકે અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મા રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તન માં રે
વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનો દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે
----નરસિંહ મહેતા
પર દુખ્ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે
સકળ લોક માન સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે
સમદૃષ્ટિ ને તૃષ્ળા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકે અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મા રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તન માં રે
વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનો દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે
----નરસિંહ મહેતા
Saturday, April 30, 2011
પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૬
હૈતી માં છેલ્લે છેલ્લે ઘણો થાક અનુભવતો હતો. આ થાક માનસિક હતો કારણ કે મેં ૬ મહિના માં એક પણ રજા પાડી નહોતી. આમ તો અમને દર ૮ અઠવાડીયે એક અઠવાડિયા ને રજા મળતી હોય છે પણ .... હું એમ માનું છું કે જયારે આપને થાક અનુભવીએ ત્યારે આરામ કરી લેવો જોઈએ. ઘસરડા કરવા માં કઈ માલ નથી. નક્કી કર્યું કે હવે ઘરે જઈની આરામ કરીશું. મોટા સાહેબો ની લખી નાખ્યું કે હું થાકી ગયો છું અને ઘરે જવું છે. ફેબ્રુઅરી ૨૫ ના રોજ હૈતી થી નીકળ્યો. ૨ દિવસ ઓક્ષ્ફોર્ડમાં મારી de -brief હતી તથા તબીબ સાથે મુલાકાત પણ રાખવામાં આવી હતી. સામાન્ય રીતે તબીબ સાથે ની મુલાકાતમાં તેઓ શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતાને લગતી ચકાસણી અને સલાહ આપતા હોય છે. અહી ખાસ જણાવી દઉં કે ત્યાં ના તબીબો પ્રત્યે મને ખાસ માં છે. કારણ ખૂબ જ સરળ છે. તેઓ એક દર્દીને સામાન્ય રીતે કલાક જેવો સમય આપે છે. આપના અમદાવાદ માં દરેક તબીબ જાણે હરીફાઈ કરતા હોય છે કે કલાક માં કેટલા દર્દી તપાસ્યા અને કેટલા રૂપિયા આવ્યા.
ઘરે ૨-૩ મહિનાની રજા લીધેલ હોવાના કારણે મારે કરવાના કામોની યાદી બનાવી. આવીને સૌપ્રથમ ભાડાન મકાન છોડી અમે અમારા પોતાના ફ્લેટમાં રહેવા જતા રહ્યા. એકજ અઠવાડિયામાં કલરકામ પૂરું કરાવ્યું બીજા નાના મોટા કામો કર્યા. મકાન બદલ્યા પછી સહુથી અઘરું કામ સરનામાં બદલવાનું. બેંક, ટપાલ, ગાડી ચલાવનું લાઈસંસ, પાસપોર્ટ વગેરેમાં. આમાં સહુથી અઘરું અને ના ગમતું કામ એ છે કે જયારે આપને પૈસા ખવડાવા પડે. લાંચ અને રિશ્વત આપના સમાજમાં જાણે દરેક ખૂણામાં છે. જો આપની સરકાર દરેક પોલીસ કચેરીમાં એક પાટિયું મારી દે કે "અહી લાંચ રિશ્વત લેવામાં આવતી નથી. જો આપવામાં આવશે તો ફોજદારી ગુનો બનશે. ફરિયાદ માટે ફલાણા નંબર પર ફોને કરી આપની ફરિયાદ નોંધાવો.
મારા પાસપોર્ટમાં સરનામું બદલવા આપેલ. જેની પોલીસ તરફ થી ચકાસણી માટે મને નજીકના પોલીસ ચોકીમાં બોલવામાં આવ્યું. બધી કાર્યવાહી પત્યા પછી મારી પાસે "ચા પાણી" ના પૈસા ૫૦૦ રૂપિયા માંગ્યા. મને ૫૦૦ રુપયા આપવાનો ખેદ નથી પણ હું આપના સમાજના એક દુષણનો ભાગ બન્યો એનું દૂખ છે. એ પણ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દેશમાં - સાબરમતીમાં. આ પૈસા ખુલ્લા આત્મવિશ્વાસથી માંગવામાં આવે છે. આવું જ મારા ગાડી ચલાવનું લાઈસંસમાં સરનામું બદલવા માટે બન્યું, અને હવે આવું જ રાશન કાર્ડ માટે બને છે.
અમુક લોકોનું એવું કહેવું છે કે સરકારી પગાર ધોરણ બહુજ નીચા છે. શું ખરેખર નીચા છે? કે પછી આપની જરૂરિયાતો ખૂબજ વધી ગયી છે? કે પછી સરકાર બધા સરકારી નોકરોને આમ બાકીના પૈસા કમાવાની તક આપે છે. પગાર વધારા ની માંગણી નથી કરી શકાતી? આટલી બધે હડતાલો અને આંદોલનો થાય છે. મારી નજરમાં તો સરકારી નોકરી એટલે દુનિયાની સૌથી મોટી પેઢી માં નૌકરી કરવાની તક. અહી લોકો ૨૦ - ૩૦ વરસ નૌકરી કરે છે અને પછી સરકાર તેમને બાકી ની ઝીંદગી મફત પૈસા આપે છે. ઘણી વખતે તો તેમના વારસદારોને પણ નૌકરી મળી જાય છે.
આજે આપને અને આપની સરકારે ભ્રષ્ટાચાર સામે સીધા, સરળ, લોકોને સમજાય એવા પગલા લેવાની જરૂરત છે. લાંચ વિરોધી છટકું શા માટે ગોઠવવું પડે? તે વગર કઈના થાય? એવું જે સામાન્ય નાગરિક સામાન્ય રીતે કરી શકે.
હવે થોડા જ દિવસો રહ્યા છે. ૨૦મે મે ના મારે ઓક્ષ્ફોર્ડ જવાનું છે. ત્યાં એક અઠવાડિયા માટે અમારી કાર્યશિબિર છે. ત્યાંજ મને કહેવામાં આવશે કે હવે મારે કયા દેશમાં જવાનું છે અને કઈ આફતમાં કામ કરવાનું છે.
મારા પાસપોર્ટમાં સરનામું બદલવા આપેલ. જેની પોલીસ તરફ થી ચકાસણી માટે મને નજીકના પોલીસ ચોકીમાં બોલવામાં આવ્યું. બધી કાર્યવાહી પત્યા પછી મારી પાસે "ચા પાણી" ના પૈસા ૫૦૦ રૂપિયા માંગ્યા. મને ૫૦૦ રુપયા આપવાનો ખેદ નથી પણ હું આપના સમાજના એક દુષણનો ભાગ બન્યો એનું દૂખ છે. એ પણ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દેશમાં - સાબરમતીમાં. આ પૈસા ખુલ્લા આત્મવિશ્વાસથી માંગવામાં આવે છે. આવું જ મારા ગાડી ચલાવનું લાઈસંસમાં સરનામું બદલવા માટે બન્યું, અને હવે આવું જ રાશન કાર્ડ માટે બને છે.
અમુક લોકોનું એવું કહેવું છે કે સરકારી પગાર ધોરણ બહુજ નીચા છે. શું ખરેખર નીચા છે? કે પછી આપની જરૂરિયાતો ખૂબજ વધી ગયી છે? કે પછી સરકાર બધા સરકારી નોકરોને આમ બાકીના પૈસા કમાવાની તક આપે છે. પગાર વધારા ની માંગણી નથી કરી શકાતી? આટલી બધે હડતાલો અને આંદોલનો થાય છે. મારી નજરમાં તો સરકારી નોકરી એટલે દુનિયાની સૌથી મોટી પેઢી માં નૌકરી કરવાની તક. અહી લોકો ૨૦ - ૩૦ વરસ નૌકરી કરે છે અને પછી સરકાર તેમને બાકી ની ઝીંદગી મફત પૈસા આપે છે. ઘણી વખતે તો તેમના વારસદારોને પણ નૌકરી મળી જાય છે.
આજે આપને અને આપની સરકારે ભ્રષ્ટાચાર સામે સીધા, સરળ, લોકોને સમજાય એવા પગલા લેવાની જરૂરત છે. લાંચ વિરોધી છટકું શા માટે ગોઠવવું પડે? તે વગર કઈના થાય? એવું જે સામાન્ય નાગરિક સામાન્ય રીતે કરી શકે.
હવે થોડા જ દિવસો રહ્યા છે. ૨૦મે મે ના મારે ઓક્ષ્ફોર્ડ જવાનું છે. ત્યાં એક અઠવાડિયા માટે અમારી કાર્યશિબિર છે. ત્યાંજ મને કહેવામાં આવશે કે હવે મારે કયા દેશમાં જવાનું છે અને કઈ આફતમાં કામ કરવાનું છે.
Sunday, April 24, 2011
દિવાળી - ત્યારે અને અત્યારે
દિવાળી?
હા, દિવાળી. હું આપણા તહેવાર દિવાળી વિષે વાત કરવા માંગું છું.
જ્યારથી મેં શ્રીમતીજીને મારી પાછા જવાની ટિકટ બૂક કરવાની વાત કરી છે ત્યારથી જ શ્રીમતીજીએ સવાલો પૂછવા નો દૌર શરુ કર્યો છે.
હા, દિવાળી. હું આપણા તહેવાર દિવાળી વિષે વાત કરવા માંગું છું.
જ્યારથી મેં શ્રીમતીજીને મારી પાછા જવાની ટિકટ બૂક કરવાની વાત કરી છે ત્યારથી જ શ્રીમતીજીએ સવાલો પૂછવા નો દૌર શરુ કર્યો છે.
પાછા ક્યારે આવશો?
હજુ કેટલા વરસ બારે નૌકરી કરવાની બાકી છે?
છેલ્લા ૫ વરસ થી દિવાળી ઘરે નથી કરી. આ વર્ષે શું પ્લાન છે?
૩ મહિના પછી તો એક વખત આવશો ને કે પછી આ વખતે પણ ૬ મહિના?
છોકરાઓની યાદ તમનેના આવે તો કઈ નહિ પણ છોકરા યાદ કરે છે તેનું શું?
વગેરે વગેરે.
આ સવાલો પછી હું વિચારતો હતો કે હું નાનો હતો ત્યારે દિવાળી કેવી હતી અને આજે શું છે !!!
દિવાળી ની શુભ કામનાઓ ને જ લઇ લો. પહેલા શુભ કામનાઓ ના પત્રો અને કાર્ડ આવતા હતા. ઢગલા બંધ ટપાળો. આજે તો ભાગ્યે જ આવે અને આવી જાય તો ઘણા લોકો ને નવાઇ પણ લાગે છે. આજે SMS અને e-mail આવે છે. આમાં પણ અલગ અલગ પ્રકાર ના લોકો છે.
જત્થાબંધ : એ લોકો જે ફોન બૂક ના બધા ને એક સાથે SMS મોકલે છે. એમાં મોટા ભાગ ના એવા લોકો હોય છે જેમની ૫૦ પૈસામાં SMS નું પ્લાન હોય છે.
કલાપ્રેમી : આ પ્રકાર ના લોકો "દિવાળી ની શુભકામનાઓ" કે "નવા વર્ષ ની શુભકામનાઓ" માત્ર ના SMSથી નથી ચાલતું. આ પ્રકાર ના લોકો દીવો, ફટાકડા, શુભકામનાઓનું અદભૂત કે અઘરું લખાણ, ફોટા અને કશુક કલાત્મક SMS મોકલે છે. થોડા ઘણા આવા કલાત્મક SMS બનાવે છે અને મોકલે છે અને બાકીના એને ફોરવર્ડ કરે છે.
ફક્ત પ્રતિઉત્તર : આમાં એવા પ્રકારના લોકો હોય છે જે પોતે કદી SMS નથી મોકલતા પણ આવેલા SMS નું ફક્ત ઉત્તર / જવાબ આપે છે. અંગ્રેજી માં જેને "Reply Only " કહી શકાય.
હજુ કેટલા વરસ બારે નૌકરી કરવાની બાકી છે?
છેલ્લા ૫ વરસ થી દિવાળી ઘરે નથી કરી. આ વર્ષે શું પ્લાન છે?
૩ મહિના પછી તો એક વખત આવશો ને કે પછી આ વખતે પણ ૬ મહિના?
છોકરાઓની યાદ તમનેના આવે તો કઈ નહિ પણ છોકરા યાદ કરે છે તેનું શું?
વગેરે વગેરે.
આ સવાલો પછી હું વિચારતો હતો કે હું નાનો હતો ત્યારે દિવાળી કેવી હતી અને આજે શું છે !!!
દિવાળી ની શુભ કામનાઓ ને જ લઇ લો. પહેલા શુભ કામનાઓ ના પત્રો અને કાર્ડ આવતા હતા. ઢગલા બંધ ટપાળો. આજે તો ભાગ્યે જ આવે અને આવી જાય તો ઘણા લોકો ને નવાઇ પણ લાગે છે. આજે SMS અને e-mail આવે છે. આમાં પણ અલગ અલગ પ્રકાર ના લોકો છે.
જત્થાબંધ : એ લોકો જે ફોન બૂક ના બધા ને એક સાથે SMS મોકલે છે. એમાં મોટા ભાગ ના એવા લોકો હોય છે જેમની ૫૦ પૈસામાં SMS નું પ્લાન હોય છે.
કલાપ્રેમી : આ પ્રકાર ના લોકો "દિવાળી ની શુભકામનાઓ" કે "નવા વર્ષ ની શુભકામનાઓ" માત્ર ના SMSથી નથી ચાલતું. આ પ્રકાર ના લોકો દીવો, ફટાકડા, શુભકામનાઓનું અદભૂત કે અઘરું લખાણ, ફોટા અને કશુક કલાત્મક SMS મોકલે છે. થોડા ઘણા આવા કલાત્મક SMS બનાવે છે અને મોકલે છે અને બાકીના એને ફોરવર્ડ કરે છે.
ફક્ત પ્રતિઉત્તર : આમાં એવા પ્રકારના લોકો હોય છે જે પોતે કદી SMS નથી મોકલતા પણ આવેલા SMS નું ફક્ત ઉત્તર / જવાબ આપે છે. અંગ્રેજી માં જેને "Reply Only " કહી શકાય.
હું પણ આ પ્રકારના લોકોમાંનો એક છું :)
ભયાનક : "દિવાળીની શુભકામનાઓ. શું તમે આ વર્ષનો આવક વેરો ભર્યો છે? જો ના ભર્યું હોય તો ૩૧ મી તારીખ પહેલા ભરી દો......." હા, આવા અથવા આવા પ્રકાર ના SMS પણ આવે છે.
આ સિવાય પણ દિવાળી આપણા જેવા લોકો માટે બદલી ગઈ છે.
ત્યારે : વરસ માં એક વખત બાળકો ના નવા કપડા આવતા.
અત્યારે : હવે તો દર અઠવાડીયે "Mall"માં જઈને દિવાળી મનાવીયે છીએ.
ત્યારે : સુતરબોમ્બ, હાજર ફટાકડાવાડી લડી, રોકેટ બોમ્બ વગેરે
અત્યારે : આનર, ફુલઝડી, ચક્રી વગેરે
ત્યારે : રૂ ની દિવેટ, માટી નું તેલ, દીવા
અત્યારે : વેક્ષવાળા તૈયાર દીવા બજારથી ખરીદી લાવીએ છીએ.
ત્યારે : ઘીવારા લાડુ અને બરફી ખાવાનાં દિવસો
અત્યારે : સુગર-ફ્રી મીઠાઈ અને ચોકલેટ ખાવી પડે છે.
ત્યારે : પ્રશ્ન - આ વર્ષે ઘરાકની શું ભેટ મોકલું?
અત્યારે : ઉત્તર - અમારી પેઢી / કમ્પનીમાં ભેટ-સોગાદો લેવાની મનાઈ છે.
હું દિવાળીના ત્યારના કે અત્યારના દિવસો પ્રત્યે ઉદાસીન નથી - સિવાય કે ત્યારની મીઠાઈઓ અને ફરસાણ - ખાસ કરી ને ગુંજયા જે આજે પણ એવા નથી બનતા. આજે આડોશી પાડોશી બજારથી લાવેલી મીઠાઈના ડબ્બા એક બીજાને આપે છે.
ગમે તે હોય, "અત્યારે" વધુ અગત્ય નું છે "ત્યારે" કરતા. પણ હા, દિવાળી તો હજુ પણ છે અને આપણ ને ઉત્સાહ પણ એટલું જ કાયમ છે. અને હા, "છે" અને "નથી" વચ્ચેનો ભેદ તો રહેશે.
એટલે, આવતી દિવાળી સુધી આપ સૌને શુભેચ્છાઓ.
ભયાનક : "દિવાળીની શુભકામનાઓ. શું તમે આ વર્ષનો આવક વેરો ભર્યો છે? જો ના ભર્યું હોય તો ૩૧ મી તારીખ પહેલા ભરી દો......." હા, આવા અથવા આવા પ્રકાર ના SMS પણ આવે છે.
આ સિવાય પણ દિવાળી આપણા જેવા લોકો માટે બદલી ગઈ છે.
ત્યારે : વરસ માં એક વખત બાળકો ના નવા કપડા આવતા.
અત્યારે : હવે તો દર અઠવાડીયે "Mall"માં જઈને દિવાળી મનાવીયે છીએ.
ત્યારે : સુતરબોમ્બ, હાજર ફટાકડાવાડી લડી, રોકેટ બોમ્બ વગેરે
અત્યારે : આનર, ફુલઝડી, ચક્રી વગેરે
ત્યારે : રૂ ની દિવેટ, માટી નું તેલ, દીવા
અત્યારે : વેક્ષવાળા તૈયાર દીવા બજારથી ખરીદી લાવીએ છીએ.
ત્યારે : ઘીવારા લાડુ અને બરફી ખાવાનાં દિવસો
અત્યારે : સુગર-ફ્રી મીઠાઈ અને ચોકલેટ ખાવી પડે છે.
ત્યારે : પ્રશ્ન - આ વર્ષે ઘરાકની શું ભેટ મોકલું?
અત્યારે : ઉત્તર - અમારી પેઢી / કમ્પનીમાં ભેટ-સોગાદો લેવાની મનાઈ છે.
હું દિવાળીના ત્યારના કે અત્યારના દિવસો પ્રત્યે ઉદાસીન નથી - સિવાય કે ત્યારની મીઠાઈઓ અને ફરસાણ - ખાસ કરી ને ગુંજયા જે આજે પણ એવા નથી બનતા. આજે આડોશી પાડોશી બજારથી લાવેલી મીઠાઈના ડબ્બા એક બીજાને આપે છે.
ગમે તે હોય, "અત્યારે" વધુ અગત્ય નું છે "ત્યારે" કરતા. પણ હા, દિવાળી તો હજુ પણ છે અને આપણ ને ઉત્સાહ પણ એટલું જ કાયમ છે. અને હા, "છે" અને "નથી" વચ્ચેનો ભેદ તો રહેશે.
એટલે, આવતી દિવાળી સુધી આપ સૌને શુભેચ્છાઓ.
Friday, April 22, 2011
૨૫૦ રૂપિયા ની એક CD
મારી દીકરીની નિશાળમાંથી મને જણાવવામાં આવ્યું કે ૨૫૦ રૂપિયામાં નિશાળ એક CD આપશે જેમાં ગત વર્ષના ફોટા છે. હા, ૨૫૦ રૂપિયા માં એક CD. આજ ના આધુનિક digital દુનિયા માં એક CD ના ૨૫૦ રૂપિયા? બસો ને પચાસ રૂપિયા?
આજે ૨૫૦ રૂપિયાની કોઈ કીમત નથી? અથવા તો પછી આ મોંઘવારીમાં એક CDની કીમત ૨૫૦ રૂપિયા? જો નિશાળ માં ૧૦૦ છોકરાઓ પણ ભણતા હોય તો ૨૫૦૦૦ રૂપિયા થાય. આજે દરેક ને ખબર છે કે બજારમાં એક CDની કીમત માત્ર ૨ થી ૨૦ રૂપિયા વચ્ચે છે. આજે દરેક વાલી પોતાના છોકરાઓ ના ફોટા માટે ૨૦૦ થી ૫૦૦ રૂપિયા ફાટક દઈ ને આપે દેશે. આ ભાવના લગભગ દરેક નિશાળ ના અધિકારીઓ ને ખબર છે. બસ આ જ ભાવના ને આજે દરેક નિશાળ વસૂલ કરે છે.
અમદાવાદમાં આજે દરેક ખૂણામાં એક નિશાળ ખૂલી ગયી છે. એડમીશન ફી, ટુશન ફી, ફોર્મ ફી, સમર કેમ્પ ફી, નાસ્તા ફી, વાહન ફી, યુનીફોર્મ ફી, ચોપડા ફી, વગેરે વગેરે... આજે ૨ વર્ષ ના એક બાળક ને સામાન્ય બાલમંદિરમાં એક વર્ષ ભણાવા માટે વાલીઓ પાસે થી અંદાજે ૧૫ - ૨૦ હજાર રૂપિયા સુધી લેવામાં આવે છે.
જયારે મેં મારી દીકરી નું દફતર જોયું તો ખૂબ જ આશ્ચર્ય થયું. એ દફતરમાં મેં મારી દીકરી ને બેસાડી દીધે. એ તો આવી ગઈ દફતરમાં અને હજુ થોડે જગ્યા વધે હતી. હા હા હા ..... ખરેખર .. હું મજાક નથી કરતો.. આવતા વર્ષે પણ એ આ દફતરમાં આવી જશે. અને એના બૂટની કીમત ૧૧૦૦ રૂપિયા.
ખરેખર, આ પણ એક ખૂબ સરસ ધંધો છે જેમાં કમાણી પુષ્કળ છે અને ઘરાકી પણ ઓછી નથી......
આપ સહુના અનુભવો અને પ્રતિભાવોને આમંત્રણ છે.......
આજે ૨૫૦ રૂપિયાની કોઈ કીમત નથી? અથવા તો પછી આ મોંઘવારીમાં એક CDની કીમત ૨૫૦ રૂપિયા? જો નિશાળ માં ૧૦૦ છોકરાઓ પણ ભણતા હોય તો ૨૫૦૦૦ રૂપિયા થાય. આજે દરેક ને ખબર છે કે બજારમાં એક CDની કીમત માત્ર ૨ થી ૨૦ રૂપિયા વચ્ચે છે. આજે દરેક વાલી પોતાના છોકરાઓ ના ફોટા માટે ૨૦૦ થી ૫૦૦ રૂપિયા ફાટક દઈ ને આપે દેશે. આ ભાવના લગભગ દરેક નિશાળ ના અધિકારીઓ ને ખબર છે. બસ આ જ ભાવના ને આજે દરેક નિશાળ વસૂલ કરે છે.
અમદાવાદમાં આજે દરેક ખૂણામાં એક નિશાળ ખૂલી ગયી છે. એડમીશન ફી, ટુશન ફી, ફોર્મ ફી, સમર કેમ્પ ફી, નાસ્તા ફી, વાહન ફી, યુનીફોર્મ ફી, ચોપડા ફી, વગેરે વગેરે... આજે ૨ વર્ષ ના એક બાળક ને સામાન્ય બાલમંદિરમાં એક વર્ષ ભણાવા માટે વાલીઓ પાસે થી અંદાજે ૧૫ - ૨૦ હજાર રૂપિયા સુધી લેવામાં આવે છે.
જયારે મેં મારી દીકરી નું દફતર જોયું તો ખૂબ જ આશ્ચર્ય થયું. એ દફતરમાં મેં મારી દીકરી ને બેસાડી દીધે. એ તો આવી ગઈ દફતરમાં અને હજુ થોડે જગ્યા વધે હતી. હા હા હા ..... ખરેખર .. હું મજાક નથી કરતો.. આવતા વર્ષે પણ એ આ દફતરમાં આવી જશે. અને એના બૂટની કીમત ૧૧૦૦ રૂપિયા.
ખરેખર, આ પણ એક ખૂબ સરસ ધંધો છે જેમાં કમાણી પુષ્કળ છે અને ઘરાકી પણ ઓછી નથી......
આપ સહુના અનુભવો અને પ્રતિભાવોને આમંત્રણ છે.......
Sunday, February 20, 2011
નિબંધ
એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા.
સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???” શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ” તેમના પતિએ નિબંધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું— ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”
Friday, February 18, 2011
પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૫
કેમ છો? મજામાં ને?
આજે હૈતી માં ૧૫૦ દિવસ પૂરા થયા. આ વાતની ખુશી વ્યક્ત કરતા હું મારા મિત્રોને જમવા માટે લઇ ગયો. એકદમ સસ્તું અને રસ્તા પર વેચાતું અમારું મન પસંદ ભાત અને રસો હતું. મિત્રો એ એમને પસંદ મુજબ જમવાનું પડીકું બંધાવ્યું અને અમે બધા ઓફીસમાં આવેને જમ્યા.
ગઈ કાલે મને એમ લાગ્યું કે હું મારી જાત ને વધારે પડતી જવાબદારીઓ લેવા માટે મજબૂર કરી રહ્યો છું. સાથી સંસ્થા ઓ ને મદદ કરવાનું, પછી કોલેરા માં કામ કરવા નું અને પછી ભૂકંપ ના કાર્યક્રમ માં કામ કરવું. આ ૧૫૦ દિવસ દરમિયાન મેં એક પણ રજા નથી લીધી. શનિવાર અને રવિવાર અને બીજા બધે રજાના દિવસે પણ મેં કામ કર્યું છે. શારીરિક અને માનસિક રીતે ખૂબ જ થાકી જવાય છે. આથી નક્કી કર્યું કે જેટલું બને તેટલું જલ્દી થી ઘરે જવું. ઘેર જઇ ને થોડું આરામ કરવું, સારી રીતે જમવું. છોકરાંઓ જોડે રમવું અને થોડા દિવસ સામાન્ય દિનચર્યામાં જીવવું.
આને અમલીકૃત કરવા માટે મારા અધિકારીઓ ને આ વિચાર ને જાણ કરી અને કહ્યું કે ૧૫૦ દિવસ ઘણા થઇ જાય એક પણ રાજા વગર. ઘણા ખરા અધિકારીઓ મારા વિચાર સાથે સંમત થયા અને હવે બસ થોડા જ દિવસો માં ઘેર. અમુક અધિકારીઓ આવા વિચારથી ખુશ નહિ થાય પણ હું ખુશ છું કે આવો નિર્ણય હું સમય સર લઈ રહ્યો છું. કહેવા નો ભાવાર્થ એમ છે કે દરેક કામ શારીરિક અને માનસિક ક્ષમતા મુજબ થાય તો ખુબ જ સારું. એમાં જો અતિરેક કરવા માં આવે તો પરિણામ ખરાબ આવી શકે છે. આ ખરાબ પરિણામ જાત ને તંદુરસ્તી, માનસિક શાંતિ, સાથે કામ કરનારા કર્મચારીઓ અને પરિવાર માટે નુકસાન કારક છે. હું ખુશ છું કે મેં આ નિર્ણય લીધું
હવે હું અંદાજે ૧૫ - ૨૦ દિવસ વેલો ઘરે પહોચીશ. લગભગ આવતા અઠવાડીયે મારે હૈતી મુકવાનું થશે. ત્યાર બાદ એક અઠવાડિયું બ્રિટેન માં અને ત્યારબાદ ઘેર. અને હા, ઘેર જઇ ને સૌ થી પહેલા પાણી પૂરી . હા હા હા હા હા....... ઝીંદગી અદ્ભુત છે.
આજે હૈતી માં ૧૫૦ દિવસ પૂરા થયા. આ વાતની ખુશી વ્યક્ત કરતા હું મારા મિત્રોને જમવા માટે લઇ ગયો. એકદમ સસ્તું અને રસ્તા પર વેચાતું અમારું મન પસંદ ભાત અને રસો હતું. મિત્રો એ એમને પસંદ મુજબ જમવાનું પડીકું બંધાવ્યું અને અમે બધા ઓફીસમાં આવેને જમ્યા.
ગઈ કાલે મને એમ લાગ્યું કે હું મારી જાત ને વધારે પડતી જવાબદારીઓ લેવા માટે મજબૂર કરી રહ્યો છું. સાથી સંસ્થા ઓ ને મદદ કરવાનું, પછી કોલેરા માં કામ કરવા નું અને પછી ભૂકંપ ના કાર્યક્રમ માં કામ કરવું. આ ૧૫૦ દિવસ દરમિયાન મેં એક પણ રજા નથી લીધી. શનિવાર અને રવિવાર અને બીજા બધે રજાના દિવસે પણ મેં કામ કર્યું છે. શારીરિક અને માનસિક રીતે ખૂબ જ થાકી જવાય છે. આથી નક્કી કર્યું કે જેટલું બને તેટલું જલ્દી થી ઘરે જવું. ઘેર જઇ ને થોડું આરામ કરવું, સારી રીતે જમવું. છોકરાંઓ જોડે રમવું અને થોડા દિવસ સામાન્ય દિનચર્યામાં જીવવું.
આને અમલીકૃત કરવા માટે મારા અધિકારીઓ ને આ વિચાર ને જાણ કરી અને કહ્યું કે ૧૫૦ દિવસ ઘણા થઇ જાય એક પણ રાજા વગર. ઘણા ખરા અધિકારીઓ મારા વિચાર સાથે સંમત થયા અને હવે બસ થોડા જ દિવસો માં ઘેર. અમુક અધિકારીઓ આવા વિચારથી ખુશ નહિ થાય પણ હું ખુશ છું કે આવો નિર્ણય હું સમય સર લઈ રહ્યો છું. કહેવા નો ભાવાર્થ એમ છે કે દરેક કામ શારીરિક અને માનસિક ક્ષમતા મુજબ થાય તો ખુબ જ સારું. એમાં જો અતિરેક કરવા માં આવે તો પરિણામ ખરાબ આવી શકે છે. આ ખરાબ પરિણામ જાત ને તંદુરસ્તી, માનસિક શાંતિ, સાથે કામ કરનારા કર્મચારીઓ અને પરિવાર માટે નુકસાન કારક છે. હું ખુશ છું કે મેં આ નિર્ણય લીધું
હવે હું અંદાજે ૧૫ - ૨૦ દિવસ વેલો ઘરે પહોચીશ. લગભગ આવતા અઠવાડીયે મારે હૈતી મુકવાનું થશે. ત્યાર બાદ એક અઠવાડિયું બ્રિટેન માં અને ત્યારબાદ ઘેર. અને હા, ઘેર જઇ ને સૌ થી પહેલા પાણી પૂરી . હા હા હા હા હા....... ઝીંદગી અદ્ભુત છે.
Friday, February 11, 2011
પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૪
આજે ૩૫ દિવસ બાકી રહ્યા છે હૈતીમાં અને ૪૨ દિવસ બાકી છે ઘરે પહોચવાને. આવું જ કંઇક મારો મિત્ર શ્રીદીપ મને કહેતો હતો. એ પણ લગભગ એ જ સમયે ઘરે જઈ રહ્યો છે. અમે એક વાતથી બહુજ ખુશ છીએ કે આ વખતનો વર્લ્ડ કપ ઘરે જોવા મળશે.
થોડા દિવસો પહેલા અમે વાતો કરતા હતા કે હવે ટીમે આવી ગયો છે કે ઇન્ડિયામાં પાછા જઈએ અને પરિવાર સાથે રહીએ. પણ એ જ સવાલ આવેને ઉભો રહે છે કે ત્યાં જઈ ને કરશું શું? આટલો પગાર આપે એવી નૌકરી માંડવી મુશ્કેલ છે. એ માટે અમદાવાદથી બહાર જવું તો પડે. આમારા ક્ષેત્રમાં આવી નૌકરી દેલ્હી જેવા શહેરમાં મળે પણ ત્યાંના ખર્ચા ઘણા. બીજો રસ્તો એ કે અમે કોઈ ધંધો કરીએ. મગજમાં વિચારો તો ઘણા આવે છે. એમાંથી અમુક વિચારો તો ખુબજ સારા હોય છે અને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આજે આપને આવા જ મગજ ના વિચાર ને વાત કરું. આ વિચારથી હું, શ્રીદીપ અને કમલેશ બહુજ ખુશ છીએ. કમલેશ અમારો ત્રીજો અમદાવાદી મિત્ર છે જે હાલમાં મારી સાથે હૈતીમાં બીજે એક સંસ્થા સાથે કામ કરે છે.
મારી ઈચ્છા એવી છે કે હું અમદાવાદ માં એક ફાસ્ટ ફૂડની દુકાન ચાલુ કરું. આ ફાસ્ટ ફૂડ માં અમે ત્રણે મિત્રો અમારી મન પસંદ વસ્તુઓ લોકોને આપશું. જેમ કે મારી મન પસંદ પાણીપુરી (ભાત ભાત ને પાણી પૂરી એક સ્થાને) , કમલેશ ના મન પસંદ વડા (તમામ જાત ના વાળા એક જ સ્થાને) અને શ્રીદીપને મન પસંદ બધી જાતની ચાટ. આ બધું અમે એક સ્થાને બનાવશું. જો આમાં સફળતા મળે તો પછી અમદાવાદમાં ૧૦ - ૧૨ સ્થાને એના વેચાણ કેન્દ્ર ઉભા કરીશું. આ બધું અમે લોકોને સારી ગુણવત્તા અને સ્વાદને ધ્યાનમાં રાખીને કરીશું. આ કરવામાં અમને પૈસા કમાવા કરતા અમારી મન પસંદ વસ્તુઓ લોકો ને ખવડાવામાં વધુ રસ હશે. અને મને ખાતરી છે કે આ મારા બંને મિત્રો મારી જેમ અમારા પરિવાર, મિત્રો અને અડોશી પાડોશી ને મફત માં જલસા કરાવશું.
આ તો આજે જરા અમે મિત્રો વાત-વાતમાં થોડા વિચારો ના ચગડોળે ચડ્યો તો ને ..........
થોડા દિવસો પહેલા અમે વાતો કરતા હતા કે હવે ટીમે આવી ગયો છે કે ઇન્ડિયામાં પાછા જઈએ અને પરિવાર સાથે રહીએ. પણ એ જ સવાલ આવેને ઉભો રહે છે કે ત્યાં જઈ ને કરશું શું? આટલો પગાર આપે એવી નૌકરી માંડવી મુશ્કેલ છે. એ માટે અમદાવાદથી બહાર જવું તો પડે. આમારા ક્ષેત્રમાં આવી નૌકરી દેલ્હી જેવા શહેરમાં મળે પણ ત્યાંના ખર્ચા ઘણા. બીજો રસ્તો એ કે અમે કોઈ ધંધો કરીએ. મગજમાં વિચારો તો ઘણા આવે છે. એમાંથી અમુક વિચારો તો ખુબજ સારા હોય છે અને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આજે આપને આવા જ મગજ ના વિચાર ને વાત કરું. આ વિચારથી હું, શ્રીદીપ અને કમલેશ બહુજ ખુશ છીએ. કમલેશ અમારો ત્રીજો અમદાવાદી મિત્ર છે જે હાલમાં મારી સાથે હૈતીમાં બીજે એક સંસ્થા સાથે કામ કરે છે.
મારી ઈચ્છા એવી છે કે હું અમદાવાદ માં એક ફાસ્ટ ફૂડની દુકાન ચાલુ કરું. આ ફાસ્ટ ફૂડ માં અમે ત્રણે મિત્રો અમારી મન પસંદ વસ્તુઓ લોકોને આપશું. જેમ કે મારી મન પસંદ પાણીપુરી (ભાત ભાત ને પાણી પૂરી એક સ્થાને) , કમલેશ ના મન પસંદ વડા (તમામ જાત ના વાળા એક જ સ્થાને) અને શ્રીદીપને મન પસંદ બધી જાતની ચાટ. આ બધું અમે એક સ્થાને બનાવશું. જો આમાં સફળતા મળે તો પછી અમદાવાદમાં ૧૦ - ૧૨ સ્થાને એના વેચાણ કેન્દ્ર ઉભા કરીશું. આ બધું અમે લોકોને સારી ગુણવત્તા અને સ્વાદને ધ્યાનમાં રાખીને કરીશું. આ કરવામાં અમને પૈસા કમાવા કરતા અમારી મન પસંદ વસ્તુઓ લોકો ને ખવડાવામાં વધુ રસ હશે. અને મને ખાતરી છે કે આ મારા બંને મિત્રો મારી જેમ અમારા પરિવાર, મિત્રો અને અડોશી પાડોશી ને મફત માં જલસા કરાવશું.
આ તો આજે જરા અમે મિત્રો વાત-વાતમાં થોડા વિચારો ના ચગડોળે ચડ્યો તો ને ..........
................... હા બાકી આજે કમલેશે "વેજીટેબલ-જયપૂરી" સરસ બનાવી હતી. આવું સરસ ૫ મહિના પછી જમ્યા જમ્યા બાદ પેટમાં અને દિલમાં ખુબ જ મજા છે. આનંદ આનંદ ને લાગણી છે.
Sunday, February 6, 2011
અંતરની વાણી - હું એક પગારદાર નાગરિક
હું ભારતનો એક પગારદાર નાગરિક છું. હું એવી નૌકરી કરું છું કે જેને "સમાજ સેવા" તરીકે લોકો ઓળખે છે. આવી નૌકરીઓ આકર્ષક નૌકરી તરીકે બહુ પ્રચલિત નથી પરંતુ સમાજના એક બહુજ સામાન્ય ભાગ સ્વરૂપે જોવામાં આવે છે.
હું દરેક ભારતીય પગારદાર નાગરિક તરીકે દરેક કાનૂન નું પાલન કરું છું અને મને લાગુ પડતા તમામ કર સમય સર ચૂકવું છું. એવું લાગે છે કે ભારતના બધા કાનુન પગારદાર વ્યક્તિને ધ્યાનમાં રાખેને બનવામાં આવે છે. અપરાધીઓ, ગુંડાઓ, નેતાઓ, વગેરે આ બધા કર અને કાનુનથી બહાર જ રહેતા હોય છે. એટલે, કર અને કાનુન મારા મુજબ ફક્ત ભારતના પગારદાર નાગરિક માટે જ છે.
હું એક પગારદાર નાગરિક તરીકે મને લાગુ પડતા તમામ કર અદા કરું છું. આમ તો આ કર મારા પગાર માં થી સીધે સીધો કાપી જવો જોઈએ, પણ મને પગાર બ્રિટેનથી મળતો હોવાથી મારે અગ્રીમ કર તરીકે જમા કરવો પડે છે. એ પણ વરસ માં ત્રણ વખત. અમુક નિષ્ણાતો ની સલાહ મુજબ મારે કર અદા કરવાનું નથી કારણ કે હું ભારતમાં ૧૮૩ દિવસથી વધુ દિવસો બહાર રહું છું અને મારી આવક બ્રિટેનમાંથી છે. ગયા વર્ષે જ ખબર પડી કે નિયમ માં હજુ થોડું વધારે ગુચવાડો છે. એ નિયમ મુજબ જો હું પાછલા ૪ વર્ષ માં ૩૬૫ દિવસ થી વધુ ના રહ્યો હોઉં તો જ મારે કર અદા ના કરવું. નહીતર કર અદા કરવું. મેં આ વિષે જયારે આયકર અધિકારીને પૂછ્યું તો એમણે જણાવ્યું કે મારે કોઈ કર નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હું લગભગ ૧૦ જેટલા કર નિષ્ણાત પાસે ગયો. દરેક ને સલાહ જુદી. કારણ જુદા અને રસ્તા જુદા. મેં નક્કી કર્યું કે હું એક પગારદાર નાગરિક તરીકે હું કર અદા કરીશ. હું દરેક વર્ષે મારી આવક અને નાણાંનું ખુબ જ સમઝ પૂર્વક અને નિષ્ણાતોની સલાહ મુજબ આયોજન કરું છું. બરોબર આવી જ રીતે માનનીય નાણાં મંત્રીશ્રી પણ મારા જેવા તમામ પગારદાર વર્ગનું નાણાકીય આયોજન નિષ્ફળ કરવા માટે આયોજન પૂર્વક તૈયાર હોય છે. આ એક માત્ર સૌથી મોટી આવક છે ભારત સરકારની "ડાઈરેક્ટ - ટેક્ષ" તરીકે. ભારત માં મારી જેવા ૩.૫ કરોડ પગારદાર લ્કોક છે જેઓ કર અદા કરે છે, એટલે કે ભારતની ૧૨૦ કરોડ ને વસ્તીમાંના અંદાજે ૩% લોકો. બાકીના લોકો શું કર અદા નથી કરતા?
હું એક પગારદાર નાગરિક તરીકે સફેદ નાણું કમાવું છું. બાકી ઘણી ખરી જગ્યાએ કાળું નાણું રાજ કરે છે. કદાચ ભારત સરકાર અને આપના દેશના નાણાં મંત્રીશ્રીનું એવું માનવું છે કે આ કાળું નાણું ભારતમાં છે જ નહિ. એટલે જેમ બને તેમ અને જેટલું બને તેટલું આ પગારદાર વર્ગ પાસેથી જ કર ઉઘરાવવું. કોઈ એવું માનવા તૈયાર જ નથી કે ભારતમાં કાળા નાણાં અને સફેદ નાણાંની સમાન અર્થવ્યસ્થા ચાલે છે. કાળા નાણાંને સફેદ કરવા અથવા સફેદ નાણાંને કાળા કરવા માટે નિષ્ણાતો છે. એક સામાન્ય પગારદાર વ્યક્તિ તરીકે હું મારી બેંકમાં થી ૫૦,૦૦૦ રૂપિયા રોકડા તરીકે ઉપાડું છું તો બેંક થી માંડી ને કર વિભાગ ની નજર મારી તરફ હોય છે. અમીર લોકો પાસે તો હવાલા, સોનું, જમીન જાયદાદ અને સ્વીસ બેંકનો રસ્તો છે. પગારદાર વ્યક્તિ તો ફક્ત બેંકમાંથી જ ઉપાડી શકે છે. કારણ કે એનો પગાર ૧૦૦% બેંકમાં જ જમા થાય છે.
હું એક પગારદાર નાગરિક તરીકે મને લાગુ પડતા તમામ કરો ઉપરાંત દરેક જાતના ટેક્ષ પણ ભરું છું - જેમ કે "સર્વિસ-ટેક્ષ," "વેલ્યુ-એડેડ-ટેક્ષ" અને "સેન્ટ્રલ એક્ષેસ કર" પણ હું ચૂકવું છું. "ડાઈરેક્ટ ટેક્ષ" અથવા "ઇન ડાઈરેક્ટ ટેક્ષ" તરીકે મારે કર અદા કરવો જ પડે છે. દાખલા તરીકે દવાઓ લેતી વખતે દવાવાળા મારા બીલમાં બધી જાતના કર ઉપરાંત સ્થાનિક કર પણ ઉમેરે છે. જો હું આ કર અદા ના કરું તો મને દવા પણના મળે. અને બને ત્યાં સુધી હું બીલ વગર હું કોઈ ખરીદી કરવાનું ઓછુ પસંદ કરું છું.
હું એક પગારદાર નાગરિક. મારી જાતને હું એક પેઢી તરીકે પણ નહિ બદલી શકું જેમ ઘણા લોકો કરે જાય છે. જો હું મારી જાત ને "પગારદાર નાગરિક વ્યસાયિક લીમીટેડ" તરીકે રજુ કરું તો મારું માનવું છે કે બીજા જ દિવસ થી હું આ બધી જંજાળથી બારે હોઈશ. ફક્ત એટલું જ કરવાનું કે દર વર્ષના અંતે મારે થોડું નુકસાન બતાવાનું અને તેનું માર્ગદર્શન માટે ઘણા નિષ્ણાતો છે. અંતે મને આમ કરવાથી કર અદા કરવું અને પછી આયકર વિભાગના સવાલ જવાબ અને અંતે તેમની માંગો કરતા તો સસ્તું જ પડશે.
હું એક પગારદાર નાગરિક. મારી કોઈ પ્રકાર ના સમાજ ના વર્ગમાં નથી, કોઈ જાતી નથી (સામાન્ય શ્રેણીમાં છું), કોઈ પણ પ્રકારના "વોટ બેંક"માં શામેલ નથી અને કદી કોમી રમખાણમાં ભાગ નથી લીધું. આથી હું કોઈ પણ નેતા દ્વારા તેમની "વોટ બેંક"માં શામેલ નથી અને તેથી મને ખબર છે કે આ કર અને કાયદો કદી બદલવાનું નથી. અને મને મારી જવાબદારીઓ યાદ આપવા માટે પણ લોકો છે.
હું એક પગારદાર નાગરિક..........
હું દરેક ભારતીય પગારદાર નાગરિક તરીકે દરેક કાનૂન નું પાલન કરું છું અને મને લાગુ પડતા તમામ કર સમય સર ચૂકવું છું. એવું લાગે છે કે ભારતના બધા કાનુન પગારદાર વ્યક્તિને ધ્યાનમાં રાખેને બનવામાં આવે છે. અપરાધીઓ, ગુંડાઓ, નેતાઓ, વગેરે આ બધા કર અને કાનુનથી બહાર જ રહેતા હોય છે. એટલે, કર અને કાનુન મારા મુજબ ફક્ત ભારતના પગારદાર નાગરિક માટે જ છે.
હું એક પગારદાર નાગરિક તરીકે મને લાગુ પડતા તમામ કર અદા કરું છું. આમ તો આ કર મારા પગાર માં થી સીધે સીધો કાપી જવો જોઈએ, પણ મને પગાર બ્રિટેનથી મળતો હોવાથી મારે અગ્રીમ કર તરીકે જમા કરવો પડે છે. એ પણ વરસ માં ત્રણ વખત. અમુક નિષ્ણાતો ની સલાહ મુજબ મારે કર અદા કરવાનું નથી કારણ કે હું ભારતમાં ૧૮૩ દિવસથી વધુ દિવસો બહાર રહું છું અને મારી આવક બ્રિટેનમાંથી છે. ગયા વર્ષે જ ખબર પડી કે નિયમ માં હજુ થોડું વધારે ગુચવાડો છે. એ નિયમ મુજબ જો હું પાછલા ૪ વર્ષ માં ૩૬૫ દિવસ થી વધુ ના રહ્યો હોઉં તો જ મારે કર અદા ના કરવું. નહીતર કર અદા કરવું. મેં આ વિષે જયારે આયકર અધિકારીને પૂછ્યું તો એમણે જણાવ્યું કે મારે કોઈ કર નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હું લગભગ ૧૦ જેટલા કર નિષ્ણાત પાસે ગયો. દરેક ને સલાહ જુદી. કારણ જુદા અને રસ્તા જુદા. મેં નક્કી કર્યું કે હું એક પગારદાર નાગરિક તરીકે હું કર અદા કરીશ. હું દરેક વર્ષે મારી આવક અને નાણાંનું ખુબ જ સમઝ પૂર્વક અને નિષ્ણાતોની સલાહ મુજબ આયોજન કરું છું. બરોબર આવી જ રીતે માનનીય નાણાં મંત્રીશ્રી પણ મારા જેવા તમામ પગારદાર વર્ગનું નાણાકીય આયોજન નિષ્ફળ કરવા માટે આયોજન પૂર્વક તૈયાર હોય છે. આ એક માત્ર સૌથી મોટી આવક છે ભારત સરકારની "ડાઈરેક્ટ - ટેક્ષ" તરીકે. ભારત માં મારી જેવા ૩.૫ કરોડ પગારદાર લ્કોક છે જેઓ કર અદા કરે છે, એટલે કે ભારતની ૧૨૦ કરોડ ને વસ્તીમાંના અંદાજે ૩% લોકો. બાકીના લોકો શું કર અદા નથી કરતા?
હું એક પગારદાર નાગરિક તરીકે સફેદ નાણું કમાવું છું. બાકી ઘણી ખરી જગ્યાએ કાળું નાણું રાજ કરે છે. કદાચ ભારત સરકાર અને આપના દેશના નાણાં મંત્રીશ્રીનું એવું માનવું છે કે આ કાળું નાણું ભારતમાં છે જ નહિ. એટલે જેમ બને તેમ અને જેટલું બને તેટલું આ પગારદાર વર્ગ પાસેથી જ કર ઉઘરાવવું. કોઈ એવું માનવા તૈયાર જ નથી કે ભારતમાં કાળા નાણાં અને સફેદ નાણાંની સમાન અર્થવ્યસ્થા ચાલે છે. કાળા નાણાંને સફેદ કરવા અથવા સફેદ નાણાંને કાળા કરવા માટે નિષ્ણાતો છે. એક સામાન્ય પગારદાર વ્યક્તિ તરીકે હું મારી બેંકમાં થી ૫૦,૦૦૦ રૂપિયા રોકડા તરીકે ઉપાડું છું તો બેંક થી માંડી ને કર વિભાગ ની નજર મારી તરફ હોય છે. અમીર લોકો પાસે તો હવાલા, સોનું, જમીન જાયદાદ અને સ્વીસ બેંકનો રસ્તો છે. પગારદાર વ્યક્તિ તો ફક્ત બેંકમાંથી જ ઉપાડી શકે છે. કારણ કે એનો પગાર ૧૦૦% બેંકમાં જ જમા થાય છે.
હું એક પગારદાર નાગરિક તરીકે મને લાગુ પડતા તમામ કરો ઉપરાંત દરેક જાતના ટેક્ષ પણ ભરું છું - જેમ કે "સર્વિસ-ટેક્ષ," "વેલ્યુ-એડેડ-ટેક્ષ" અને "સેન્ટ્રલ એક્ષેસ કર" પણ હું ચૂકવું છું. "ડાઈરેક્ટ ટેક્ષ" અથવા "ઇન ડાઈરેક્ટ ટેક્ષ" તરીકે મારે કર અદા કરવો જ પડે છે. દાખલા તરીકે દવાઓ લેતી વખતે દવાવાળા મારા બીલમાં બધી જાતના કર ઉપરાંત સ્થાનિક કર પણ ઉમેરે છે. જો હું આ કર અદા ના કરું તો મને દવા પણના મળે. અને બને ત્યાં સુધી હું બીલ વગર હું કોઈ ખરીદી કરવાનું ઓછુ પસંદ કરું છું.
હું એક પગારદાર નાગરિક. મારી જાતને હું એક પેઢી તરીકે પણ નહિ બદલી શકું જેમ ઘણા લોકો કરે જાય છે. જો હું મારી જાત ને "પગારદાર નાગરિક વ્યસાયિક લીમીટેડ" તરીકે રજુ કરું તો મારું માનવું છે કે બીજા જ દિવસ થી હું આ બધી જંજાળથી બારે હોઈશ. ફક્ત એટલું જ કરવાનું કે દર વર્ષના અંતે મારે થોડું નુકસાન બતાવાનું અને તેનું માર્ગદર્શન માટે ઘણા નિષ્ણાતો છે. અંતે મને આમ કરવાથી કર અદા કરવું અને પછી આયકર વિભાગના સવાલ જવાબ અને અંતે તેમની માંગો કરતા તો સસ્તું જ પડશે.
હું એક પગારદાર નાગરિક. મારી કોઈ પ્રકાર ના સમાજ ના વર્ગમાં નથી, કોઈ જાતી નથી (સામાન્ય શ્રેણીમાં છું), કોઈ પણ પ્રકારના "વોટ બેંક"માં શામેલ નથી અને કદી કોમી રમખાણમાં ભાગ નથી લીધું. આથી હું કોઈ પણ નેતા દ્વારા તેમની "વોટ બેંક"માં શામેલ નથી અને તેથી મને ખબર છે કે આ કર અને કાયદો કદી બદલવાનું નથી. અને મને મારી જવાબદારીઓ યાદ આપવા માટે પણ લોકો છે.
હું એક પગારદાર નાગરિક..........
Friday, February 4, 2011
નવી પેઢી - મંથન
"નવી ઉછરતી પેઢી સામે મોટામાં મોટું જોખમ છે..આગલી પેઢીના વર્તનના ઉદાહરણો"
જ્યારથી મેં આ વાંચ્યું છે, સમઝ વાની કોશિશ કરી રહ્યો છું. ઘણા વિચારો આવે છે.
Wednesday, February 2, 2011
અમે છીએને
ચાલો થોડું માણસ - માણસ રમીએ,
નમીએ, ખમીએ, એક બીજાને ગમીએ.
સુખ - દુઃખ માં એક બીજાને કહીએ,
" તમે ફિકર ના કરો, અમે છીએને. "
નમીએ, ખમીએ, એક બીજાને ગમીએ.
સુખ - દુઃખ માં એક બીજાને કહીએ,
" તમે ફિકર ના કરો, અમે છીએને. "
Tuesday, February 1, 2011
પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ 3
ચાલો આજે હું આપ સહુને મારી હૈતીની સામાન્ય દિન ચર્યા વિષે વાત કરું. ખાસ કારણ એ કે મને પાછલા ૬ વર્ષોમાં મોટા શહેર રહીને કામ કરવા ને તકો બહુ ઓછી મળી છે. સામાન્ય રીતે મારું કામ ગામડાઓમાં અને અસામાન્ય પરિસ્થિતિઓમાં હોય છે.
હું પોર્ટ-ઔ-પ્રિન્સ માં રહું છું. હૈતી ને ૩૪% આબાદી અહી વસે છે. દરેક મોટા શહેર ને જેમ વિશાળ ઈમારતો (જેમાંથી થોડી ઘણી તૂટેલી હાલત માં દેખાય છે - અને કદાચ ઘણી ઇમારતો પડી ગઈ હશે ભૂકંપ દરમિયાન), સુપર માર્કેટ, ટ્રાફિકજામ, આડી-આવડી અને વાંકી-ચુકી શેરીઓ, વગેરે વગેરે બધું જ છે. આ સિવાય અહી ની રાત્રી ની ઝીંદગી પણ ખૂબ જ જીવંત છે. ક્લબ, ડાન્સ બાર અને પાર્ટી અહીની રાત્રી જીવંત રાખે છે.
આ શહેર બે દેશો થે ખૂબ જ પ્રભાવિત છે. પ્રથમ તો અમેરિકા અને બીજું ફ્રાંસ. અહીની ભાષા ક્રેઓલ છે જે ફ્રેંચ ભાષાને મળતી આવે છે. પણ દરેક વ્યક્તિ મને અમેરિકા થી ખૂબ જ પ્રભાવિત લાગે છે. દરેકની જીવન શૈલીમાં, બોલવા ને રીતમાં, કપડા પહેરવામાં અને સપનામાં અમેરિકા દેખાય છે.
હવે મારી વાત - મને રહેવા માટે એક સરસ મજાનું મોટું એવું મકાન મળ્યું છે. જેમાં ૩ રૂમો છે. આ ઘર માં અમે ૩ સાથીઓ રહીએ છીએ. મારો એક સાથી રવાન્ડા નો છે અને બીજો સાથી પંજાબી છે. ઘરમાં એક સરસ મજા નું ધાબુ છે જ્યાં અમે સાંજ નો આનંદ લઈએ છીએ. અમે ત્રણે મિત્રો અવાર નવાર ધાબા પર બેસીને મોડી સાંજથી રાત સુધી અલક મલકની વાતો કરીએ છીએ. અમારો પંજાબી સાથી ગઝલો વગાડે છે અને અમારો રવાન્ડા નો સાથે તેની પર આફ્રિકન ન્રિત્ય કરે છે અને મને ખુલા આકાશમાં જોયા કરવા નો ઘણો જ આનંદ આવે છે. ક્યારેક મને એવું લાગે છે કે જાણે આ બધું જે ગઝલોમાં બોલે છે એ સાચું પણ હોય છે. ચાંદની રાતો, ખુલા આસમાન, તારાઓ, ઠંડી મજાની પવન, આરામ ખુરસીમાં કોઈ જાતની ચિંતા વગર આરામ કરવું, સરસ મજાના ગીતો ગાવા, ખીચડી ખાધા પછીનો આનંદ. કેવી મજાની લાઈફ છે.
દિનચર્યા - સાવ સામાન્ય છે. સવારે ૫.૩૦ વાગે ઊઠવાનું. નહાઈને થોડી હળવી કસરત કરવાની (આ વખતે નક્કી કર્યું છે કે ઘરે જવા પેલા મારા કમરાને કમર બનાવીસ), લીંબૂ અને મધ નવસેકા પાણીમાં પીવાનું. ૭ વાગે ઓફીસ જવાનું. સાંજે ૫ વાગે જીમ જવાનું. ત્યાં ૨ કલાક મસ્તી થી કસરત કરવાની. સાચે કહું તો મને ત્યાં જે ફ્રેંચ મુઝીક વગાડે છે અને એને ધૂન માં બધા કસરત કરે છે એની ખાસ મજા આવે છે. ત્યાર બાદ ઘરે ૮ વાગે પહોચે ને પહેલા ખીચડી અથવા મકાઈની ફાડા ખીચડી (જેની અંદર ડુંગરી લસણ આદુનો વઘાર હોય અને થોડી થોડી દાળ, સાક બધું જ હોય) કૂકર માં મૂકું. ત્યાર બાદ સરસ મજા નું સ્નાન કરું. અને પછી અમે ત્રણે સાથીઓ ભેગા બેસી ને જમીએ. ત્યાર બાદ જેવી પરિસ્થિતિ. ક્યારેક પોત પોતાના રૂમ માં સુવા ચાલ્યા જઈએ અને ક્યારેક ધાબા પર બેસી ને ગપ્પા મારીએ.
સામાન્ય રીતે અહી ખાવા માટે કઈ ખાસ વાંધો આવે એમ નથી. શાકાહારી તરીકે જીવવું હોય તો જીવી શકાય એમ છે. હા, થોડે બાંધછોડ કરવી પડે. આંખ આડા કાન કરવા પડે. થોડા દિવસ પહેલા બપોરની વાત કહું તો અમારી ઓફીસ ને બાર એક જગ્યા પર જમવા નું મળે છે. આ બેન મારા લંચ પેકેટમાં પેલા ભાત નાખ્યા, ત્યાર બાદ રાજમાં ને કઢી નાખવા માટે ચમચુ પેલા મટન કે ચીકન વાર તપેલામાંથી કાઢીને ઉપયોગ કર્યું. મેં ઈ પેકેટ મારા એક સાથીદારને આપે દીધું. પછી પ્રેમ થી બિસ્કીટ નું પડીકું લાયો અને જલસા કર્યા. જો રસોઈ બનાવતા આવડે તો હૈતી માં શાકાહારી તરીકે રહેવું ઘણું મુશ્કિલ તો નથી. મારા લગભગ બધા સાથીઓ મારે ત્યાં જમવા આવા માટે તૈયાર હોય છે. બધાને આપનું ઇન્ડિયન ફૂડ બહુ જ પસંદ પડે છે.
વધુ આવતા અંકે.....
હવે મારી વાત - મને રહેવા માટે એક સરસ મજાનું મોટું એવું મકાન મળ્યું છે. જેમાં ૩ રૂમો છે. આ ઘર માં અમે ૩ સાથીઓ રહીએ છીએ. મારો એક સાથી રવાન્ડા નો છે અને બીજો સાથી પંજાબી છે. ઘરમાં એક સરસ મજા નું ધાબુ છે જ્યાં અમે સાંજ નો આનંદ લઈએ છીએ. અમે ત્રણે મિત્રો અવાર નવાર ધાબા પર બેસીને મોડી સાંજથી રાત સુધી અલક મલકની વાતો કરીએ છીએ. અમારો પંજાબી સાથી ગઝલો વગાડે છે અને અમારો રવાન્ડા નો સાથે તેની પર આફ્રિકન ન્રિત્ય કરે છે અને મને ખુલા આકાશમાં જોયા કરવા નો ઘણો જ આનંદ આવે છે. ક્યારેક મને એવું લાગે છે કે જાણે આ બધું જે ગઝલોમાં બોલે છે એ સાચું પણ હોય છે. ચાંદની રાતો, ખુલા આસમાન, તારાઓ, ઠંડી મજાની પવન, આરામ ખુરસીમાં કોઈ જાતની ચિંતા વગર આરામ કરવું, સરસ મજાના ગીતો ગાવા, ખીચડી ખાધા પછીનો આનંદ. કેવી મજાની લાઈફ છે.
દિનચર્યા - સાવ સામાન્ય છે. સવારે ૫.૩૦ વાગે ઊઠવાનું. નહાઈને થોડી હળવી કસરત કરવાની (આ વખતે નક્કી કર્યું છે કે ઘરે જવા પેલા મારા કમરાને કમર બનાવીસ), લીંબૂ અને મધ નવસેકા પાણીમાં પીવાનું. ૭ વાગે ઓફીસ જવાનું. સાંજે ૫ વાગે જીમ જવાનું. ત્યાં ૨ કલાક મસ્તી થી કસરત કરવાની. સાચે કહું તો મને ત્યાં જે ફ્રેંચ મુઝીક વગાડે છે અને એને ધૂન માં બધા કસરત કરે છે એની ખાસ મજા આવે છે. ત્યાર બાદ ઘરે ૮ વાગે પહોચે ને પહેલા ખીચડી અથવા મકાઈની ફાડા ખીચડી (જેની અંદર ડુંગરી લસણ આદુનો વઘાર હોય અને થોડી થોડી દાળ, સાક બધું જ હોય) કૂકર માં મૂકું. ત્યાર બાદ સરસ મજા નું સ્નાન કરું. અને પછી અમે ત્રણે સાથીઓ ભેગા બેસી ને જમીએ. ત્યાર બાદ જેવી પરિસ્થિતિ. ક્યારેક પોત પોતાના રૂમ માં સુવા ચાલ્યા જઈએ અને ક્યારેક ધાબા પર બેસી ને ગપ્પા મારીએ.
સામાન્ય રીતે અહી ખાવા માટે કઈ ખાસ વાંધો આવે એમ નથી. શાકાહારી તરીકે જીવવું હોય તો જીવી શકાય એમ છે. હા, થોડે બાંધછોડ કરવી પડે. આંખ આડા કાન કરવા પડે. થોડા દિવસ પહેલા બપોરની વાત કહું તો અમારી ઓફીસ ને બાર એક જગ્યા પર જમવા નું મળે છે. આ બેન મારા લંચ પેકેટમાં પેલા ભાત નાખ્યા, ત્યાર બાદ રાજમાં ને કઢી નાખવા માટે ચમચુ પેલા મટન કે ચીકન વાર તપેલામાંથી કાઢીને ઉપયોગ કર્યું. મેં ઈ પેકેટ મારા એક સાથીદારને આપે દીધું. પછી પ્રેમ થી બિસ્કીટ નું પડીકું લાયો અને જલસા કર્યા. જો રસોઈ બનાવતા આવડે તો હૈતી માં શાકાહારી તરીકે રહેવું ઘણું મુશ્કિલ તો નથી. મારા લગભગ બધા સાથીઓ મારે ત્યાં જમવા આવા માટે તૈયાર હોય છે. બધાને આપનું ઇન્ડિયન ફૂડ બહુ જ પસંદ પડે છે.
વધુ આવતા અંકે.....
Monday, January 31, 2011
પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૨
પાછલા ૪ - ૫ મહિનામાં મને જાત-જાતની જવાબદારીઓ આપવામાં આવી. શરૂઆતમાં મને કેપેસીટી બિલ્ડર તરીકે પોર્ટ-ઔ-પ્રિન્સ ટીમ સાથે કામ કરવાની જવાબદારી આપી. અહી મારું કામ મારી ટીમ સાથે મળીને અમારી ૬ સાથી સંસ્થાઓની ક્ષમતા વિકાસ કરવાની હતી. લગભગ એક મહિનામાં આ કામ પૂરું કર્યું. કોલેરા મહામારી ફાટી નીકળતા મને તાત્કાલિક "અર્તીબોનીત" નામના વિસ્તારમાં મોકલવામાં આવ્યું. આર્તીબોનીત એક ગ્રામિણ વિસ્તાર હતું. આ વિસ્તારમાં મેં લગભગ ૩૪ દિવસ કામ કર્યું. આ દિવસો દરમિયાન મેં અંદાઝે ૧૨૮ ગ્રામોની મુલાકાત લીધી. મુખ્ય કામ લોકો માં સ્વચ્છ પાણી, સંડાસ નો ઉપયોગ અને હાથ ધોવા વિષે જાગૃતિ લાવાનું અને આમ કરવા માટે બને તેટલી મદદ કરવી. આ ૩૪ દિવસોમાં ૩૨,૦૦૦ ઘરોને કોલેરાથી બચવા માટે જરૂરી વસ્તુઓ જેમ કે ક્લોરીન ટીકડી, સાબૂ, બાલદી, વગેરે આપી. આ સિવાય તે વિસ્તાર ના રેડીઓ પર સતત કોલેરા વિષે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો અને જાહેરાતો કરી. અઠવાડીક બજાર માં પણ માઈક પર જાહેરાતો કરી. સતત જાહેર સભાઓનું આયોજન કર્યું.
મને યાદ છે મારી પહેલી જાહેર સભા. જેવી મેં સભા ચાલુ કરી, ત્યાં અંદાઝે ૪૦૦ થે ૫૦૦ લોકો હતા, એક વ્યક્તિ એ સભા માં આયો અને મોટે થી રડવા લાગ્યો. કારણ પૂછતા એણે જણાવ્યું કે એના ભાઈનું દવાખાનામાં હમણાં જ અવસાન પામ્યો અને એનું કારણ કોલેરા હતું. જરા એ ભાઈને સાંત્વના આપીને એને દવાખાને રવાના કર્યો. આ ઘટના ની મારી સભા પર સરે અસર પડી. મેં નક્કી કર્યું કે આ ઘટના વિષે વ્યવસ્થિત રીતે ચર્ચા કરવાથી લોકોમાં જાગૃતિ જરૂર આવશે અને બીજા લોકોને મારતા બચાવી શકાય. પરિણામ સારું આવ્યું. આ મોટા ટોળાને મારે વાત માં રસ પડ્યો. બધા એ મારે વાત શાંતિથી સાંભળી.
ચર્ચા સમયે હું લોકોની કોલેરા વિષે ગેરસમઝ તથા અફવાઓનું પ્રમાણ જોઈ ને થોડો ચિંતિત થયો. મેં જયારે પૂછ્યું કે કોલેરા થવાના કારણો શું છે અને જવાબો આવા હતા.
આ ૩૪ દિવસ પછી મને પોર્ટ-ઔ-પ્રિન્સ પાછુ બોલવામાં આવું. અહી મને જાહેર આરોગ્ય ના કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી સોપવામાં આવી. આ ફરજ મારે ફેબ્રુઅરી ૨૦ સુધી બજાવાની છે. ત્યાર બાદ મારે ૨૦મી માર્ચ સુધી કોલેરા કો-ઓર્ડીનેટર તરીકે કામ કરવાનું રહેશે.
વધુ આવતા અંકે.....
મને યાદ છે મારી પહેલી જાહેર સભા. જેવી મેં સભા ચાલુ કરી, ત્યાં અંદાઝે ૪૦૦ થે ૫૦૦ લોકો હતા, એક વ્યક્તિ એ સભા માં આયો અને મોટે થી રડવા લાગ્યો. કારણ પૂછતા એણે જણાવ્યું કે એના ભાઈનું દવાખાનામાં હમણાં જ અવસાન પામ્યો અને એનું કારણ કોલેરા હતું. જરા એ ભાઈને સાંત્વના આપીને એને દવાખાને રવાના કર્યો. આ ઘટના ની મારી સભા પર સરે અસર પડી. મેં નક્કી કર્યું કે આ ઘટના વિષે વ્યવસ્થિત રીતે ચર્ચા કરવાથી લોકોમાં જાગૃતિ જરૂર આવશે અને બીજા લોકોને મારતા બચાવી શકાય. પરિણામ સારું આવ્યું. આ મોટા ટોળાને મારે વાત માં રસ પડ્યો. બધા એ મારે વાત શાંતિથી સાંભળી.
ચર્ચા સમયે હું લોકોની કોલેરા વિષે ગેરસમઝ તથા અફવાઓનું પ્રમાણ જોઈ ને થોડો ચિંતિત થયો. મેં જયારે પૂછ્યું કે કોલેરા થવાના કારણો શું છે અને જવાબો આવા હતા.
- ભાત ખાવા થી કોલેરા થાય.
- નદી નું પાણી પીવા થી થાય છે
- શહેર ના લોકો અમને પસંદ નથી કરતા એટલે એમને આવું કર્યું છે.
- બાજુના દેશથી લોકોએ હેલીકોપ્ટર દ્વારા અમારી નદીમાં કશું નાખવામાં આવ્યું છે.
- નેપાળી લોકોએ આ બીમારી ફેલાવી છે.
- શાક ભાજી ખાવા થી થાય છે.
- વગેરે વગેરે.
આ ૩૪ દિવસ પછી મને પોર્ટ-ઔ-પ્રિન્સ પાછુ બોલવામાં આવું. અહી મને જાહેર આરોગ્ય ના કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી સોપવામાં આવી. આ ફરજ મારે ફેબ્રુઅરી ૨૦ સુધી બજાવાની છે. ત્યાર બાદ મારે ૨૦મી માર્ચ સુધી કોલેરા કો-ઓર્ડીનેટર તરીકે કામ કરવાનું રહેશે.
વધુ આવતા અંકે.....
Sunday, January 30, 2011
પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૧
આજે મને હૈતી માં ૧૫૪ દિવસ થઇ ગયા. હજુ ૫૪ દિવસ બાકી છે. આ વખતે સતત ૧૮૮ દિવસ ઘરથી દૂર રહેવાનું થયું. આજે ઘર ની બહુ યાદ આવે છે એટલે વિચાર આવ્યો કે ચાલો આજે હૈતી વિશે કશું લખી કાઢું.
૧૨ મી જાનુઆરી ૨૦૧૦ ના દિવસે હૈતી માં ભૂકંપ આવેલ. થોડા દિવસો પહેલા અમારી ઓફીસ માં પ્રથમ વર્ષગાંઠ "મૌન શ્રધાંજલિ" આપીને ઉજવી. બધા ના ચહેરા પર ભિન્ન ભિન્ન ભાવો હતા. લગભગ બધા ના મન માં એક જ વિચાર હતો. પાછલા એક વર્ષમાં કરેલ તમામ પ્રયત્નો અને આવતા સમયની જરૂરિયાતો. હા, પોતાના કોઈકને ગુમાવ્યાનું દુખ અને આંખોમાં આંસુ દરેક હૈતીવાસીના ચહેરા પર હતું. મેં ત્યારે હૈતીની પ્રથમ અને ગુજરાત ભૂકંપની ૧૦મી વર્ષગાંઠ ઉજવી. એ ભૂકંપ થી આ ભૂકંપ સુધીના સફર વિષે મનમાં થોડા દિવસો સુધી વિચાર્યું. એ સફર વિષે પછી ક્યારેક વાત કરીશું. આજે વાત કરીએ હૈતીની. આજે - ભૂકંપના એક વર્ષ પછીનું હૈતી.
૨૨૦,૦૦૦ લોકો એ જાન ગુમાવી
૩૦૦,૦૦૦ લોકો ઈજાગ્રસ્ત
૧૯૦,૦૦૦ ઘરોને સખત નુકસાન
૧,૫૦૦,૦૦૦ લોકો ભૂકંપ ના ૬ મહિના પછી પણ કેમ્પ માં રહે છે.
૧,૦૦૦,૦૦૦ લોકો ભૂકંપ ના ૧૧ મહિના પછી પણ કેમ્પ માં રહે છે.
૩૯૭૮ નિશાળોને સખત નુકસાન
આ એક વર્ષ માં આટલું ઓછુ હોય તેમ કોલેરા ને મહામારી ફાટી નીકળી. ઓક્ટોબર મહિના માં કોલેરા નો પ્રથમ કેસ ધ્યાન માં આવ્યા પછી આજ સુધીમાં અંદાજે ૨૦૦,૦૦૦ કેસ, જેમાંથી ૧૧૨૬૫૬ લોકો દવાખાનામાં દાખલ થયેલ અને ૪૦૦૦ લોકો ના મૌત થયા છે. સંયુક્ત રાષ્ટ્રના મુજબ કોલેરા મહામારીને પહોચી વળવા માટેની કુલ જરૂરિયાતના ફક્ત ૨૭% જ ફાળો ઉપલબ્ધ છે. કોલેરા જેવી મહામારી જલ્દીથી નાબૂદ થઇ જાય એવી શક્યતાઓ નહીવત છે. આ સિવાય ૧૫મે નવેમ્બર ના રોજ (હા જી દિવાળી ના દિવસે) "હોરીકન ટોમસ" નામ નું વાવાઝોડું આવેલ. આ દિવસ મેં એક હોટેલમાં પૂરાઈને વિતાવેલ. ઘર થી સતત ૩ વર્ષ દિવાળી સમયે હાજરના રહેવાથી મારું મજામાં નહોતું. તે દિવસે મારા એક સાથીએ મારી માટે મીણબત્તીઓ સળગાવીને મને દિવાળી ઉજવવા માટે પ્રેરિત કર્યું.
આજે પણ ૧૦ લાખ લોકો કેમ્પ માં રહે છે. કેમ્પમાં સંસ્થાઓ દ્વારા પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ કેમ્પ કેટલા સમય સુધે રહેશે એ બધા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે.
વધુ આવતા અંકે .....
૧૨ મી જાનુઆરી ૨૦૧૦ ના દિવસે હૈતી માં ભૂકંપ આવેલ. થોડા દિવસો પહેલા અમારી ઓફીસ માં પ્રથમ વર્ષગાંઠ "મૌન શ્રધાંજલિ" આપીને ઉજવી. બધા ના ચહેરા પર ભિન્ન ભિન્ન ભાવો હતા. લગભગ બધા ના મન માં એક જ વિચાર હતો. પાછલા એક વર્ષમાં કરેલ તમામ પ્રયત્નો અને આવતા સમયની જરૂરિયાતો. હા, પોતાના કોઈકને ગુમાવ્યાનું દુખ અને આંખોમાં આંસુ દરેક હૈતીવાસીના ચહેરા પર હતું. મેં ત્યારે હૈતીની પ્રથમ અને ગુજરાત ભૂકંપની ૧૦મી વર્ષગાંઠ ઉજવી. એ ભૂકંપ થી આ ભૂકંપ સુધીના સફર વિષે મનમાં થોડા દિવસો સુધી વિચાર્યું. એ સફર વિષે પછી ક્યારેક વાત કરીશું. આજે વાત કરીએ હૈતીની. આજે - ભૂકંપના એક વર્ષ પછીનું હૈતી.
૨૨૦,૦૦૦ લોકો એ જાન ગુમાવી
૩૦૦,૦૦૦ લોકો ઈજાગ્રસ્ત
૧૯૦,૦૦૦ ઘરોને સખત નુકસાન
૧,૫૦૦,૦૦૦ લોકો ભૂકંપ ના ૬ મહિના પછી પણ કેમ્પ માં રહે છે.
૧,૦૦૦,૦૦૦ લોકો ભૂકંપ ના ૧૧ મહિના પછી પણ કેમ્પ માં રહે છે.
૩૯૭૮ નિશાળોને સખત નુકસાન
આ એક વર્ષ માં આટલું ઓછુ હોય તેમ કોલેરા ને મહામારી ફાટી નીકળી. ઓક્ટોબર મહિના માં કોલેરા નો પ્રથમ કેસ ધ્યાન માં આવ્યા પછી આજ સુધીમાં અંદાજે ૨૦૦,૦૦૦ કેસ, જેમાંથી ૧૧૨૬૫૬ લોકો દવાખાનામાં દાખલ થયેલ અને ૪૦૦૦ લોકો ના મૌત થયા છે. સંયુક્ત રાષ્ટ્રના મુજબ કોલેરા મહામારીને પહોચી વળવા માટેની કુલ જરૂરિયાતના ફક્ત ૨૭% જ ફાળો ઉપલબ્ધ છે. કોલેરા જેવી મહામારી જલ્દીથી નાબૂદ થઇ જાય એવી શક્યતાઓ નહીવત છે. આ સિવાય ૧૫મે નવેમ્બર ના રોજ (હા જી દિવાળી ના દિવસે) "હોરીકન ટોમસ" નામ નું વાવાઝોડું આવેલ. આ દિવસ મેં એક હોટેલમાં પૂરાઈને વિતાવેલ. ઘર થી સતત ૩ વર્ષ દિવાળી સમયે હાજરના રહેવાથી મારું મજામાં નહોતું. તે દિવસે મારા એક સાથીએ મારી માટે મીણબત્તીઓ સળગાવીને મને દિવાળી ઉજવવા માટે પ્રેરિત કર્યું.
આજે પણ ૧૦ લાખ લોકો કેમ્પ માં રહે છે. કેમ્પમાં સંસ્થાઓ દ્વારા પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ કેમ્પ કેટલા સમય સુધે રહેશે એ બધા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે.
વધુ આવતા અંકે .....
Saturday, January 29, 2011
દિલ પુછે છે મારું
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી ત્યાં સિમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?
પત્ની નો ફોન બે મીનીટમાં કાપીએ પણ ક્લાયંટના કોલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે?
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડેમાં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જાય છે.
કોઇકને સામે રુપિયા તો કોઇકને ડોલર દેખાય છે
તમેજ કહો મિત્રો શું આનેજ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે કે સંસ્ક્રુતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઇએ, મને સમય હજુય બાકી દેખાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે
-----દીપક તન્ના ------
દીકરી,એક અહેસાસ.
પા-પા.પગલી…..
દીકરી એ દીકરી
એની તોલે કોઇ ના આવે
જેના સ્મરણ માત્ર થી ……
હ્રદય ની ભીનાશ આંખ દ્વારા વહેવા લાગે
ઊર્મિસભર નાનકડું ગીત! આનંદ….
અરે ! વિધાતાએ તો દીકરી ઘડીને દરિયો ઠાલવ્યો છે !
કહે છે કે મારે સ્કૂલ માં સોનિયા ગાંધી બની ને જવું છે
દીકરી એ દીકરી
એની તોલે કોઇ ના આવે
જેના સ્મરણ માત્ર થી ……
હ્રદય ની ભીનાશ આંખ દ્વારા વહેવા લાગે
ઊર્મિસભર નાનકડું ગીત! આનંદ….
અરે ! વિધાતાએ તો દીકરી ઘડીને દરિયો ઠાલવ્યો છે !
કહે છે કે મારે સ્કૂલ માં સોનિયા ગાંધી બની ને જવું છે
જય રાધે
સંબંધો અને નસીબ
સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે?
નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ?
સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે.
બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ?
સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે.
બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
Saturday, January 22, 2011
બોસ, આ અમદાવાદ છે !
અહી પૂર્વમાં ખોખરા છે
ભોજનમા ઢોકળા છે
ને રસ્તા પર પોદળા છે
બૉસ, આ અમદાવાદ છે!
અહી મજ્જાની લાઈફ છે.
ફરવા માટે બાઈક છે.
ને ખિસ્સા ટાઈટ છે
એન્જોય, આ અમદાવાદ છે.
અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે
કાંકરિયામાં કાર્નિવલ છે
ને ઓફિસોમાં ગુલ્લીવલ છે
આવો આ અમદાવાદ છે.
અહીં ટ્રાફિક હેવી છે
દાદીઓ નેટ સેવી છે
ને બધાંને કાર લેવી છે
એવું આ અમદાવાદ છે.
અહીં કચરાની વાસ છે
કુતરા આસપાસ છે
ને ગાયોનો ત્રાસ છે
બચો, આ અમદાવાદ છે.
અહીં ચામાં કટીંગ છે
પરીક્ષામાં સેટીંગ છે
ને બુફેમાં વેઇટીંગ છે
ડ્યુડ,આ અમદાવાદ છે.
કવિ - અધીર અમદાવાદી
ભોજનમા ઢોકળા છે
ને રસ્તા પર પોદળા છે
બૉસ, આ અમદાવાદ છે!
અહી મજ્જાની લાઈફ છે.
ફરવા માટે બાઈક છે.
ને ખિસ્સા ટાઈટ છે
એન્જોય, આ અમદાવાદ છે.
અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે
કાંકરિયામાં કાર્નિવલ છે
ને ઓફિસોમાં ગુલ્લીવલ છે
આવો આ અમદાવાદ છે.
અહીં ટ્રાફિક હેવી છે
દાદીઓ નેટ સેવી છે
ને બધાંને કાર લેવી છે
એવું આ અમદાવાદ છે.
અહીં કચરાની વાસ છે
કુતરા આસપાસ છે
ને ગાયોનો ત્રાસ છે
બચો, આ અમદાવાદ છે.
અહીં ચામાં કટીંગ છે
પરીક્ષામાં સેટીંગ છે
ને બુફેમાં વેઇટીંગ છે
ડ્યુડ,આ અમદાવાદ છે.
કવિ - અધીર અમદાવાદી
Thursday, January 20, 2011
આપણને નહિ ફાવે
તમે મન મૂકી ને વરસો, ઝાપટું આપણને નહિ ફાવે,
અમે તો હેલી ના માણસ, માવઠું આપણને નહિ ફાવે.
કહો તો માછલી ની આંખ માં ડૂબકી દઈ આવું,
પણ છીછરું ખાબોચિયું આપણને નહિ ફાવે.
તું નહિ આવે તો, એ નહિ આવવું પણ ફાવશે
ઘરે આવીને, તારું પાછું જવું, આપણને નહિ ફાવે.
વફાદારી ની આ ધગધગતી તાપ્ણીઓ બુઝાવી દો,
સળગતું દિલ ને દઝાડતું કાળજું આપણને નહિ ફાવે,
તને ચાહું, ને તને ચાહનારા પણ ચાહું,
તું દિલ આપીદે પાછું, આ બધું આપણને નહિ ફાવે.
તમાચા ખાઈ લવ ગાંધીગીરી ના નામ પર
પણ આ પત્ની ને 'બા" સંબોધવું આપણને નહિ ફાવે.
"ખલીલ" અણગમતા ને ગમતો કરી લેવું નથી ગમતું
ભલે તમને બધા ને ગમે , આપણને નહિ ફાવે
અમે તો હેલી ના માણસ, માવઠું આપણને નહિ ફાવે.
કહો તો માછલી ની આંખ માં ડૂબકી દઈ આવું,
પણ છીછરું ખાબોચિયું આપણને નહિ ફાવે.
તું નહિ આવે તો, એ નહિ આવવું પણ ફાવશે
ઘરે આવીને, તારું પાછું જવું, આપણને નહિ ફાવે.
વફાદારી ની આ ધગધગતી તાપ્ણીઓ બુઝાવી દો,
સળગતું દિલ ને દઝાડતું કાળજું આપણને નહિ ફાવે,
તને ચાહું, ને તને ચાહનારા પણ ચાહું,
તું દિલ આપીદે પાછું, આ બધું આપણને નહિ ફાવે.
તમાચા ખાઈ લવ ગાંધીગીરી ના નામ પર
પણ આ પત્ની ને 'બા" સંબોધવું આપણને નહિ ફાવે.
"ખલીલ" અણગમતા ને ગમતો કરી લેવું નથી ગમતું
ભલે તમને બધા ને ગમે , આપણને નહિ ફાવે
- ખલીલ ધનતેજવી
Tuesday, January 18, 2011
ડર છે
વસી જવું છે આપની,
સાગર જેવી આંખોમાં પણ,
ડૂબી જવાનો ડર છે.
પામવું છે સ્થાન આપના,
ખુબસૂરત દિલમાં પણ,
બેવફાઇનો ડર છે.
- Unknown poet -
સાગર જેવી આંખોમાં પણ,
ડૂબી જવાનો ડર છે.
પામવું છે સ્થાન આપના,
ખુબસૂરત દિલમાં પણ,
બેવફાઇનો ડર છે.
- Unknown poet -
Sunday, January 2, 2011
છપ્પા (અખા ભગત)
૧.
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહતો હરીને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
૨.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
૩.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય?
ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.
અખા જ્ઞાની ભવથી કયમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે?
૪.
જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાત અમે જાણી.
૫.
આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
૬.
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
૭.
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામસામી બેઠા ઘૂડ,
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ઘરે.
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ.
૮.
લીલા વૃક્ષને ઓઠે રહે, જ્યમ પારધી પશુને ગ્રહે;
એમ હરિને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનકકામિની તણા.
અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર.
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહતો હરીને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
૨.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
૩.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય?
ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.
અખા જ્ઞાની ભવથી કયમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે?
૪.
જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાત અમે જાણી.
૫.
આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
૬.
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
૭.
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામસામી બેઠા ઘૂડ,
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ઘરે.
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ.
૮.
લીલા વૃક્ષને ઓઠે રહે, જ્યમ પારધી પશુને ગ્રહે;
એમ હરિને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનકકામિની તણા.
અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર.
Saturday, January 1, 2011
મારુ અને તારુ
ઇશ્વર મનુષ્યને ઉદ્દેશીને
જો તુ એમ કહે કે આ મારૂ,
તો હું તને મારુ
અને
જો તુ એમ કહે કે લે, આ તારુ,
તો હું તને તારુ
–સુભાષ ઠાકર (દુરદર્શનમાં પ્રસારિત થતા કાર્યક્રમ ગમ્મત ગુલાલ માંથી )
જો તુ એમ કહે કે આ મારૂ,
તો હું તને મારુ
અને
જો તુ એમ કહે કે લે, આ તારુ,
તો હું તને તારુ
–સુભાષ ઠાકર (દુરદર્શનમાં પ્રસારિત થતા કાર્યક્રમ ગમ્મત ગુલાલ માંથી )
Subscribe to:
Posts (Atom)