Sunday, May 15, 2011

વૈષ્ણવ જન

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુખ્ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે

સકળ લોક માન સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે

સમદૃષ્ટિ ને તૃષ્ળા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકે અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મા રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તન માં રે

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનો દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે

----નરસિંહ મહેતા

No comments:

Post a Comment