Saturday, April 30, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૬

હૈતી માં છેલ્લે છેલ્લે ઘણો થાક અનુભવતો હતો. આ થાક માનસિક હતો કારણ કે મેં ૬ મહિના માં એક પણ રજા પાડી નહોતી. આમ તો અમને દર ૮ અઠવાડીયે એક અઠવાડિયા ને રજા મળતી હોય છે પણ .... હું એમ માનું છું કે જયારે આપને થાક અનુભવીએ ત્યારે આરામ કરી લેવો જોઈએ. ઘસરડા કરવા માં કઈ માલ નથી. નક્કી કર્યું કે હવે ઘરે જઈની આરામ કરીશું. મોટા સાહેબો ની લખી નાખ્યું કે હું થાકી ગયો છું અને ઘરે જવું છે. ફેબ્રુઅરી ૨૫ ના રોજ હૈતી થી નીકળ્યો. ૨ દિવસ ઓક્ષ્ફોર્ડમાં મારી de -brief હતી તથા તબીબ સાથે મુલાકાત પણ રાખવામાં આવી હતી. સામાન્ય રીતે તબીબ સાથે ની મુલાકાતમાં તેઓ શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતાને લગતી ચકાસણી અને સલાહ આપતા હોય છે. અહી ખાસ જણાવી દઉં કે ત્યાં ના તબીબો પ્રત્યે મને ખાસ માં છે. કારણ ખૂબ જ સરળ છે. તેઓ એક દર્દીને સામાન્ય રીતે કલાક જેવો સમય આપે છે. આપના અમદાવાદ માં દરેક તબીબ જાણે હરીફાઈ કરતા હોય છે કે કલાક માં કેટલા દર્દી તપાસ્યા અને કેટલા રૂપિયા આવ્યા. 

ઘરે ૨-૩ મહિનાની રજા લીધેલ હોવાના કારણે મારે કરવાના કામોની યાદી બનાવી. આવીને સૌપ્રથમ ભાડાન મકાન છોડી અમે અમારા પોતાના ફ્લેટમાં રહેવા જતા રહ્યા. એકજ અઠવાડિયામાં કલરકામ પૂરું કરાવ્યું બીજા નાના મોટા કામો કર્યા. મકાન બદલ્યા પછી સહુથી અઘરું કામ સરનામાં બદલવાનું. બેંક, ટપાલ, ગાડી ચલાવનું લાઈસંસ, પાસપોર્ટ વગેરેમાં. આમાં સહુથી અઘરું અને ના ગમતું કામ એ છે કે જયારે આપને પૈસા ખવડાવા પડે. લાંચ અને રિશ્વત આપના સમાજમાં જાણે દરેક ખૂણામાં છે. જો આપની સરકાર દરેક પોલીસ કચેરીમાં એક પાટિયું મારી દે કે "અહી લાંચ રિશ્વત લેવામાં આવતી નથી. જો આપવામાં આવશે તો ફોજદારી ગુનો બનશે. ફરિયાદ માટે ફલાણા નંબર પર ફોને કરી આપની ફરિયાદ નોંધાવો.

મારા પાસપોર્ટમાં સરનામું બદલવા આપેલ. જેની પોલીસ તરફ થી ચકાસણી માટે મને નજીકના પોલીસ ચોકીમાં બોલવામાં આવ્યું. બધી કાર્યવાહી પત્યા પછી મારી પાસે "ચા પાણી" ના પૈસા ૫૦૦ રૂપિયા માંગ્યા. મને ૫૦૦ રુપયા આપવાનો ખેદ નથી પણ હું આપના સમાજના એક દુષણનો ભાગ બન્યો એનું દૂખ છે. એ પણ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દેશમાં - સાબરમતીમાં. આ પૈસા ખુલ્લા આત્મવિશ્વાસથી માંગવામાં આવે છે. આવું જ મારા ગાડી ચલાવનું લાઈસંસમાં સરનામું બદલવા માટે બન્યું, અને હવે આવું જ રાશન કાર્ડ માટે બને છે.

અમુક લોકોનું એવું કહેવું છે કે સરકારી પગાર ધોરણ બહુજ નીચા છે. શું ખરેખર નીચા છે? કે પછી આપની જરૂરિયાતો ખૂબજ વધી ગયી છે? કે પછી સરકાર બધા સરકારી નોકરોને આમ બાકીના પૈસા કમાવાની તક આપે છે. પગાર વધારા ની માંગણી નથી કરી શકાતી? આટલી બધે હડતાલો અને આંદોલનો થાય છે. મારી નજરમાં તો સરકારી નોકરી એટલે દુનિયાની સૌથી મોટી પેઢી માં નૌકરી કરવાની તક. અહી લોકો ૨૦ - ૩૦ વરસ નૌકરી કરે છે અને પછી સરકાર તેમને બાકી ની ઝીંદગી મફત પૈસા આપે છે. ઘણી વખતે તો તેમના વારસદારોને પણ નૌકરી મળી જાય છે.

આજે આપને અને આપની સરકારે ભ્રષ્ટાચાર સામે સીધા, સરળ, લોકોને સમજાય એવા પગલા લેવાની જરૂરત છે. લાંચ વિરોધી છટકું શા માટે ગોઠવવું પડે? તે વગર કઈના થાય? એવું જે સામાન્ય નાગરિક સામાન્ય રીતે કરી શકે.

હવે થોડા જ દિવસો રહ્યા છે. ૨૦મે મે ના મારે ઓક્ષ્ફોર્ડ જવાનું છે. ત્યાં એક અઠવાડિયા માટે અમારી કાર્યશિબિર છે. ત્યાંજ મને કહેવામાં આવશે કે હવે મારે કયા દેશમાં જવાનું છે અને કઈ આફતમાં કામ કરવાનું છે.

Sunday, April 24, 2011

દિવાળી - ત્યારે અને અત્યારે

દિવાળી?
હા, દિવાળી. હું આપણા તહેવાર દિવાળી વિષે વાત કરવા માંગું છું.

જ્યારથી મેં શ્રીમતીજીને મારી પાછા જવાની ટિકટ બૂક કરવાની વાત કરી છે ત્યારથી જ શ્રીમતીજીએ સવાલો પૂછવા નો દૌર શરુ કર્યો છે.

પાછા ક્યારે આવશો?
હજુ કેટલા વરસ બારે નૌકરી કરવાની બાકી છે?
છેલ્લા ૫ વરસ થી દિવાળી ઘરે નથી કરી. આ વર્ષે શું પ્લાન છે?
૩ મહિના પછી તો એક વખત આવશો ને કે પછી આ વખતે પણ ૬ મહિના?
છોકરાઓની યાદ તમનેના આવે તો કઈ નહિ પણ છોકરા યાદ કરે છે તેનું શું?
વગેરે વગેરે.

આ સવાલો પછી હું વિચારતો હતો કે હું નાનો હતો ત્યારે દિવાળી કેવી હતી અને આજે શું છે !!!

દિવાળી ની શુભ કામનાઓ ને જ લઇ લો. પહેલા શુભ કામનાઓ ના પત્રો અને કાર્ડ આવતા હતા. ઢગલા બંધ ટપાળો. આજે તો ભાગ્યે જ આવે અને આવી જાય તો ઘણા લોકો ને નવાઇ પણ લાગે છે. આજે SMS અને e-mail આવે છે. આમાં પણ અલગ અલગ પ્રકાર ના લોકો છે.

જત્થાબંધ : એ લોકો જે ફોન બૂક ના બધા ને એક સાથે SMS મોકલે છે. એમાં મોટા ભાગ ના એવા લોકો હોય છે જેમની ૫૦ પૈસામાં SMS નું પ્લાન હોય છે.
કલાપ્રેમી : આ પ્રકાર ના લોકો "દિવાળી ની શુભકામનાઓ" કે "નવા વર્ષ ની શુભકામનાઓ" માત્ર ના SMSથી નથી ચાલતું. આ પ્રકાર ના લોકો દીવો, ફટાકડા, શુભકામનાઓનું અદભૂત કે અઘરું લખાણ, ફોટા અને કશુક કલાત્મક SMS મોકલે છે. થોડા ઘણા આવા કલાત્મક SMS બનાવે છે અને મોકલે છે અને બાકીના એને ફોરવર્ડ કરે છે.
ફક્ત પ્રતિઉત્તર : આમાં એવા પ્રકારના લોકો હોય છે જે પોતે કદી SMS નથી મોકલતા પણ આવેલા SMS નું ફક્ત ઉત્તર / જવાબ આપે છે. અંગ્રેજી માં જેને "Reply Only " કહી શકાય. 
હું પણ આ પ્રકારના લોકોમાંનો એક છું :)
ભયાનક : "દિવાળીની શુભકામનાઓ. શું તમે આ વર્ષનો આવક વેરો ભર્યો છે? જો ના ભર્યું હોય તો ૩૧ મી તારીખ પહેલા ભરી દો......." હા, આવા અથવા આવા પ્રકાર ના SMS પણ આવે છે.

આ સિવાય પણ દિવાળી આપણા જેવા લોકો માટે બદલી ગઈ છે.

ત્યારે : વરસ માં એક વખત બાળકો ના નવા કપડા આવતા.
અત્યારે : હવે તો દર અઠવાડીયે "Mall"માં જઈને દિવાળી મનાવીયે છીએ.

ત્યારે : સુતરબોમ્બ, હાજર ફટાકડાવાડી લડી, રોકેટ બોમ્બ વગેરે
અત્યારે : આનર, ફુલઝડી, ચક્રી વગેરે

ત્યારે : રૂ ની દિવેટ, માટી નું તેલ, દીવા
અત્યારે : વેક્ષવાળા તૈયાર દીવા બજારથી ખરીદી લાવીએ છીએ.

ત્યારે : ઘીવારા લાડુ અને બરફી ખાવાનાં દિવસો
અત્યારે : સુગર-ફ્રી મીઠાઈ અને ચોકલેટ ખાવી પડે છે.

ત્યારે : પ્રશ્ન - આ વર્ષે ઘરાકની શું ભેટ મોકલું?
અત્યારે : ઉત્તર - અમારી પેઢી / કમ્પનીમાં ભેટ-સોગાદો લેવાની મનાઈ છે.

હું દિવાળીના ત્યારના કે અત્યારના દિવસો પ્રત્યે ઉદાસીન નથી - સિવાય કે ત્યારની મીઠાઈઓ અને ફરસાણ - ખાસ કરી ને ગુંજયા જે આજે પણ એવા નથી બનતા. આજે આડોશી પાડોશી બજારથી લાવેલી મીઠાઈના ડબ્બા એક બીજાને આપે છે.

ગમે તે હોય, "અત્યારે" વધુ અગત્ય નું છે "ત્યારે" કરતા. પણ હા, દિવાળી તો હજુ પણ છે અને આપણ ને ઉત્સાહ પણ એટલું જ કાયમ છે. અને હા, "છે" અને "નથી" વચ્ચેનો ભેદ તો રહેશે.

એટલે, આવતી દિવાળી સુધી આપ સૌને શુભેચ્છાઓ.

Friday, April 22, 2011

૨૫૦ રૂપિયા ની એક CD

મારી દીકરીની નિશાળમાંથી મને જણાવવામાં આવ્યું કે ૨૫૦ રૂપિયામાં નિશાળ એક CD આપશે જેમાં ગત વર્ષના ફોટા છે. હા, ૨૫૦ રૂપિયા માં એક CD. આજ ના આધુનિક digital દુનિયા માં એક CD ના ૨૫૦ રૂપિયા? બસો ને પચાસ રૂપિયા?

આજે ૨૫૦ રૂપિયાની કોઈ કીમત નથી? અથવા તો પછી આ મોંઘવારીમાં એક CDની કીમત ૨૫૦ રૂપિયા? જો નિશાળ માં ૧૦૦ છોકરાઓ પણ ભણતા હોય તો ૨૫૦૦૦ રૂપિયા થાય. આજે દરેક ને ખબર છે કે બજારમાં એક CDની કીમત માત્ર ૨ થી ૨૦ રૂપિયા વચ્ચે છે. આજે દરેક વાલી પોતાના છોકરાઓ ના ફોટા માટે ૨૦૦ થી ૫૦૦ રૂપિયા ફાટક દઈ ને આપે દેશે. આ ભાવના લગભગ દરેક નિશાળ ના અધિકારીઓ ને ખબર છે. બસ આ જ ભાવના ને આજે દરેક નિશાળ વસૂલ કરે છે.

અમદાવાદમાં આજે દરેક ખૂણામાં એક નિશાળ ખૂલી ગયી છે. એડમીશન ફી, ટુશન ફી, ફોર્મ ફી, સમર કેમ્પ ફી, નાસ્તા ફી, વાહન ફી, યુનીફોર્મ ફી, ચોપડા ફી, વગેરે વગેરે... આજે ૨ વર્ષ ના એક બાળક ને સામાન્ય બાલમંદિરમાં એક વર્ષ ભણાવા માટે વાલીઓ પાસે થી અંદાજે ૧૫ - ૨૦ હજાર રૂપિયા સુધી લેવામાં આવે છે.

જયારે મેં મારી દીકરી નું દફતર જોયું તો ખૂબ જ આશ્ચર્ય થયું. એ દફતરમાં મેં મારી દીકરી ને બેસાડી દીધે. એ તો આવી ગઈ દફતરમાં અને હજુ થોડે જગ્યા વધે હતી. હા હા હા ..... ખરેખર .. હું મજાક નથી કરતો.. આવતા વર્ષે પણ એ આ દફતરમાં આવી જશે. અને એના બૂટની કીમત ૧૧૦૦ રૂપિયા.

ખરેખર, આ પણ એક ખૂબ સરસ ધંધો છે જેમાં કમાણી પુષ્કળ છે અને ઘરાકી પણ ઓછી નથી......

આપ સહુના અનુભવો અને પ્રતિભાવોને આમંત્રણ છે.......