Friday, May 27, 2011

પ્રવાસ - ઈથીઓપિયા

 ઘરે ૨ મહિના થી વધુ આરામ કર્યા પછી મારે ઓક્ષ્ફોર્ડ જવાનું થયું. દર વર્ષે જાહેર આરોગ્ય વિષે અમારી એક કાર્યશાળા યોજાય છે. આ કાર્યશાળામાં અમારી સંસ્થાએ કરેલ કાર્યો અને તેમાંથી શીખવા મળેલ બાબતો વિષે ચર્ચા થાય છે. ખૂબ જ રસ પ્રદ અને જાણવા જેવું હોય છે તેથી મને પણ ખૂબ જ રસ પડે છે. દુનિયા માં નવા નવા પ્રયોગો અને અવનવી પ્રગતિ વિષે પણ જાણવા મળે છે.  આ સિવાય મારી સાથે કામ કરતા ૬૦ - ૭૦ જેટલા મારા જેવા લોકો ને મળવાનું અને તેમની સાથે ચર્ચા કરવાનો મોકો પણ મળે છે. મેં આ વર્ષે હૈતીમાં કરેલ કૂપન પદ્ધતિથી રાહત સામગ્રીના વિતરણ વિષે બધાને વાત કરી. બધાને ખૂબ જ રસ પડ્યો.  
આજે આ કાર્યશાળા પૂર્ણ થયી અને હવે આવતી કાલે હું અમદાવાદ પરત આવીશ. સાંજે મને જણાવવામાં આવ્યું કે મારી હવે ઈથીઓપિયા જવાનું છે. ૪ મહિના માટે. ખૂબજ ખુશ છું કારણ કે નવા દેશ વિષે જાણવાનું મળશે. ઈથીઓપિયા દુનિયાનું ૨૭મુ સૌથી મોટું દેશ છે અને તેની વસ્તી ૮.૫ કરોડની છે.  ત્યાં હાલમાં દુષ્કાળ છે અને તીગ્રાય નામનો વિસ્તાર આ દુષ્કાળથી ખૂબજ પ્રભાવિત છે. મારે અહી દુષ્કાળ ની અસર લોકો પર ઓછી થાય તેના માટે કામ કરવાનું છે. જેમાં મારે ખાસ તો લોકોને પાણી મળી રહે, સામાન્ય આરોગ્ય જળવાઈ રહે અને લોકોને આમ કરવા માટે જરૂરી એવી વસ્તુઓ પૂરી પડવાનું કાર્ય કરવાનું છે.
આમદાવાદ આવી ને તરત જ મારે વિઝા મેળવવો પડશે અને તે મળ્યે ઈથીઓપિયા જવાનું.
આ વિષે વધુ ત્યાં પહોચ્યા પછી....

Thursday, May 19, 2011

जिंदा रहेंगे

सदमे उठा रहे हैं बहुत जिंदगी से हम,
जीतें हैं आज तक मगर जिंदादिली से हम.

वो कौन सा जहाँ है जहाँ जिंदगी नहीं,
दमन बचा के जाएँ कहाँ जिंदगी से हम.

हमको किसी ने आज तक अपना नहीं कहा,
अपना समझ के मिलते रहे हर किसी से हम.

लाया है हमको जज्बये इंसानियत वहां,
मायूस हो गए हैं जहाँ आदमी से हम.

देता रहा फरेब हमें उम्र भर कोई,
खाते रहे फरेब बड़ी सादगी से हम.

होगी भी या न होगी हमें वो घडी नसीब,
जब कह सकेंगे अपना फ़साना किसी से हम.

खूने जिगर पिला के इसे दी है जिंदगी,
जिंदा रहेंगे "नीर" इसी शायरी से हम.

कवी : धीरेन्द्र मदान "नीर"

यह ग़ज़ल मुझे मेरे दादाजी के पुराने संग्रह मैं से मिली. यह मेरे दादाजी ने अपने जवानी के समय मैं अपने लिए सम्हाल के रखी थी. करीब १० -१२ सालो से यह मेरे पास थी. आज वापस हाथ आई और पढ़ा.

Monday, May 16, 2011

નિશાળ - એક મુંઝવણ

વર્ષો પહેલા, જયારે હું ભણતો હતો ત્યારે નિશાળમાં પ્રવેશ મેળવવો એક ખૂબ જ સીધી અને સરળ પ્રક્રિયા હતી. ખાસ કરીને મારા વાલીઓ માટે. એ સમયે "જૂથ" પ્રક્રિયાએ દરેક વાલીઓનો સામાન્ય તર્ક હતો. જો એક શેરીના બાળકો "X" શાળામાં જાય તો તેમના પછીના બધા બાળકો પણ "X" શાળામાં જ જાય. વધુ માં વધુ આની ચર્ચા વાલીઓ પોતાના મિત્ર વર્તૂળમાં અથવા કાર્યાલયમાં કરે. એ સમય માં ચર્ચા નો ખાસ મુદ્દો ફક્ત એક જ હતો. અંગ્રેજી માધ્યમમાં ભણવવું કે પછી ગુજરાતી માધ્યમમાં? અને ઘર થી શાળા ની દૂરી અથવા સહશિક્ષા જેવા પ્રશ્નો પણ ક્યારેક ચર્ચાઈ જતા.

આજે, (ખાસ કરી ને અમદાવાદના દ્રષ્ટિકોણથી), એવું લાગે છે કે આ એક જટિલ અને મૂંઝવણ ભરેલ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્ય બોર્ડ (જેમાં કોઈ જવા નથી માંગતું) સિવાય કેન્દ્રિય બોર્ડ અને ICSE (Council for the Indian School Certificate Examinations ) છે. આ સિવાય International Baccalaureate પણ છે. શાળાની ફીમાં જે વધારો છે તેના વિષે શું કહેવું? ઘણી શાળાઓ તો ઘોડા સવારી અને તરવા જેવું પણ શીખાડે છે. ઘણી શાળામાં તો દર ૨૦ છોકરા માટે ૧ શિક્ષક હોય છે. ઘણી શાળા એવો દાવો કરે છે કે તેઓ બાળકો ઉપર કોઈ પ્રકારનું દબાણ નથી કરતા. જેમકે ઘરે લેસન નહિ આપે અને કોઈ જાતની પરીક્ષા નહિ. એવી શાળાઓ પણ છે કે જે બાળકોના વ્યક્તિત્વનું સંપૂર્ણ વિકાસ નો દાવો કરે છે અને અન્ય જાત જાતના ફાયદાઓ દેખાડે છે.

કહેવાનો તાત્પર્ય એ કે આ બધું ખરાબ નથી. પણ, શું ખરેખર ઝીંદગી આવી છે? શું તમે બાળકોને આવતા ૧૦ વર્ષ માટે એક આદર્શ શાળામાં એટલા માટે જ ભણશો કે આગળ નો જમાનો ખૂબ જ કઠીન છે અને તેનો સામનો કરવું સરળ નથી? આ ખરેખર બાળકો અને વાલીઓ માટે ખૂબ જ ચિંતા જનક વિષય છે અને હકિકતમાં અઘરું પણ છે. શું એ એક સારો વિચાર છે કે આવતા ૧૦-૧૫ વર્ષ બાળકોને "superhero " બનાવવા માટે આવી શાળા માં ભણાવીએ અને પછી બાળકો ને ખબર પડે કે દરેક વ્યક્તિ જાંગીયા અંદર જ પહેરે છે - પેન્ટ ને ઉપર નહિ. અથવા એ સારું કે જેમાં બાળકો ને ભાવવા માં આવે, ઘરે લેસન આપવામાં આવે અને સમયસર પરીક્ષા થાય વગેરે વગેરે???

શું હું પસંદ કરીશ કે બાળકને વ્યક્તિગત રીતે ધ્યાન આપવામાં આવે. શાળામાં અને ઘરે પણ. અને ૧૦-૧૫ વર્ષ પછી એને ખબર પડે કે તેના પર વ્યક્તિગત રીતે ધ્યાન આપવા વાળું કોઈ નથી અથવા કોઈને પડી નથી. કે પછી હું એવું પસંદ કરીશ કે આવતા ૧૦ વર્ષ સુધી કોઈ પરીક્ષા નહિ અને પછી દર વર્ષે એક ખૂબ જ અઘરી પરીક્ષા સામે ઉભી છે જેમાં જોરદાર હરીફાઈ છે.

હું અહી કોઈ નિર્ણય લેતો નથી કે કોઈ  સચોટ રસ્તો બતાવતો. હું ખરેખર જાણવા માંગું છું કે જે આ બધી શાળાઓ કરે છે એ સારું અને સાચું છે? જો હોય તો અમારા જેવા ૯૦% લોકો ૧૦૦% ખોટું ભણ્યા છીએ? જે પણ અમે ભણ્યા છીએ (સરકારી શાળાઓમાં) તેનાથી અમે આ હકિકતની ઝીંદગીમાં સફળતા મેળવવામાં મદદ મળી છે. તો શું આ આજની ભણતરની પદ્ધતિથી ભણેલા બાળકો હકિકત ની ઝીંદગી નો સામનો સારી રીતે કરશે? શું તેમને અમારા કરતા સારી સફળતા મળશે? કે પછી તેઓ મરઘીની જેમ, ઈંડા જેવા એક સંપૂર્ણ સુરક્ષા કવચમાંથી બહાર નીકળ્યા પછી જ જાણશે કે ખરેખર ની ઝીંદગી માં તેઓ એક મરઘી છે.

Sunday, May 15, 2011

વૈષ્ણવ જન

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુખ્ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે

સકળ લોક માન સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે

સમદૃષ્ટિ ને તૃષ્ળા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકે અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મા રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તન માં રે

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનો દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે

----નરસિંહ મહેતા