મેં મારી વ્યાવસાઈક ઝીંદગીની શરૂઆત લગભગ ૧૦ વર્ષ પહેલા કરી. તે સમયે હું મારા પરિવાર, પ્રેમીઓ અને મિત્રોથી ઘણો નજીક હતો. હું એક સારો છોકરો હતો ઝીંદગી પ્રત્યેનું વલણ / દ્રષ્ટિકોણ ખુબજ અલગ હતું. મારી પાસે બધા માટે ખુબજ સમય હતો અને હું ખુશ હતો. નૌકરીમાં હું નવો નવો હતો અને હું એટલો ખુશ ના હતો કારણકે મારા ઉપરી લોકો મને જલસા કરવાનો સમય જ નહોતા આપતા.
આજે લગભગ ૧૦ વર્ષો પછી હું બહુ સારી નહિ તો સારી એવી પ્રગતિ કરી છે. આજે મારી આંતર રાષ્ટ્રીય સંસ્થામાં હું નિયામકો, વ્યસ્થાપકો અને એવા મોટા લોકો સાથે સીધે વાત કરી શકું છું અને તેઓ મને ઘણી મિટિંગમાં બોલાવે પણ છે. પણ આજે મારો હર્દય ૧૦ વર્ષ પહેલા જેવો નથી. હું ભાગ્યેજ મારા પરિવારની વાતોમાં શામેલ થાઉં છું. મારી પત્નીને પણ એ જ ફરિયાદ છે - કે મારી પાસે તેની માટે પણ ટાઇમ નથી. હું મારા જુના મિત્રો સાથે વાત નથી કરતો.
આજે મારો ઝીંદગી પ્રત્યેનું દ્રષ્ટિકોણ બદલાઈ ગયું છે. મારામાં ઘણું "Attitude " આવી ગયું છે. હું ૧૦ વર્ષ પહેલા કરતા આજે તદ્દન અલગ રીતે વાત કરું છું - પણ હું મારી નૌકરીથી ખુબજ ખુશ છું અને તેને માણું છું. પણ શું હું મારી ઝીંદગી માણું છું?
તમે કહેશો કે આમાં નવું શું છે?
મારો જવાબ - કશું પણ નહિ.
હું આ બધું લખું છું કારણ કે મને ખબર છે કે મારામાં ઘણા બધા બદલાવો આવ્યા છે પાછલા ૧૦ વર્ષોમાં. ઘણા ખરા બદલાવો આ સમય દરમ્યાન આવેલા સંકટોના કારણે છે અને આ ફક્ત પાછલા ૧૦ વર્ષોમાં જ. આવતા ૧૦ વર્ષોમાં શું થશે?
મને આ બદલાવો ના સારા અને ખરાબ પરિણામો પણ ધ્યાનમાં છે. હા, હું મારી જાતને ૧૦ વર્ષો પહેલા જેવો નથી રાખી શકયો - અને આવતા વર્ષો માં અનુભવો અને સંકટો મુજબ હું બદલાતો રહીશ - વ્યવસાયિક રીતે પ્રગતિ કરતો રહીશ. મને ખબર નથી કે હું શું હોઈશ?
હું એટલું તો જરૂર કહેવા માંગીશ કે આ વાર્તા ઘણાબધા લોકોની છે આજના જમાનામાં. જે લોકો નોકરીમાં હમેશા પ્રગતિ કરતા રહેતા હોય છે પણ પોતાના પરિવાર, ઝીંદગી અને ખુશીઓ થી દૂર થતા જાય છે.