Thursday, October 20, 2011

શિક્ષા - ઉપકાર

હું, ભારતના એક સારા નાગરિક તરીકે દર વર્ષે ૩ વખત આવક વેરો સમયસર ભરું છું. આવક વેરો કે જેમાં શિક્ષા - ઉપકાર પણ શામેલ છે. યુનિયન સરકારએ સ્વાસ્થ્ય વીમા યોજના જાહેર કરી છે કે જેમાં દરેકને મૂળભૂત પ્રાથમિક આરોગ્ય જરૂરિયાત મળી રહે. આયોજન આયોગના નિષ્ણાતોએ હજુ આ બાબતમાં સરકારને પૈસા ક્યાંથી આવશે તે વિષે સલાહ નથી આપી પણ ૧% નો પણ ઉપકાર લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે લાવી શકે છે. આ વાતથી એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે શિક્ષા ઉપકાર વિષે. અંદાજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે કઈ રીતે ખરચવા માં આવે છે. હું આ ઉપકાર કે જેનો સામાજિક યોજનાઓ ઉપર ખરચવામાં આવે છે તેનો વિરોધી નથી પણ આ ખરચને ખરચવા માટે કઈ રીતે નિયંત્રણ / દેખરેખ દ્વારા ખરચવામાં આવે છે. કે પછી આ પણ ભ્રષ્ટાચારનો ભોગ બને છે.

આ આવક વેરા ઉપર નો શિક્ષા ઉપકારના બે ભાગ છે. - પ્રાથમિક શિક્ષા અને ઉચ્ચ શિક્ષા. ૨૦૦૫માં સરકારે પ્રાથમિક શિક્ષા ઉપકાર શરુ કર્યું અને આ પૈસા પ્રમ્ભિક શિક્ષા કોશ માં જમા થાય છે. જેમાંથી સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાન ભોજન જેવી યોજનાઓ ચાલવામાં આવે છે.

૨૦૦૭માં સરકારે ઉચ્ચ શિક્ષા ઉપકારની શરૂઆત કરી અને તે પૈસાથી દેશના ઉચ્ચ શિક્ષાના વિકાસ માટે ખરચવાનું આયોજન હતું. આ આયોજનમાં National Higher Education Finance Corporation - NHEFCની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષા માટે ઉચ્ચ શિક્ષા સંસ્થાઓને નાણાં ઉછીના આપવા. આ પ્રસ્તાવને ૪ વર્ષ થયા. આયોજન મંડળે આ બાબતની ભલામણ સરકારને કરી દીધી છે. એવું લાગે છે કે સરકાર હજુ પણ આ બાબત માં વિચાર કરે છે અને ભારતના દરેક નાગરિકો પાસેથી ઉપકાર હેઠળ નાણાં ઉઘરાવ્યા કરે છે.

આપને સરકારના ભંડોળ ઉપર આનીયંત્રણ વિષે સારી રીતે માહિતગાર છીએ. આખરે આપણને આઝાદી મળ્યે ૬૦ વર્ષથી ઉપર થયા અને સરકારને જોતા પણ ૬૦ વર્ષોથી ઉપર થયા. સૈધાંતિક રીતે આ શિક્ષા કર બરોબર હશે અને આ એક સારી વાત પણ છે, પરંતુ, હકીકતમાં અમલીકરણ દર્શાવે છે કે કરચુકવવાવાળા લોકોના નાણાં વેડફવામાં આવે છે.

આથી, સરકારે આરોગ્ય વીમા યોજના શરુ કરવા પહેલા સરકારે ખાતરી કરવી અને સુનિશ્ચિત કરવું કે આવકવેરો ભરનારા લોકોના નાણાં વેડફાય નહિ.

No comments:

Post a Comment