હું ભારતનો એક પગારદાર નાગરિક છું. હું એવી નૌકરી કરું છું કે જેને "સમાજ સેવા" તરીકે લોકો ઓળખે છે. આવી નૌકરીઓ આકર્ષક નૌકરી તરીકે બહુ પ્રચલિત નથી પરંતુ સમાજના એક બહુજ સામાન્ય ભાગ સ્વરૂપે જોવામાં આવે છે.
હું દરેક ભારતીય પગારદાર નાગરિક તરીકે દરેક કાનૂન નું પાલન કરું છું અને મને લાગુ પડતા તમામ કર સમય સર ચૂકવું છું. એવું લાગે છે કે ભારતના બધા કાનુન પગારદાર વ્યક્તિને ધ્યાનમાં રાખેને બનવામાં આવે છે. અપરાધીઓ, ગુંડાઓ, નેતાઓ, વગેરે આ બધા કર અને કાનુનથી બહાર જ રહેતા હોય છે. એટલે, કર અને કાનુન મારા મુજબ ફક્ત ભારતના પગારદાર નાગરિક માટે જ છે.
હું એક પગારદાર નાગરિક તરીકે મને લાગુ પડતા તમામ કર અદા કરું છું. આમ તો આ કર મારા પગાર માં થી સીધે સીધો કાપી જવો જોઈએ, પણ મને પગાર બ્રિટેનથી મળતો હોવાથી મારે અગ્રીમ કર તરીકે જમા કરવો પડે છે. એ પણ વરસ માં ત્રણ વખત. અમુક નિષ્ણાતો ની સલાહ મુજબ મારે કર અદા કરવાનું નથી કારણ કે હું ભારતમાં ૧૮૩ દિવસથી વધુ દિવસો બહાર રહું છું અને મારી આવક બ્રિટેનમાંથી છે. ગયા વર્ષે જ ખબર પડી કે નિયમ માં હજુ થોડું વધારે ગુચવાડો છે. એ નિયમ મુજબ જો હું પાછલા ૪ વર્ષ માં ૩૬૫ દિવસ થી વધુ ના રહ્યો હોઉં તો જ મારે કર અદા ના કરવું. નહીતર કર અદા કરવું. મેં આ વિષે જયારે આયકર અધિકારીને પૂછ્યું તો એમણે જણાવ્યું કે મારે કોઈ કર નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હું લગભગ ૧૦ જેટલા કર નિષ્ણાત પાસે ગયો. દરેક ને સલાહ જુદી. કારણ જુદા અને રસ્તા જુદા. મેં નક્કી કર્યું કે હું એક પગારદાર નાગરિક તરીકે હું કર અદા કરીશ. હું દરેક વર્ષે મારી આવક અને નાણાંનું ખુબ જ સમઝ પૂર્વક અને નિષ્ણાતોની સલાહ મુજબ આયોજન કરું છું. બરોબર આવી જ રીતે માનનીય નાણાં મંત્રીશ્રી પણ મારા જેવા તમામ પગારદાર વર્ગનું નાણાકીય આયોજન નિષ્ફળ કરવા માટે આયોજન પૂર્વક તૈયાર હોય છે. આ એક માત્ર સૌથી મોટી આવક છે ભારત સરકારની "ડાઈરેક્ટ - ટેક્ષ" તરીકે. ભારત માં મારી જેવા ૩.૫ કરોડ પગારદાર લ્કોક છે જેઓ કર અદા કરે છે, એટલે કે ભારતની ૧૨૦ કરોડ ને વસ્તીમાંના અંદાજે ૩% લોકો. બાકીના લોકો શું કર અદા નથી કરતા?
હું એક પગારદાર નાગરિક તરીકે સફેદ નાણું કમાવું છું. બાકી ઘણી ખરી જગ્યાએ કાળું નાણું રાજ કરે છે. કદાચ ભારત સરકાર અને આપના દેશના નાણાં મંત્રીશ્રીનું એવું માનવું છે કે આ કાળું નાણું ભારતમાં છે જ નહિ. એટલે જેમ બને તેમ અને જેટલું બને તેટલું આ પગારદાર વર્ગ પાસેથી જ કર ઉઘરાવવું. કોઈ એવું માનવા તૈયાર જ નથી કે ભારતમાં કાળા નાણાં અને સફેદ નાણાંની સમાન અર્થવ્યસ્થા ચાલે છે. કાળા નાણાંને સફેદ કરવા અથવા સફેદ નાણાંને કાળા કરવા માટે નિષ્ણાતો છે. એક સામાન્ય પગારદાર વ્યક્તિ તરીકે હું મારી બેંકમાં થી ૫૦,૦૦૦ રૂપિયા રોકડા તરીકે ઉપાડું છું તો બેંક થી માંડી ને કર વિભાગ ની નજર મારી તરફ હોય છે. અમીર લોકો પાસે તો હવાલા, સોનું, જમીન જાયદાદ અને સ્વીસ બેંકનો રસ્તો છે. પગારદાર વ્યક્તિ તો ફક્ત બેંકમાંથી જ ઉપાડી શકે છે. કારણ કે એનો પગાર ૧૦૦% બેંકમાં જ જમા થાય છે.
હું એક પગારદાર નાગરિક તરીકે મને લાગુ પડતા તમામ કરો ઉપરાંત દરેક જાતના ટેક્ષ પણ ભરું છું - જેમ કે "સર્વિસ-ટેક્ષ," "વેલ્યુ-એડેડ-ટેક્ષ" અને "સેન્ટ્રલ એક્ષેસ કર" પણ હું ચૂકવું છું. "ડાઈરેક્ટ ટેક્ષ" અથવા "ઇન ડાઈરેક્ટ ટેક્ષ" તરીકે મારે કર અદા કરવો જ પડે છે. દાખલા તરીકે દવાઓ લેતી વખતે દવાવાળા મારા બીલમાં બધી જાતના કર ઉપરાંત સ્થાનિક કર પણ ઉમેરે છે. જો હું આ કર અદા ના કરું તો મને દવા પણના મળે. અને બને ત્યાં સુધી હું બીલ વગર હું કોઈ ખરીદી કરવાનું ઓછુ પસંદ કરું છું.
હું એક પગારદાર નાગરિક. મારી જાતને હું એક પેઢી તરીકે પણ નહિ બદલી શકું જેમ ઘણા લોકો કરે જાય છે. જો હું મારી જાત ને "પગારદાર નાગરિક વ્યસાયિક લીમીટેડ" તરીકે રજુ કરું તો મારું માનવું છે કે બીજા જ દિવસ થી હું આ બધી જંજાળથી બારે હોઈશ. ફક્ત એટલું જ કરવાનું કે દર વર્ષના અંતે મારે થોડું નુકસાન બતાવાનું અને તેનું માર્ગદર્શન માટે ઘણા નિષ્ણાતો છે. અંતે મને આમ કરવાથી કર અદા કરવું અને પછી આયકર વિભાગના સવાલ જવાબ અને અંતે તેમની માંગો કરતા તો સસ્તું જ પડશે.
હું એક પગારદાર નાગરિક. મારી કોઈ પ્રકાર ના સમાજ ના વર્ગમાં નથી, કોઈ જાતી નથી (સામાન્ય શ્રેણીમાં છું), કોઈ પણ પ્રકારના "વોટ બેંક"માં શામેલ નથી અને કદી કોમી રમખાણમાં ભાગ નથી લીધું. આથી હું કોઈ પણ નેતા દ્વારા તેમની "વોટ બેંક"માં શામેલ નથી અને તેથી મને ખબર છે કે આ કર અને કાયદો કદી બદલવાનું નથી. અને મને મારી જવાબદારીઓ યાદ આપવા માટે પણ લોકો છે.
હું એક પગારદાર નાગરિક..........