Thursday, October 20, 2011

મેરા ભારત મહાન



મેં ઘણા લોકોને આપણી સરકાર, દેશ અને ભ્રષ્ટાચાર વિષે ફરિયાદ કરતા સાંભળ્યા છે. TVમાં પણ ફક્ત આ જ વિષય છે. આજે દુનિયાના ઘણા દેશોમાં કામ કર્યું છે. ઘણા દેશોમાં લોકોને સાંભળ્યા છે, જોયું છે અને તેમની સાથે રહીને થોડું ઘણું પણ અનુભવ્યું છે. મારા મતે, આપણી સરકાર થોડું સારું કામ પણ કરી રહી છે.


શિક્ષા અભિયાન અને નિયમો :
થોડા વર્ષો પહેલા ૫મા ધોરણ સુધે અભ્યાસ મફત અને ફરજીયાત હતું જે આજે ૮મા ધોરણ સુધી છે. વળી, બધા વિદ્યાર્થીઓને મધ્યન ભોજન મળે છે, જે ઘણા લોકો મતે ખુબજ મહત્વનું છે. વાલીઓને પ્રોત્સાહન પણ આપાય છે. લોકો સાથે વાત કરતા લગભાગ બધા આ બાબતથી ખુશ હતા.
સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાદળી કલરના પોશાક પહેરે છે જે આજે દેશમાં લગભાગ દરેક ગામડા અને શહેરોમાં જોવા મળે છે. મને યાદ છે કે મેં જયારે એક ગામડામાં એક શાળાને મુલાકાત લીધી હતી ત્યારે દરેક વિદ્યાર્થી સવારે પ્રાર્થના સભામાં એક લયમાં માં સરસ્વતીની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ પોતપોતાના ક્લાસરૂમમાં શિસ્તતા પૂર્વક જતા રહ્યા. કલાસરૂમમાં નકશા અને ભારતના મહાન પુરુષોના ફોટા હતા. શિક્ષકો કરતા શિક્ષિકાઓની સંખ્યા વધુ હતી. આચાર્યશ્રીના રૂમમાં થોડા ઘણા પુસ્તકો પણ હતા. બધા બાળકોના ચહેરા પર સ્મિત દેખાતું હતું.

કોલેજનું ભણતર પણ આજે સારું અને સસ્તું છે. આજે મોટાભાગની કોલેજોમાં ફી લગભગ ૩૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા વાર્ષિક હોય છે. સારી કોલેજમાં અને સારા અભ્યાસ માંટે અંદાજે ૫૦,૦૦૦ રૂપિયા જેવી ફી હોય છે. તદુપરાંત, સ્ત્રીઓ માંટે ઘણી શાળામાં ફીમાં રાહત આપાય છે.

જમીન માલિકી :આજે કોઈ પણ વ્યક્તિ ૧૮ હેક્તેર જેટલી જમીનની માલિકી ધરાવી શકે છે. કાયદા મુજબ તેથી વધુ જમીન કોઈ પણ વ્યક્તિ લઇ શકે નહિ. હા, કોઈ સહકારી પરિવાર ગમે તેટલી જમીન ધરાવી શકે છે. જોકે આ બાબતમાં ઘણી જગ્યાએ ખામીઓ દેખાય છે પણ આજે આને લગતા નીતિ નિયમો અમલમાં છે અને તેનું પાલન પણ સારી રીતે થાય છે અથવા થવા લાગ્યું છે

હવેલીથી હોટેલ સુધી : જૂની હવેલીઓ જે જર્જરિત અવસ્થામાં હતી તેના પુનઃનિર્માણ અથવા સમારકામ માંટે પણ સરકાર ઘણા પ્રયાસ કરી રહી છે. હવેલીના માલિકોને તેને હોટેલમાં પરિવર્તિત કરવા માંટે પ્રોત્સાહન અને નાણાકીય સહાય પણ આપે છે. આમ કરવાથી તે જૂની જર્જરિત હવેલીઓ આજે એક સુંદર હવેલી જેવી લાગે છે. અને, આનાથી પ્રવાસીઓ પણ આકર્ષાય છે.

ગામડાઓમાં સરકારી કર્યો : પરિવારના એક વ્યક્તિને વર્ષ દરમિયાન ૧૦૦ દિવસ જેટલું કામ મળી રહે તેવી યોજનાઓ પણ અમલમાં છે. લોકો મુજબ આ યોજનાઓથી ગામડામાં પરિવર્તન આવી રહ્યું છે, લોકોને ગરીબી રેખાથી ઉપર આવવામાં મદદ મળી રહી છે. હા, ઘણી વખત એવો પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે આ યોજનાનો લાભ કેટલા લોકો સુધે પહોચે છે અને તે કાર્યની ગુણવત્તા કેવી છે.

મને ઘણી વખત ગામડાઓમાં એવા અનુભવો થયા છે કે બહારથી દેખાતા ગરીબ જેવા ઘરમાં જયારે મુલાકાત લેવામાં આવે છે ત્યારે તે ઘર અંદરથી સારું લાગે છે અને તે પરિવાર થોડું સદ્ધર હોય છે.

હકારાત્મક કાર્ય :
આજે સરકારે ગરીબ અને પછાત લોકોના ઉત્થાન માંટે ઘણા હકારાત્મક કર્યો કર્યા છે. તેમના માંટે વિવિધ શિક્ષા અભિયાનો, ઉચ્ચા અભ્યાસ માંટે સહાય, નૌકરી મેળવવામાં મદદ અને સમાજમાં સમાન દરજ્જો મેળવવામાં સહાયક યોજનાઓ અને નિયમો.

તેમ છતાં, આપના સમાજમાં જ્ઞાતિ પ્રથા હજુ પણ ચાલે છે. તે પ્રથા દૂર થઇ રહે છે પણ ખુબજ ધીમી ગતિએ. પણ મને સંતોષ છે કે સરકાર તે પ્રત્યે પ્રયત્ન કરી રહી છે.

નોંધ : અહી સરકાર થી મારો મતલબ કોઈ રાજકીય પક્ષ નથી.

No comments:

Post a Comment