Showing posts with label વિચાર વિસ્તાર. Show all posts
Showing posts with label વિચાર વિસ્તાર. Show all posts

Tuesday, November 25, 2014

दांपत्य जीवन और परिवार

सामाजिक बंधन कितने जल्दी दम तोड़ते जा रहे हैं, कल तक जो वैवाहिक संस्था में बहुत खुश थे रोज ही उनके ठहाकों की आवाजें आती थीं और आज वैवाहिक संस्था को चलाने वाले वही दो कर्णधार अलग अलग नजर आ रहे थे, एक फ़्लैट की आगे गैलरी में और दूसरा फ़्लैट की पीछे गैलरी में ।

उनका पारिवारिक जीवन बहुत ही अच्छा चल रहा था और उनको देखकर हमेशा लगता था कि परस्पर इनका बंधन मजबूत हो रहा है, परंतु कल पता नहीं क्या हुआ, दोनों के बीच इतनी बड़ी दूरी देखकर मन बेहद दुखी हुआ । दोनों विषादित नजर आ रहे थे, मुझे तो दोनों की हालत देखकर ही इतना बुरा लग रहा था और वे दोनों तो इन परिस्थितियों से गुजर रहे हैं, कितना विषाद होगा उनके बीच।

कैसा लगता होगा जब उसी साथी को देखने की इच्छा ना हो जो आपका जीवन साथी हो, जिसको प्यार करते हों और साथ जीने मरने की कसमें खायी हों। यह रिश्तों की डोर कितनी पतली और नाजुक है जिस पर आजकल की पीढ़ी सँभल नहीं पा रही है। जितनी तेजी से सामाजिक परिवेश बदल रहा है उतनी तेजी से युवा पीढ़ी में परिपक्वता नहीं बढ़ रही है। केवल कैरियर में अच्छा करना परिपक्वता की निशानी नहीं होता, सामाजिक और पारिवारिक समन्वयन परिपक्वता की निशानी होता है।

पिछले वर्ष से इस वैवाहिक संस्था को मजबूत होता हुआ उनके बीच देख रहा था परंतु आज उसने मुझे झकझोर दिया, महनगरीय संस्कृति में किसी के मामले में बोलना अनुचित होता है, दूसरी भाषा दूसरी संस्कृति भी कई मायने में दूरियाँ बड़ा देती हैं, परंतु आखिर परिस्थितियाँ तो सबकी एक जैसी होती हैं, और विषाद भी, केवल विषाद के कारण अलग अलग होते हैं।

युवा पीढ़ी जिस तेजी से वैवाहिक संस्था को मजबूत बनाती है, एकल परिवार में वह वैवाहिक संस्था छोटी छोटी बातों पर बहुत कमजोर पड़ने लगती है और कई बार इसके अच्छे परिणाम देखने को नहीं मिले हैं, परंतु अगर वही युवा जोड़े में एक भी परिपक्व होता है तो वह वैवाहिक संस्था हमेशा मजबूती से कायम होती है।

आजकल वैवाहिक संस्था में दरार कई जगह देखी है, परंतु उससे ज्यादा मैंने प्यार, मजबूती और रिश्तों में प्रगाढ़ता देखी है। मेरी शुभकामनाएँ हैं युवा पीढ़ी के लिये, वे परिपक्व हों और वैवाहिक संस्था का महत्व समझकर जीवन का अवमूल्यन ना करें।

पति – पत्नि जीवन रथ के दो पहिये हैं। गृहस्थी की गाड़ी सुचारु रुप से चलाने हेतु दोनों पहियों का ठीक – ठाक रहना बहुत जरुरी है। वे एक दूसरे के पूरक हैं। पति – पत्नि को आपस में सम्बन्धों को सहज एवं सुलभ बनाने के लिये एक दूसरे की भावनाओं को समुचित आदर देना जरुरी है। यदि पति – पत्नि अग्नि को साक्षी मानकर विवाह के समय की गई अपनी प्रतिज्ञाओं को याद रखें एवं उनका पालन करें तो जीवन में आनन्द ही आनन्द होगा।

पति – पत्नि में आपस में समझबूझ तब और ज्यादा विकसित पाई जाती है जब दोनों जीवन के कठिन मार्ग से साथ में गुजरे हों, फ़िर भले ही वह कुछ भी कठिनता हो चाहे वह पारिवारिक हो या धन की। कठिन समय में एक दूसरे का हौसला बढ़ाकर वे एक दूसरे को बहुत करीब से जानने लगते हैं। कई दंपत्तियों में इस समझबूझ की कमी पाई जाती है क्योंकि उनके पास शुरु से ही सारे सुख होते हैं, जिससे वे एक दूसरे को समझ ही नहीं पाते और हमेशा एक दूसरे से दूरी बनी रहती है।

आज सुबह उठने के बाद मोबाईल में झांका तो पाया एक एस.एम.एस. हमारा इंतजार कर रहा है, जो कि सही मायने में "पत्नि कौन है", "पति कौन है" एक वाक्य में अभिव्यक्ति है।

हमने भी मनन किया, कब ? (आज सुबह घूमते समय आज कान में कानकव्वा न लगाकर सोचने के लिये समय दिया और इसलिये कानकव्वे द्वारा सुनने वाला लेक्चर भी आज मिस हो गया )और पाया कि वाकई बात तो सही है।

"पत्नि कौन है" - पत्नि वो है जो पति को टोक टोक कर उसकी सारी आदतें बदल दे और फ़िर कहे "तुम पहले जैसे नहीं रहे।"

"पति कौन है" - पति वो है जो पत्नि को टोक टोक कर उसकी आदतें बदलना चाहता है और फ़िर कहे "तुम कभी बदल नहीं सकतीं।"

क्या यह एक वाक्य की अभिव्यक्ति सही है!

पति के कर्तव्य : उस माँ की ममता को याद रखना जिसने पाल पोस कर तुम्हें इतना बड़ा किया है ।

पति को पत्नी के सामने कभी भी उसके पीहर वालों की बुराई नहीं करनी चाहिये। यह स्त्री स्वाभाव है कि वह सब कुछ सहन कर सकती है, लेकिन अपने माँ – बाप, भाई – बहन की बुराई नहीं सहन कर सकती। क्या पति अपने परिवार वालों की बुराई सुन सकता है? यदि नहीं तो पत्नी से कैसे अपेक्षा करे कि वह अपने सामने अपने परिवार वालों की बुराई सुन सके। वैसे विवाह के बाद पत्नी अपने पति की बुराई भी नहीं सुन सकती।

पति अगर पत्नी की किसी आवश्यकता को पूरी नहीं कर सकता तो पत्नी को अपनी मजबूरी एवं कारण प्रेमपूर्वक मीठे शब्दों द्वारा समझाना चाहिये। पति को कभी भी अपने पुरुष होने का झूठा अभिमान नहीं करना चाहिये। स्त्री के साथ सब समय सहयोग की भावना रखनी चाहिये एवं उसे अर्धांगिनी का दर्जा देकर सम्मान देना चाहिये।

पत़्नी के कर्तव्य : पति की तरह ही पत़्नी के भी कुछ कर्तव्य होते हैं, जिनका पालन कर गृहस्थाश्रम का पूर्ण आनन्द लिया जा सकता है। किसी ने ठीक कहा है – ईंट और गारे से मकान बनाये जा सकते हैं, घर नहीं। मकान को घर बनाने में गृहिणी का ही पूरा हाथ होता है। वैसे भी इतिहास साक्षी है कि बहुत से महापुरुषों जैसे तुलसीदास, कालिदास, शिवाजी आदि के उत्थान पतन में स्त्री की ही मुख्य भूमिका रही है। मधुर भाषी स्त्री घर को स्वर्ग बना सकती है तो कर्कशा व जिद्दी स्त्री घर को नर्क बना देती है। पत़्नी को निम्न बातों का ध्यान रखना चाहिये -

पति के माता – पिता एवं परिवार के अन्य सदस्यों का आदर करे तथा उनकी सुविधा का हमेशा ध्यान रखे।

कभी भी अपने पीहर में ससुराल वालों की निंदा या बुराई न करे।

कभी भी पति पर कटु, तीखे एवं व्यंग्यात्मक शब्दों का प्रयोग न करें। सब समय ध्यान रहे कि तलवार का घाव भर जाता है, बात का नहीं।

पति के सामने कभी भी ऐसी मांग न करे जो पति की सामर्थ्य के बाहर हो।

कभी भी झूठी शान शौकत के चक्कर में पैसे का अपव्यय न करे। पति से सलाह मशविरा करके ही संतुलित एवं आय के अनुसार ही व्यय की व्यवस्था करें। पति के साथ रिश्ते को पैसे का आधार नहीं बनाकर सहयोग की भावना से गृहस्थी चलानी चाहिये।

सर्वोपरि पति – पत़्नी में एक दूसरे के प्रति दृढ़ निष्ठा एवं विश्वास भी होना चाहिये। दोनों का चरित्र संदेह से ऊपर होना चाहिये। कभी – कभी छोटी – छोटी बातें भी वैवाहिक जीवन में आग लगा देती हैं, हरे भरे गृहस्थ जीवन को वीरान बना देती है। आपसी सामंजस्य, एक दूसरे को समझना, किसी के बहकावे में न आना, बल्कि अपनी बुद्धि से काम लेना ही वैवाहिक जीवन को सुन्दर, प्रेममय व महान बनाता है।

सन्तान के कर्तव्य : मातृ देवो भव: ! पितृ देवो भव: ! आचार्य देवो भव: ! अतिथि देवो भव: !

माता पिता, गुरु और अतिथि – संसार में ये चार प्रत्यक्ष देव हैं । इनकी सेवा करनी चाहिये। इनमें भी माता का स्थान पहला, पिता का दूसरा, गुरु का तीसरा और अतिथि का चौथा है। माता – पिता में परमात्मा प्रत्यक्ष स्वरुप है। माता साक्षात लक्ष्मी होती है तो पिता नारायण। जिनको माता पिता में भगवद्भाव नहीं होते उनको मन्दिर या मूर्ति में भी कभी भगवान के दर्श्न नहीं होते।

माता – पिता में भी माँ का दर्जा अधिक ऊँचा है। शास्त्रों में भी माँ का दर्जा पिता से सौ गुणा अधिक ऊँचा बताया गया है। पिता तो धन – सम्पत्ति आदि से पुत्र का पालन पोषण करता है, पर माँ अपना शरीर देकर पुत्र का पालन पोषण करती है। बच्चे को गर्भ में नौ माह तक धारण करती है, जन्म देते समय प्रसव पीड़ा सहती है, अपना दूध पिलाती है एवं अपनी ममता की छाँव में उसका पालन पोषण करती है। ऐसी ममतामयी जननी का ऋण पुत्र नहीं चुका सकता। ऐसे ही पिता बिना कहे ही पुत्र का भरण पोषण का पूरा प्रबन्ध करता है, विद्याध्ययन करवाकर योग्य बनाता है, उसकी जीविका का प्रबन्ध करता है एवं विवाह कराता है। ऐसे पिता से भी उऋण होना बहुत कठिन है। रामायण में कहा गया है - “बड़े भाग मानुष तन पावा”। इस शरीर के मिलने में प्रारब्ध (कर्म) और भगवत़्कृपा तो निमित्त कारण है और माता पिता उपादान कारण हैं। उनके कारण ही हम इस संसार में आते हैं। इसलिये जीते जी उनकी आज्ञा का पालन करना, उनकी सेवा करना, उनको प्रसन्न रखकर उनका आशीर्वाद लेना और मरने के बाद उनके मोक्ष हेतु पिण्ड दान, श्राद्ध – तर्पण करना आदि पुत्र का विशेष कर्तव्य है। माता पिता की दुआ में दवा से भी हजार गुणा ज्यादा शक्ति होती है।

पुराणों में उल्लेख मिलता है कि जब देवराओं में यह होड़ लगी कि सबसे बड़ा कौन ? जो सबसे बड़ा होगा वही प्रथम पूज्य होगा। तब सर्वसम्मति से यह निर्णय लिया गया कि जो तीनों लोकों का तीन चक्कर लगा कर सबसे पहले आ जायेगा वही प्रथम पूज्य होगा। सभी देवता अपने अपने वाहनों पर चढ़ कर दौड़ पड़े तब गणेश जी बड़े चक्कर में पड़े कि मेरा वाहन चूहा सबसे छोटा है इस पर चढ़कर में कैसे सबसे पहले पहुंच सकता हूँ। अत: उन्होंने समाधिस्थ पिता शंकर के बगल में माँ पार्वती को बैठा दिया तथा स्वयं अपने वाहन पर चढ़ कर दोनों की तीन बार परिक्रमा की । माता पिता की परिक्रमा करते ही तीनों लोकों की परिक्रमा पूरी हो गई और वे प्रथम पूज्य घोषित हुए। आज भी बुद्धि के देवता के रुप में सर्वत्र प्रथम पूज्य हैं।

Monday, November 24, 2014

संयुक्त परिवार

संयुक्त परिवार में रहने का एक अलग ही आनंद है। एकाकी जीवन भी भला कोई जीवन है ? जब तक परिवार संयुक्त रहता है, परिवार का हर सदस्य एक अनुशासन में रहता है। उसको कोई भी गलत कार्य करने के पहले बहुत सोचना समझना पड़ता है, क्योंकि उस पर परिवार की मर्यादा का अंकुश रहता है। यह अंकुश हटने के बाद वह बगैर लगाम के घोड़े की तरह हो जाता है। लेकिन संयुक्त परिवार में अगर सुखी रहना है तो ’लेने’ की प्रवृत्ति का परित्याग कर ’देने’ की प्रवृत्ति रखना पड़ेगी। परिवार के हर सदस्य का नैतिक कर्त्तव्य है कि वे एक दूसरे की भावानओं का आदर कर आपस में तालमेल रख कर चलें। ऐसा कोई कार्य न करें जिससे कि दूसरे की भावनाओं को ठेस पहुँचे। किसी भी विषय को कृपया अपनी व्यक्तिगत प्रतिष्ठा का प्रश्न न बनायें।

गम खाकर और त्याग करके ही संयुक्त परिवार चलाया जा सकता है। इसमें भी सबसे अहम भूमिका परिवार प्रधान की होती है। हमें शंकर भगवान के परिवार से शिक्षा लेनी चाहिये। उनके परिवार के सदस्य हैं – पत्नि उमा (पार्वती), पुत्र गणेश और कार्तिकेय। सदस्य के वाहन हैं – नन्दी (बैल), सिंह, चूहा और मयूर (मोर)। शंकर भगवान के गले में सर्पों की माला रहती है। इनके जितने वाहन हैं – सब एक दूसरे के जन्मजात शत्रु हैं, फ़िर भी शंकर भगवान परिवार के मुखिया की हैसियत से उनको एकता के सूत्र में बाँधे रहते हैं। विभिन्न प्रवृत्तियों वाले भी एक साथ प्रेम से रहते हैं। इसी तरह संयुक्त परिवार में भी विभिन्न स्वाभाव के सदस्यों का होना स्वाभाविक है, लेकिन उनमें सामंजस्य एवं एकता बनाये रखने में परिवार प्रमुख को मुख्य भूमिका निभानी पड़ती है। उसको भगवान की तरह समदर्शी होना पड़ता है।

विभिन्नता में एकता रखना ही तो हमारा भारतीय आदर्श रहा है। इसीलिये कहा गया है – “India offers unity in diversity.” शंकर भगवान के परिवार के वाहन ऐसे जीव हैं, जिनमें सोचने समझने की क्षमता नहीं है। इसके उपरांत भी वे एक साथ प्रेमपूर्वक रहते हैं। फ़िर भला हम मनुष्य योनि में पैदा होकर भी एक साथ प्रेमपूर्वक क्यों नहीं रह सकते ? आज छोटा भाई बड़े भाई से राम बनने की अपेक्षा करता है, किन्तु स्वयं भरत बनने को तैयार नहीं। इसी तरह बड़ा भाई छोटे भाई से अपेक्षा करता है कि वह भरत बने लेकिन स्वयं राम बनने को तैयार नहीं। सास बहू से अपेक्षा करती है कि वह उसको माँ समझे, लेकिन स्वयं बहू को बेटी मानने को तैयार नहीं। बहू चाहती है कि सास मुझको बेटी की तरह माने, लेकिन स्वयं सास को माँ जैसा आदर नहीं देती। पति पत्नि से अपेक्षा करता है कि वह सीता या सावित्री बने पर स्वयं राम बनने को तैयार नहीं। यह परस्पर विरोधाभास ही समस्त परिवार – कलह का मूल कारण होता है। थोड़ी सी स्वार्थ भावना का त्याग कर एक दूसरे की भावनाओं का आदर करने मात्र से ही बहुत से संयुक्त परिवार टूटने से बच सकते हैं।

कई बार मैने संयुक्‍त परिवार में किसी एक पति पत्‍नी का शोषण होते देखा है। यहां माता पिता या बडे भाई की अहम् भूमिका होनी चाहिए। यदि वे सबके हित में कुछ सख्‍त निर्णय लेने की सामर्थ्‍य रखते हैं, तो संयुक्‍त परिवार चलना बहुत कठिन नहीं। अन्‍यथा टूटने की नौबत आ ही जाती है। थोड़ी सी स्वार्थ भावना का त्याग कर एक दूसरे की भावनाओं का आदर करने मात्र से ही बहुत से संयुक्त परिवार टूटने से बच सकते हैं। परिवार के प्रधान को शंकर की जी की तरह जीवन में कई बार जहर भी पीना पड़ता है पारिवारिक एक सूत्रता के लिए।

संयुक्त परिवार के फ़ायदे ओर नुकसान दोनो है.यदि परिवार के सदस्यो मे आपसी प्यार,एक- दूसरे के प्रति सम्मान की भावना है तो इसके फ़ायदे ही फ़ायदे है।

Tuesday, November 5, 2013

कहै कबीर कुछ उद्यम कीजै

कबीर कपड़ा बुनकर बाजार में बेचते रहे। घर छोड़कर कहीं अन्यत्र नहीं गए। हिमालय भी इंतज़ार करता रह गया। कबीर ने उद्घोषित किया था कि परमात्मा यहीं चलकर स्वयं आएगा। कुछ भी छोड़ने की ज़रूरत नहीं, क्योंकि छोड़ना पाने की शर्त नहीं हो सकता। छोड़ना अहंकार हो सकता है, आभूषण हो सकता है, लेकिन आत्मा का सौन्दर्य नहीं हो सकता। अगर कबीर जैसा आदमी, अति साधारण जुलाहा अपना काम करते हुए परमज्ञान को उपलब्ध हो सकता है तो दूसरे क्यों नहीं ? कबीर के पास सबके लिए एक आशा की ज्योति है। पूर्णत्व को पाने का संदेश है।

जीवन का सत्य स्वप्रमाण है। इसकी बुनियाद सूक्ष्म से सूक्ष्मतर के अन्वेषण पर आधारित है। जो सदियों से हमारे ऋषियों-मुनियों तथा संतों की आत्म-अभिव्यक्ति रही है। इसका अन्वेषित प्रारूप समय-समय पर मानव समाज को एक आयाम प्रदान करता रहा है।

कबीरदास के अनुसार जिसका कोई शत्रु नहीं है, जो निष्काम है, ईश्वर से प्रेम करता है और विषयों से असंपृक्त रहता है, वही संत है।
निरबैरी निहकामना, साई सेतीनेह।
विषया सूं न्यारा रहै, संतन के अंग एह।।

आज की संत परम्परा बदसूरत हो गई है। साधारण लोग साधु का नाम सुनते ही बिदक जाते हैं। कमजोर, आलसी, निठल्ला तथा घोटालों एवं घपलों में अफसरों, नेताओं का साथ देने वाला, साधु का चोला पहनकर घूम रहा है। परन्तु हमारे ऋषियों-मनीषियों ने इसका सर्वथा त्याग किया है। इसी परम्परा के अंतर्गत ही अभी जनक, कबीर, गुलाल, रैदास का नाम आता है। ये स्वयं कर्मशील रहे तथा इनकी दृष्टि खोजी रही। परिवार के साथ रहते हुए उद्यम करते हुए चिंतन में गहराई से उतरे तथा समाज को निष्काम कर्म योग का पाठ पढ़ाया।

‘‘आदर्श कर्म करते हुए ‘स्व’ का अनुभव हो जाना, स्वाभाविकता, समता एवं शांति में जीना ही श्रेष्ठ संन्यास है।’’

‘‘ऐसी वाणी बोलिए, मन का आपा खोय।
औरन को शीतल करे, आपहु शीतल होय।’’



योगसूत्र

कोई भी सच्चा सम्बन्ध सजातीय तत्त्व से ही हो सकता है, विजातीय से नहीं। ईश्वर का सजातीय तत्त्व आत्मा ही है। अतः उसी से उसका प्रत्यक्ष अनुभव हो सकता है, अन्य जड़ तत्त्वों से नहीं।

शास्त्र में प्रकृति के चौबीस भेद एवं आत्मा और ईश्वर-इस प्रकार कुल छब्बीस तत्त्व माने गये हैं; उनमें प्रकृति तो जड़ और परिणामशील है अर्थात् निरन्तर परिवर्तन होना उसका धर्म है तथा मुक्तपुरुष और ईश्वर-ये दोनों नित्य, चेतन, स्वप्रकाश, असंग, देशकालातीत, सर्वथा निर्विकार और अपरिणामी हैं। प्रकृति में बँधा हुआ पुरुष अल्पज्ञ, सुख-दुःख का भोक्ता, अच्छी-बुरी योनियों में जन्म लेने वाला और देशकालातीत होते हुए भी एकदेशीय सा माना गया है।

योग का अर्थ है ‘मिलना’, ‘जुड़ना’, ‘संयुक्त होना’ आदि। जिस विधि से साधक अपने प्रकृति जन्य विकारों को त्याग कर अपनी आत्मा के साथ संयुक्त होता है वही ‘योग’ है। यह आत्मा ही उसका निज स्वरूप है तथा यही उसका स्वभाव है। अन्य सभी स्वरूप प्रकृति जन्य हैं जो अज्ञानवश अपने ज्ञान होते हैं। इन मुखौटों को उतारकर अपने वास्तविक स्वरूप को उपलब्ध हो जाना ही योग है। यही उसकी ‘कैवल्यावस्था’ तथा ‘मोक्ष’ है। योग की अनेक विधियाँ हैं। कोई किसी का भी अवलम्बन करे अन्तिम परिणाम वही होगा। विधियों की भिन्नता के आधार पर योग के भी अनेक नाम हो गये हैं जैसे-राजयोग, ज्ञानयोग, कर्मयोग, भक्तियोग, संन्यासयोग, बुद्धियोग, हठयोग, नादयोग, लययोग, बिन्दुयोग, ध्यानयोग, क्रियायोग आदि किन्तु सबका एक ही ध्येय है उस पुरुष (आत्मा) के साथ अभेद सम्बन्ध स्थापित करना। महर्षि पतंजलि का यह योग दर्शन इन सब में श्रेष्ठ एवं ज्ञानोपलब्धि का विधिवत् मार्ग बताता है जो शरीर, इन्द्रियों तथा मन को पूर्ण अनुशासित करके चित्त की वृत्तियों का निरोध करता है। पतंजलि चित्त की वृत्तियों के निरोध को ही ‘योग’ कहते हैं क्योंकि इनके पूर्ण निरोध से आत्मा अपने स्वरूप में स्थित हो जाती है।...

सपने और भ्रांतियां

हम एक गहरी भ्रांति में जीते हैं–आशा की भ्रांति में, किसी आने वाले कल की, भविष्य की भ्रांति में। जैसा आदमी है, वह आत्म-वंचनाओं के बिना जी नहीं सकता। नीत्से ने एक जगह कहा है कि आदमी सत्य के साथ नहीं जी सकता; उसे चाहिए सपने, भ्रांतियां; उसे कई तरह के झूठ चाहिए जीने के लिए। और नीत्से ने जो यह कहा है, वह सच है। जैसा मनुष्य है, वह सत्य के साथ नहीं जी सकता। इस बात को बहुत गहरे में समझने की जरूरत है, क्योंकि इसे समझे बिना उस अन्वेषण में नहीं उतरा जा सकता जिसे योग कहते हैं।

और इसके लिए मन को गहराई से समझना होगा–उस मन को जिसे झूठ की जरूरत है, जिसे भ्रांतियां चाहिए; उस मन को जो सत्य के साथ नहीं जी सकता; मन जिसे सपनों की बड़ी जरूरत है।

Friday, October 4, 2013

नियती - स्वीकार या संघर्ष

सांस विचार है, सांस बंद तो विचार बंद. हर छोटी छोटी आदत व विचार को विधेयक बनाओ तो अकल्पनीय सुधार अनुभव होंगे. तब अचेतन भी सुधरेगा. हर आदत धीरे धीरे अचेतन का हिस्सा बन जाती है. प्रभु को आगे रखो. साक्षी बनो. गहरा सोचकर निर्णय करने से भीतर द्रढ आस्था बन जाती है. श्रद्धा - प्रेम - आनंद - गुणात्मक - भावत्मक विचार से निर्णय कर फिर ज़िंदगी भर करते जाओ.  करुणा गंगा है, श्रद्धा उल्टी गंगा है. श्रद्धा हो तो करुणा स्वतः बहेगी. मौन व अनासकती को साधो और सहज अंग बना लो.  उर्जा तटस्थ है. क्रोध का दामन ना करो, करुणा मैं बदल दो. विपरीत करो, दामन ना करो. कुविचार की भंवर बंद करो. साक्षी बनो. वर्तमान को आनंदपूर्ण बनाओ. भीतर आनंद है, तो बाहरी सुखो की नही पड़ी होती. यही वैराग्य है.

सूर्योदय मैं सृष्टि जागती है. हमारा शरीर जागता है. तब किसी व्रक्ष के नीचे मौन, निश्चिन्त्र्या बैठ जाओ और भीतर उर्जा के तेज प्रवाह को अनुभव करो. साक्षी बनो. मैं हे प्रसन्नता का मूल उदगम हू. ये अनुभव होगा. याने अहंकार विसरजित, इचछा रहित, सहज स्वभाव मैं एक सामग्रा स्वीकृति.

प्राप्त परिस्थिति मेरी नियती है. मैने माँग कर ली है. दो बाते मैं कर सकता हूँ - सहज स्वीकार या फिर संघर्ष. समग्रता से अस्तित्वा गत सामग्रा स्वीकार करे तो व्यथा ही तिरोहित हो जाती है. - ये जीवन का गूढतम रहस्या है. संघर्ष मैं अपनी उर्जा व्यय होगे. योद्धा नही सहज ध्यानी बनो.

वर्तमान नर्क का निर्माण मैने स्वयं किया है, तो उसे स्वर्ग भी मैं ही बना सकता हूँ. समरपार्ण तरीका है, विजय का.

नही कहना भी सूक्ष्म हिंसा है, अतः सकारात्मक भाव - भंगिमा से मना करो.

साधक को हाँ के सुवास मैं जीना होता है. आस्थावन हाँ ही कहेगा. जीवन मैं हाँ, शरीर मैं हाँ. मान मैं हैं. प्रत्येक को हाँ, संपूर्ण अस्तित्व को हाँ बिना शर्त के. तब परम खिलवट होती है. अस्तित्वा शुद्ध होता है. अहंकार सुक्षम विध्वंस हैं और अस्मिता अहंकार विहीन है.

हाँ मैं सुद्धता + सुंदरता भीतर अवतरित होती अनुभव होगी.

Sunday, June 2, 2013

આરોગ્ય : હેડકી

જયારે આપના કોઈ સ્વજન, પ્રિયજન કે સંબંધી આપણને યાદ કરે ત્યારે હેડકી આવે એવું આપના સમાજમાં હેડકી માટે કહેવાય છે.

હેડકી આવાનું મુખ્ય કારણ છે - તીક્ષ્ણ પદાર્થોનું સેવન, ઉત્તેજક દવા, જરૂરિયાત કરતા વધુ ખાવું, જરીરિયાત કરતા વધારે તીખું ખાવું, મરચા અને મસાલેદાર ખાવાનું,પચવામાં અઘરું હોય તેવું ખાવું, ધૂળ, ધુમાડો, ઉપવાસ વગેરે છે.

ઘણી વખત બાળકો ને પણ હેડકી આવતી હોય છે. તેનું કારણ એ છે કે બાળક ને જયારે દૂધ પીવડાવામાં આવે છે ત્યારે જે ગેસ પેદા થાય છે તે ડાયફ્રેમથી ટકરાઈ ને નસો માં ખેચાણ પેદા કરે છે. બીમારીની દ્રષ્ટિથી તો આ કોઈ બિમારી નથી પણ આ અન્ય કોઈ ગંભીર બીમારી નો સંકેત કરે છે. આથી આનો ઉપચાર જરૂરી છે.

હેડકી દૂર કરવાના ઉપાય
  • જર્મન વિજ્ઞાનીઓ ના માટે જયારે હેડકી આવવાની શરુ થાય ત્યારે થોડી ખંડ ફંકી લેવી.
  • અજમાના દાન મોમાં રાખી ને તેનો રસ ચુસ્વો.
  • નારિયેળ (ટોપરા)ના ચુરા માં ખંડ નાખી ને ખાવું.
  • પીસેલી કાળી મારી અને પીસેલી સાકાર અડધી અડધી માત્રામાં અડધી ચમચી જેટલું લેવું. તેને એક ગ્લાસ પાણી માં ભેળવી ને પીવાથી પણ હેડકીમાં થાય છે.
  • દર કલાક ના અન્તરે એક ચમચી મધ ચાટવાથી પણ હેડકીમાં રાહત થાય છે.
  • પોધીનાના પાંદડા મોમાં રાખી ને ચૂસવાથી અથવા પોધીના સાથે સાકાર ચાવવાથી પણ રાહત થાય છે. 
  • ગાયના દૂધમાં સાકાર ભેળવીને પીવાથી પણ હેડકીમાં રાહત થાય છે.
  • અડધી ચમચી તુલસી નો રસ અને અડધી ચમચી મધ સવાર સાંજ લેવું.

Tuesday, February 19, 2013

નરેન્દ્ર મોદી ભારતના પ્રધાન મંત્રી

નરેન્દ્ર મોદી ભારતના પ્રધાન મંત્રી

- આ વિષય પર અનેક લેખો લખી ગયા છાપામાં, મેગઝીનમાં, કેટલું બધું ચર્ચાય છે TV અને રેડિયામાં। Internet પર ઘણી બધી gigabite bandwidth વપરાઈ છે આ વિષય પર ચર્ચા અને શોધ કરવામાં। ભારતના ઇતિહાસમાં આટલું બધું બીજા કોઈ નેતા માટે નથી થયું।

એક પ્રથા બનવા લાગી છે કે લોકો જયારે સાંભળે કે મોદી પ્રધાન મંત્રી બનશે? તો ઘણા લોકો માથું હલાવી ને હા પડશે અથવા ચર્ચા કરવા લાગશે કે મોદી શા માટે પ્રધાન મંત્રીના બની શકે। આ ઉપરાંત, "chargesheet" અને અનેક ભવિષ્યવાણીઓ।

હકીકત તો એ છે કે મોદી આજે ભાજપના 2014 ની ચુંટણીના પ્રધાન મંત્રી માટેના એક આગળ પડતા ઉમ્મેદવાર છે। હજુ સુધી મોદી ની પ્રધાનમંત્રી માટે ની ઉમ્મેદ્વારીની જાહેરાત ભાજપ અથવા મોદીએ નથી કરી। આ જાહેરાત થઇ જાય પછી મોદીએ જીતવું પડે અને ત્યારે બાદ કેટલી બધી બાબતો છે એ "HOT-SEAT" પર બિરાજમાન થવા માટે।

આમ તો મોદી સાહેબ નો હું ખુબજ મોટો પ્રશંસક છું પણ મને હાલમાં એક જ તકલીફ છે। આ બધું મારા નામ પર થઇ રહ્યું છે - વિકાસ। અને મારે અમદાવાદથી બરોડા જઈને આવા માં 185 KM ના સફર માં 450 થી વધુ નો Toll Tax ચૂકવવો પડે છે। જો તેઓ ભારતના પ્રધાનમંત્રી બની જશે તો શું આખા ભારતમાં વિકાસ થશે? અને જો થશે તો સાહેબ આટલા બધા પૈસા ચુકવવા કઈ રીતે? અને તે પણ જાત જાતના અને ભાત ભાતના કર વેરા ચૂકવ્યા પછી।

Saturday, October 20, 2012

માણસાઈનો સંબંધ


ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય 
દો પાટણ કે બીચ મેં સાબુત બચા ના કોઈ 

ઉપરોક્ત કબીરના દોહો આજે સાંભળ્યું અને વિચારવા લાગ્યો - હા ઝીંદગીમાં આપને ઘણું બધું જોઈએ છીએ, અનુભવીએ છીએ, ઘણી જાતની પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. આજે દરેક સંબંધોની વ્યાખ્યા કેટલી અઘરી થઇ ગઈ છે. સંબંધનો પ્રથમ અર્થ અપેક્ષા છે.  જયારે આ બાબતનો પોતાની ઉપર ચિંતન કરીએ તો ખબર પડે છે કે આપને દરેક સંબંધમાંથી કેટલી બધી અપેક્ષા રાખીએ છીએ. જયારે આ આપેક્ષા અને આશા ના રહે ત્યારે જ પ્રેમ અને માણસાઈનો સંબંધ બંધાય છે. સંબંધો માં લગભગ બધી જ ગુચવાનો અપેક્ષા થી જ આવે છે. 

મને એક વાત કહેવામાં આવી કે  - સામાન્ય રીતે જયારે કોઈ આપણા ઘર કરતા મોટું ઘર બનાવે કે મોટી ગાડી લઇ આવે તો આપણ ને કશું ફેર ના પડે પણ જયારે આપનો સંબંધી લઈને આવે છે ત્યારે ઈર્ષ્યા અનુભવીએ છીએ. મેં આ બાબતનો ઘણો વિચાર કર્યો. જો ઈર્ષ્યા થાય તો સંબંધ માણસાઈનો ના કહેવાય. મારામાં ઈર્ષ્યા ના આવે એ મારે જોવાનું રહ્યું. અને હા, મને ઈર્ષ્યા નઈ થાય કારણ કે એનો મતલબ એમ થાય કે હું મારી જરૂરિયાતો વિષે સચેત નથી. જો જરૂરિયાત હોય તો મારામાં એને  પૂરી કરવાની સક્ષમતા હોવી જોઈએ. સક્ષમ વ્યક્તિ સામાન્ય રીતે સંતોષી હોય છે. અહી સક્ષમતા કોને કહેવી એ પણ અઘરો પ્રશ્ન છે કારણ કે જરૂરિયાતો નો વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ હોય છે.  

Wednesday, August 29, 2012

સુનીતા

જેમ આપ જાણો છો કે હું અમદાવાદમાં રહું છું. થોડા સમય પહેલા હું કસા કામ માટે ગામમાં ગયો. પાછા ફરતી વખતે રસ્તામાં મને ભૂખ લાગી અને મેં એક લારી પાસે ગાડી રોકી. એક ઢોસા માટે લારીવાળાને કહી ને અમે રાહ જોવા લાગ્યા. ખાવાનું આવ્યું એટલે હું ખાવા લાગ્યો. અચાનકમેં જોયું કે એક ૪ - ૫ વરસની છોકરી મારી તરફ આવી અને મારા ઢોસા તરફ જોવા લાગી. મેં પ્રેમથી તેના તરફ જોયું તો તેને કહ્યું, "કાકા મને ભૂખ લાગી છે, તમે મને ખવડાવોને". ખબર નહિ પણ તે છોકરી મને ખૂબ ભોળી લાગી અને ગમી ગઈ. તેની નાક વહેતી હતી. કપડા મેલા હતા. તે કદાચ દુનિયા માટે ભિખારી હતી. હું વિચારતો હતો ત્યાં જ તેને ફરીથી કહ્યું "કાકા મને ભૂખ લાગે છે." હું પોતાની જાતને રોકીના શક્યો અને મેં બીજો ઢોસો મંગાવ્યો. ઢોસો આવ્યો અને તેને ખાધું.

થોડી વાર પછી મેં તેને પૂછ્યું, દીકરા તારું નામ શું છે? તેણે કહ્યું "સુનીતા". પછી મેં તેણે પૂછ્યું કે દીકરા તારી માં ક્યાં છે? તેણે કહ્યું "ખોવાઈ ગઈ, ઘણા દિવસથી નથી મળતી." તે જરા પણ રોઈ નહિ પણ હા તેની આંખો માં દુખ હતું. મેં પૂછ્યું કે તારા પપ્પા ક્યાં છે? "ખબર નથી". મેં વધુ પૂછ્યું, કે તારા પપ્પા શું કરે છે? "ખબર નહિ પણ નૌકરી કરવા જાય છે" અને તે રોવા લાગી. મને ખબર ના પડે કે મારે શું કહેવું? તેનું રડવું જોઇને મારું દિલ ભરાઈ આવ્યું.

હું તેણે પોલીસ પાસે લઇ ગયો. પોલીસ બધી વાત જાણ્યા બાદ મને થોડે વાર બેસવાનું કહ્યું. હું તે છોકરી સાથે બહાર બેસી ગયો. થોડી વાર રમી ને તે છોકરે મારા ખોડામાં માથું રાખીને સુઈ ગઈ. ૨ -૩ કલાક થયા ત્યારે મને અંદર જઈને પૂછવાની ઈચ્છા થઇ પણ છોકરી જાગીના જાય એટલે રાહ જોઈ. ના ખબર પડે તો હું તે છોકરીને ઘરે લઇ જવા માંગતો હતો. જેમ મારી ૨ છોકરીઓ તેમ આપ પણ મારી ત્રીજી છોકરી. ૪ કલાકના અંતે એક પોલીસવાળા ભાઈ મારી પાસે આવ્યા અને જણાવ્યું કે તેના પિતાનો સંપર્ક કર્યું છે. તેમને ફરિયાદ લખવી હતી દીકરી ગુમ થવાની. તેઓ આવતા જ હશે થોડા સમયમાં. કલાક બાદ જયારે તેના પપ્પા આવ્યા અને જે રીતે છોકરી ને ગળે લગાવી છે તે જોઇને મને ખુબજ ખુશી થઇ. છેલ્લા એક અઠવાડિયાથી તે ગુમ હતી. પિતા અને પુત્રી નું મિલન જોઇને મારી આંખ ભરાઈ ગઈ. હું ત્યાંથી ચાલતો થયો.

પાછા વળતી વખતે મને ખુશી હતી કે તેણે તેના માં-બાપ મળી ગયા. સાથે સાથે વિચાર આવતો હતો કે જયારે હું મારી બે દીકરીઓનું કન્યાદાન કરીને આવીશ ત્યારે પણ આવું જ અનુભવ કરીશ. તેમની ખુશી જોઈ ને ખુશી પણ તેમનાથી દૂર જવાનું દુખ.

Friday, July 27, 2012

હું શું હોઈશ?


મેં મારી વ્યાવસાઈક ઝીંદગીની શરૂઆત લગભગ ૧૦ વર્ષ પહેલા કરી. તે સમયે હું મારા પરિવાર, પ્રેમીઓ અને મિત્રોથી ઘણો નજીક હતો. હું એક સારો છોકરો હતો ઝીંદગી પ્રત્યેનું વલણ / દ્રષ્ટિકોણ ખુબજ અલગ હતું. મારી પાસે બધા માટે ખુબજ સમય હતો અને હું ખુશ હતો. નૌકરીમાં હું નવો નવો હતો અને હું એટલો ખુશ ના હતો કારણકે મારા ઉપરી લોકો મને જલસા કરવાનો સમય જ નહોતા આપતા.

 આજે લગભગ ૧૦ વર્ષો પછી હું બહુ સારી નહિ તો સારી એવી પ્રગતિ કરી છે. આજે મારી આંતર રાષ્ટ્રીય સંસ્થામાં હું નિયામકો, વ્યસ્થાપકો અને એવા મોટા લોકો સાથે સીધે વાત કરી શકું છું અને તેઓ મને ઘણી મિટિંગમાં બોલાવે પણ છે. પણ આજે મારો હર્દય ૧૦ વર્ષ પહેલા જેવો નથી. હું ભાગ્યેજ મારા પરિવારની વાતોમાં શામેલ થાઉં છું. મારી પત્નીને પણ એ જ ફરિયાદ છે - કે મારી પાસે તેની માટે પણ ટાઇમ નથી. હું મારા જુના મિત્રો સાથે વાત નથી કરતો.

આજે મારો ઝીંદગી પ્રત્યેનું દ્રષ્ટિકોણ બદલાઈ ગયું છે. મારામાં ઘણું "Attitude " આવી ગયું છે. હું ૧૦ વર્ષ પહેલા કરતા આજે તદ્દન અલગ રીતે વાત કરું છું - પણ હું મારી નૌકરીથી ખુબજ ખુશ છું અને તેને માણું છું. પણ શું હું મારી ઝીંદગી માણું છું?

તમે કહેશો કે આમાં નવું શું છે?
મારો જવાબ - કશું પણ નહિ.

હું આ બધું લખું છું કારણ કે મને ખબર છે કે મારામાં ઘણા બધા બદલાવો આવ્યા છે પાછલા ૧૦ વર્ષોમાં. ઘણા ખરા બદલાવો આ સમય દરમ્યાન આવેલા સંકટોના કારણે છે અને આ ફક્ત પાછલા ૧૦ વર્ષોમાં જ. આવતા ૧૦ વર્ષોમાં શું થશે?

મને આ બદલાવો ના સારા અને ખરાબ પરિણામો પણ ધ્યાનમાં છે. હા, હું મારી જાતને ૧૦ વર્ષો પહેલા જેવો નથી રાખી શકયો - અને આવતા વર્ષો માં અનુભવો અને સંકટો મુજબ હું બદલાતો રહીશ - વ્યવસાયિક રીતે પ્રગતિ કરતો રહીશ. મને ખબર નથી કે હું શું હોઈશ?

હું એટલું તો જરૂર કહેવા માંગીશ કે આ વાર્તા ઘણાબધા લોકોની છે આજના જમાનામાં. જે લોકો નોકરીમાં હમેશા પ્રગતિ કરતા રહેતા હોય છે પણ પોતાના પરિવાર, ઝીંદગી અને ખુશીઓ થી દૂર થતા જાય છે.

Friday, July 13, 2012

પ્રવાસ - પૂર્વ આફ્રિકા - કોન્ગો

હાલમાં હું કેન્યામાં છું અને મારું કામ પૂર્વ આફ્રિકાના દેશોમાં ચાલી રહેલા રાહતકાર્યોને મદદરૂપ થવાનું છે. અહી મને કોન્ગો, કેન્યા, દક્ષીણ સુદાન, સોમાલિયા, ઈથિઓપિઆ, વગેરે દેશો વિષે જાણવાનો મોકો મળ્યો. ચાલો આજે થોડું કોન્ગો વિષે વાત કરીએ.

કોન્ગો : કોન્ગો આફ્રિકાનો સૌથી મોટો દેશ છે અને આ દેશ પર કુદરત ખુબજ મેહરબાન છે. અહી મિનરલ્સ અને ખનીજ નો પુષ્કળ ભંડાર છે. અહી સોનું પણ પુષ્કળ પ્રમાણ માં છે. આ દેશની ધરતી પણ ખુબજ ઉપજાઉ છે. આ દેશની વસ્તી લગભગ ૭.૭ કરોડની છે અને તેમાંથી અંદાજે ૨૦ લાખ લોકો વિસ્થાપિત છે. વિસ્થાપિત એટલે જયારે લોકોને અમુક બાહ્ય કારણોસર પોતાનો ઘર છોડવું પડે. આ સિવાય અંદાજે ૫ લાખ જેટલા લોકો દેશ છોડીને વિદેશમાં રેફયુજી કેમ્પમાં રહે છે. અહી આ લોકોની મુખ્ય સમસ્યા આંતરિક લડાઈ, ગરીબી, અત્યાચાર, મૂળભૂત જરૂરીયાતોની અસુવિધા, વગેરે કારણો છે. કોન્ગોમાં ઘણી બધી બળવાખોર સંગઠનો (રેબેલ ગ્રુપ) છે. આ સંગઠનો અને સરકારી આર્મી વચ્ચે આવર નવાર યુદ્ધ થયા કરે છે. જેનો સીધો અસર ત્યાં આજુ બાજુ વસતા લોકો પર થાય છે. લોકો પોતાના ઘર અને જમીન છોડીને સુરક્ષિત સ્થાનો પર જવા લાગે છે. વેપાર ધંધો ઠપ થઇ જાય છે.

બાળકો, સ્ત્રીઓ, વ્રદ્ધો અને બીમાર લોકો આ સમસ્યાનો મુખ્ય ભોગ બને છે. જવાન બાળકો અને યુવાનો આવા સંગઠનોમાં જોડવા માટે મજબૂર થાય છે અથવા તેમને મજબૂર કરવામાં આવે છે. એવું પણ જોવા મળે છે કે યુવાનો હથિયાર મેળવવાની ઘેલછામાં, પોતાને તાકાતવર બતાવવા માટે અને બેકારી ની અવસ્થામાં આવા સંગઠનોમાં જોડાઈ જાય છે. આવું પાછલા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને આનાથી લાચાર લોકો પર સમાજમાં અત્યાચાર વધતો રહ્યો છે. એક સર્વે મુજબ કોન્ગો માં દર રોજ ૧૧૦૦ થી વધુ મહિલાઓ (૧૪ થી ૪૯ વર્ષ ની ઉમર) ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે. એટલે કે અંદાજે ૪ લાખથી વધુ એક વર્ષમાં. આ સુર્વે ૨૦૦૭માં થયો હતો. એવું કહેવાય છે કે ૨૦૦૮ માં આ આંકડા બમણા થયા હતા અને ત્યાર પછી વધતા જ રહે છે. ૨૦૦૮ - ૦૯ ની સાલમાં જયારે હું યુગાન્ડા અને કોન્ગોની સીમા પર કામ કરતો હતો ત્યારે કોન્ગોના ઉત્તર ગોમાથી લોકો યુગાન્ડામાં આવતા હતા. આ સમયે ૧૭ જેટલા યુવાનો પોતાના પરિવાર ને મુકવા આવ્યા - કદાચ તે યુવાનો પણ એવાજ કોઈ સંગઠનમાં કામ કરતા હતા. ૧૭ યુવાનનો ના પરિવાર માં ૭૪ પત્નીઓ અને ૨૫૮ બાળકો હતા. આ મારા માટે આશ્ચર્ય જનક વાત હતી.

જયારે લોકો બેઘર થઇને સુરક્ષિત સ્થાને થોડા સમય માટે સ્થળાંતર કરે છે ત્યારે તેમની મુખ્ય જરૂરિયાત પાણી, ઘર, દવા / આરોગ્ય સુવિધા, અન્ન વગેરે હોય છે.

હાલમાં ઉત્તર કોન્ગોની (ગોમા અને કીવું વિસ્તાર) પરિસ્થિતિ ખુબજ તંગ છે અને ત્યાં હું આશા કરું કે આવતા થોડા સમયમાં મને ત્યાં કામ કરવાનો મોકો મળે.

Monday, October 24, 2011

બાળકોમાં કેળવવા જેવી આદતો - વેસ્ટમાંથી બેસ્ટ

આપણે આપણા બાળકોને એક સારી ઝીંદગી આપવા માંગીએ છીએ. રમકડા, ચોપડીઓ, દફતર, પારંપરિક પોશાકો, સાઇકલ, અવનવા સાધનો અને ઉપકરણો - આવી કોઈ પણ વસ્તુઓથી તેઓ વંચિત ના રહે તેનું ધ્યાન રાખીએ છીએ. આપણે તેવી કોઈ વસ્તુઓ આપવામાં જરાપણ અચકાતા નથી કે જેનાથી તેમની કલ્પનાઓને આકાર મળે - રંગીન પેનો અને પેન્સિલો, કાગળ, કલર, ચમક વાળા પદાર્થો, ગુંદર વગેરે વગેરે.

આપનો હેતુ સારો હોય છે, પણ ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ કે કદાચ આપણે આપણા બાળકોને આ રીતે સારા પ્રમાણમાં કચરો નીપજાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. કાગળનો એક વખત ઉપયોગ કાર્ય પછી તે કચરાપેટીમાં જાય છે, પ્લાસ્ટિકના રમકડાઓ થોડે વાર (અથવા થોડા દિવસ) રમ્યા પછી કચરાપેટીમાં જાય છે, કલર પેન્સિલ અને બીજા બધા કલરની વસ્તુઓ થોડા બપોરની પ્રક્રિયાઓ પછી કચરાપેટીમાં જાય છે. શા માટે આપણે તેમને વારંવાર યાદ નથી આપવતા કે અસ્ત વ્યસ્ત ઢગલો પોતાની વાંચવાની જગ્યા પરથી સાફ કરે, રૂમને સાફ રાખે. આ એક સારી આદત છે જે શરૂઆતથીજ તેમનામાં કેળવવાની જરૂર છે. પણ પહેલા આટલું બધું આસ્ત વ્યસ્ત ઢગલો કરવો અને પછી કચરાપેટીમાં ઠાલવી દેવાનું નામ સફાઈ? આપણે સફાઈ કરી રહ્યા છીએ કે પછી વાતાવરણ / પર્યાવરણમાં ગંદવાડ ઠાલવી રહ્યા છીએ?

આ સાચો સમય છે કે આપણે આપણા બાળકોને વસ્તુઓનો ફરી વખત ઉપયોગ કરવો, સાચી રીતે નિકાલ કરવો, ઓછી ખરીદી કરવી કે જેથી ઓછો કચરો થાય. કોઈ પણ વસ્તુ નો ફરીથી ઉપયોગ કરવો એક સારે રમત પણ થઇ શકે છે અને અંતે કશું સારું કર્યાનો અનુભવ પણ.

ઉદાહરણ તરીકે - લખવાની પાટી અને ચોક : અમે નાનપણમાં પાટી અને ચોકથી ભણ્યા હતા. આજ વસ્તુ મેં મારી દિકરી સાથે કરે. આમ થવાથી તે કાગળ, જાત જાતના કલર અને પેન્સિલનો બગાડ ઓછો કરતી થઇ. વળી આમ કરવાથી અમને બંનેને ખુબજ મજા પણ આવા માંડી.

આવી જ રીતે, દર વખતે નવા નવા કપડા લાવવા કરતા તેમને ફરીથી સારી પ્રિન્ટ કરવું એ પણ સારી બાબત બની શકે છે.

વિચારીએ તો આવા ઘણા પ્રયોગો થઇ શકે છે જેનાથી આપણે આપણા પર્યાવરણમાં ઓછો કચરો ઠલવાય અને બાળકોમાં સારી આદત અને સમાજ ઉભી થાય.

Saturday, October 22, 2011

આધ્યાત્મિકતા - એટલે શું?

આશા છે કે આપ સહુ અત્યારે દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હશો અને દિવાળીની રજાઓ માણતા હશો. અને અમુક લોકો મારી જેમ થોડા ઘણા બ્લોગ લખવામાં વ્યસ્ત હશે :)

મેં જે કઈ પણ અધ્યાત્મ વિષે વાંચ્યું છે તે બધું ભૂલી ને આજે આ બ્લોગ લખી રહ્યો છું. અહી મેં ભરપુર પ્રયત્ન કર્યો છે કે આ લેખ લખતી વખતે મારા પર કોઈ બાહ્ય પ્રભાવ ના હોય. આ વિચારો મારા અનુભવો અને મારા રોજીંદા અભ્યાસ ઉપરથી છે.

આધ્યાત્મ વિષે આપના સમાજમાં ઘણા ગુરુઓએ લખ્યું છે અને કહ્યું છે. મારો અધ્યાત્મ સાથેનો પરિચય બહુ જુનો નથી. મને થોડા વર્ષો પહેલાજ કોઈકે કહેલું કે "જેને નરક માં જવાની બીક હોય તેના માટે ધર્મ છે અને જે લોકો પહેલાથી ત્યાં છે તેમના માટે અધ્યાત્મ છે." હું કદાચ ૩૦ કે ૩૧ વર્ષ નો હતો ત્યારે. મેં આ વાક્યનો ઘણી વખત ઉપયોગ કર્યો પણ ક્યારેય એને સમઝવાની કોશિશ નહોતી કરી કે આનો હકીકતમાં અર્થ શું થાય. પાછલા થોડા મહિનાઓની અજંપાભરી અને અશાંત સમય પછી હું આ વિષય વિષે વિચારતો થયો. વળી, આજકાલ તો આ કરોડોનો ધંધો છે.

થોડા સવાલ વાંચકો માટે :
- શું યોગા કરવું એ અધ્યાત્મ છે?
- શું ધ્યાન કરવું એ અધ્યાત્મ છે?
- શું પ્રાણાયામ કરવું એ અધ્યાત્મ છે?
- શું કોઈ આધ્યત્મિક ગુરુને અનુસરવું એ અધ્યાત્મ છે?
- શું અધાર્મિક કે નાસ્તિક થવું અધ્યાત્મ છે?
- શું વિપશ્યના અધ્યાત્મ છે?

મારા મુજબ તો આમાંથી કશું પણ અધ્યાત્મ નથી. આજકાલ યોગા, ધ્યાન, પ્રાણાયામ, વિપશ્યના, વગેરે તો એક જાતનો ધંધો બની ગયો છે. આજકાલ તો યોગા જેવા નામોથી તો કપડા અને જાત જાતની વસ્તુઓ વેચાય છે.

મારા માટે, અધ્યાત્મ એ બીજું કશું નહિ પણ પોતાની જાતને ઓળખવી. એટલે કે હું શું છું નું ભાન થવું. પોતાની જાતને ખૂબજ ધ્યાનથી અવલોકન કરવું અને પોતાના વ્યક્તિત્વ પ્રત્યે થોડી સમઝ ઉભી કરવી. આનાથી આપના દિમાગ અને દિલ વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે. આનાથી આપના શારીરિક અને માનસિક મૂળતત્વો વચ્ચે સમાનતા લાવવામાં સહાય મળે છે.

અને આથીજ, ભગવાનને ઓળખવા પહેલા પોતાની જાતને ઓળખવું ખુબજ જરૂરી છે.

Thursday, October 20, 2011

મેરા ભારત મહાન



મેં ઘણા લોકોને આપણી સરકાર, દેશ અને ભ્રષ્ટાચાર વિષે ફરિયાદ કરતા સાંભળ્યા છે. TVમાં પણ ફક્ત આ જ વિષય છે. આજે દુનિયાના ઘણા દેશોમાં કામ કર્યું છે. ઘણા દેશોમાં લોકોને સાંભળ્યા છે, જોયું છે અને તેમની સાથે રહીને થોડું ઘણું પણ અનુભવ્યું છે. મારા મતે, આપણી સરકાર થોડું સારું કામ પણ કરી રહી છે.


શિક્ષા અભિયાન અને નિયમો :
થોડા વર્ષો પહેલા ૫મા ધોરણ સુધે અભ્યાસ મફત અને ફરજીયાત હતું જે આજે ૮મા ધોરણ સુધી છે. વળી, બધા વિદ્યાર્થીઓને મધ્યન ભોજન મળે છે, જે ઘણા લોકો મતે ખુબજ મહત્વનું છે. વાલીઓને પ્રોત્સાહન પણ આપાય છે. લોકો સાથે વાત કરતા લગભાગ બધા આ બાબતથી ખુશ હતા.
સરકારી શાળાના વિદ્યાર્થીઓ વાદળી કલરના પોશાક પહેરે છે જે આજે દેશમાં લગભાગ દરેક ગામડા અને શહેરોમાં જોવા મળે છે. મને યાદ છે કે મેં જયારે એક ગામડામાં એક શાળાને મુલાકાત લીધી હતી ત્યારે દરેક વિદ્યાર્થી સવારે પ્રાર્થના સભામાં એક લયમાં માં સરસ્વતીની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ પોતપોતાના ક્લાસરૂમમાં શિસ્તતા પૂર્વક જતા રહ્યા. કલાસરૂમમાં નકશા અને ભારતના મહાન પુરુષોના ફોટા હતા. શિક્ષકો કરતા શિક્ષિકાઓની સંખ્યા વધુ હતી. આચાર્યશ્રીના રૂમમાં થોડા ઘણા પુસ્તકો પણ હતા. બધા બાળકોના ચહેરા પર સ્મિત દેખાતું હતું.

કોલેજનું ભણતર પણ આજે સારું અને સસ્તું છે. આજે મોટાભાગની કોલેજોમાં ફી લગભગ ૩૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા વાર્ષિક હોય છે. સારી કોલેજમાં અને સારા અભ્યાસ માંટે અંદાજે ૫૦,૦૦૦ રૂપિયા જેવી ફી હોય છે. તદુપરાંત, સ્ત્રીઓ માંટે ઘણી શાળામાં ફીમાં રાહત આપાય છે.

જમીન માલિકી :આજે કોઈ પણ વ્યક્તિ ૧૮ હેક્તેર જેટલી જમીનની માલિકી ધરાવી શકે છે. કાયદા મુજબ તેથી વધુ જમીન કોઈ પણ વ્યક્તિ લઇ શકે નહિ. હા, કોઈ સહકારી પરિવાર ગમે તેટલી જમીન ધરાવી શકે છે. જોકે આ બાબતમાં ઘણી જગ્યાએ ખામીઓ દેખાય છે પણ આજે આને લગતા નીતિ નિયમો અમલમાં છે અને તેનું પાલન પણ સારી રીતે થાય છે અથવા થવા લાગ્યું છે

હવેલીથી હોટેલ સુધી : જૂની હવેલીઓ જે જર્જરિત અવસ્થામાં હતી તેના પુનઃનિર્માણ અથવા સમારકામ માંટે પણ સરકાર ઘણા પ્રયાસ કરી રહી છે. હવેલીના માલિકોને તેને હોટેલમાં પરિવર્તિત કરવા માંટે પ્રોત્સાહન અને નાણાકીય સહાય પણ આપે છે. આમ કરવાથી તે જૂની જર્જરિત હવેલીઓ આજે એક સુંદર હવેલી જેવી લાગે છે. અને, આનાથી પ્રવાસીઓ પણ આકર્ષાય છે.

ગામડાઓમાં સરકારી કર્યો : પરિવારના એક વ્યક્તિને વર્ષ દરમિયાન ૧૦૦ દિવસ જેટલું કામ મળી રહે તેવી યોજનાઓ પણ અમલમાં છે. લોકો મુજબ આ યોજનાઓથી ગામડામાં પરિવર્તન આવી રહ્યું છે, લોકોને ગરીબી રેખાથી ઉપર આવવામાં મદદ મળી રહી છે. હા, ઘણી વખત એવો પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે આ યોજનાનો લાભ કેટલા લોકો સુધે પહોચે છે અને તે કાર્યની ગુણવત્તા કેવી છે.

મને ઘણી વખત ગામડાઓમાં એવા અનુભવો થયા છે કે બહારથી દેખાતા ગરીબ જેવા ઘરમાં જયારે મુલાકાત લેવામાં આવે છે ત્યારે તે ઘર અંદરથી સારું લાગે છે અને તે પરિવાર થોડું સદ્ધર હોય છે.

હકારાત્મક કાર્ય :
આજે સરકારે ગરીબ અને પછાત લોકોના ઉત્થાન માંટે ઘણા હકારાત્મક કર્યો કર્યા છે. તેમના માંટે વિવિધ શિક્ષા અભિયાનો, ઉચ્ચા અભ્યાસ માંટે સહાય, નૌકરી મેળવવામાં મદદ અને સમાજમાં સમાન દરજ્જો મેળવવામાં સહાયક યોજનાઓ અને નિયમો.

તેમ છતાં, આપના સમાજમાં જ્ઞાતિ પ્રથા હજુ પણ ચાલે છે. તે પ્રથા દૂર થઇ રહે છે પણ ખુબજ ધીમી ગતિએ. પણ મને સંતોષ છે કે સરકાર તે પ્રત્યે પ્રયત્ન કરી રહી છે.

નોંધ : અહી સરકાર થી મારો મતલબ કોઈ રાજકીય પક્ષ નથી.

શિક્ષા - ઉપકાર

હું, ભારતના એક સારા નાગરિક તરીકે દર વર્ષે ૩ વખત આવક વેરો સમયસર ભરું છું. આવક વેરો કે જેમાં શિક્ષા - ઉપકાર પણ શામેલ છે. યુનિયન સરકારએ સ્વાસ્થ્ય વીમા યોજના જાહેર કરી છે કે જેમાં દરેકને મૂળભૂત પ્રાથમિક આરોગ્ય જરૂરિયાત મળી રહે. આયોજન આયોગના નિષ્ણાતોએ હજુ આ બાબતમાં સરકારને પૈસા ક્યાંથી આવશે તે વિષે સલાહ નથી આપી પણ ૧% નો પણ ઉપકાર લગભગ ૯,૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે લાવી શકે છે. આ વાતથી એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે શિક્ષા ઉપકાર વિષે. અંદાજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયા દર વર્ષે કઈ રીતે ખરચવા માં આવે છે. હું આ ઉપકાર કે જેનો સામાજિક યોજનાઓ ઉપર ખરચવામાં આવે છે તેનો વિરોધી નથી પણ આ ખરચને ખરચવા માટે કઈ રીતે નિયંત્રણ / દેખરેખ દ્વારા ખરચવામાં આવે છે. કે પછી આ પણ ભ્રષ્ટાચારનો ભોગ બને છે.

આ આવક વેરા ઉપર નો શિક્ષા ઉપકારના બે ભાગ છે. - પ્રાથમિક શિક્ષા અને ઉચ્ચ શિક્ષા. ૨૦૦૫માં સરકારે પ્રાથમિક શિક્ષા ઉપકાર શરુ કર્યું અને આ પૈસા પ્રમ્ભિક શિક્ષા કોશ માં જમા થાય છે. જેમાંથી સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાન ભોજન જેવી યોજનાઓ ચાલવામાં આવે છે.

૨૦૦૭માં સરકારે ઉચ્ચ શિક્ષા ઉપકારની શરૂઆત કરી અને તે પૈસાથી દેશના ઉચ્ચ શિક્ષાના વિકાસ માટે ખરચવાનું આયોજન હતું. આ આયોજનમાં National Higher Education Finance Corporation - NHEFCની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષા માટે ઉચ્ચ શિક્ષા સંસ્થાઓને નાણાં ઉછીના આપવા. આ પ્રસ્તાવને ૪ વર્ષ થયા. આયોજન મંડળે આ બાબતની ભલામણ સરકારને કરી દીધી છે. એવું લાગે છે કે સરકાર હજુ પણ આ બાબત માં વિચાર કરે છે અને ભારતના દરેક નાગરિકો પાસેથી ઉપકાર હેઠળ નાણાં ઉઘરાવ્યા કરે છે.

આપને સરકારના ભંડોળ ઉપર આનીયંત્રણ વિષે સારી રીતે માહિતગાર છીએ. આખરે આપણને આઝાદી મળ્યે ૬૦ વર્ષથી ઉપર થયા અને સરકારને જોતા પણ ૬૦ વર્ષોથી ઉપર થયા. સૈધાંતિક રીતે આ શિક્ષા કર બરોબર હશે અને આ એક સારી વાત પણ છે, પરંતુ, હકીકતમાં અમલીકરણ દર્શાવે છે કે કરચુકવવાવાળા લોકોના નાણાં વેડફવામાં આવે છે.

આથી, સરકારે આરોગ્ય વીમા યોજના શરુ કરવા પહેલા સરકારે ખાતરી કરવી અને સુનિશ્ચિત કરવું કે આવકવેરો ભરનારા લોકોના નાણાં વેડફાય નહિ.

શિક્ષાનો અધિકાર - ભારતના પ્રધાનમંત્રીનો દરેક શાળાના આચાર્યશ્રીને પત્ર

આજે જયારે સાક્ષરતા હજુ પણ એક સ્વપ્ન જ છે, બાળકોના શિક્ષાનો અધિકાર (Right to education - RTE) પ્રાથમિક અગત્યતા છે. આ વિષે જાગૃતિ લાવવા અને ભણતરના પ્રોત્સાહન માટે, ભારત ના પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહે ભારત ના ૧૩ લાખ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓને એક પત્ર લખ્યો છે અને ભલામણ કરી છે કે ૧૧ નોવેમ્બર - ભણતર દિવસના રોજ સવારના દરેક વિદ્યાર્થીઓને વાંચી સંભળાવવું. આ પત્ર દ્વારા ૧૧ નોવેમ્બરથી શરુ થતી એક વર્ષની RTE ઝુંબેશ શરુ થયાની નોંધ લેવામાં આવી છે.

પ્રધાનમંત્રીશ્રીના આ અંગત પત્ર દ્વારા પાઠવેલ સંદેશ, કે જેને સમગ્ર ભારતને આવરી લેવા માટે ૧૪ ભાષામાં અનુવાદિત કરેલ છે - તેનો હેતુ બાળકો, વાલીઓ અને ૬૦ લાખ શિક્ષકોને પ્રોત્સાહિત કરવું અને RTEના ઉદ્દેશ્ય તરફ વધુ પ્રયત્ન કરવા માટેનો છે.
શિક્ષાનો અધિકાર (RTE) સામાજિક જાગૃતિ લાવવા માટે એક અલગ પ્રકારની ઝુંબેશ છે કે જેમાં ૨ લાખથી વધુ સ્વયંસેવકો અને હજારો સામાજિક સંસ્થાઓ સાથે મળીને ઘરે ઘરે જઈને જાગૃતિ લાવવા પ્રયત્ન કરશે.
પ્રધાનમંત્રીશ્રીના આ ઝુંબેશમાં શામેલ થવાથી આ ઝુંબેશ અગત્યની બની ગયી છે.

Saturday, October 15, 2011

શું સવારે વહેલા ઉઠવું જરૂરી છે?


Googleમાં સવારે વહેલા ઉઠવાના કારણ શોધવાથી ૧,૫૦૦,૦૦૦ કારણો મળશે. Amazone પાસે આ વિષે ૬૬૯૯ ચોપડીઓ છે. અનેક વ્યક્તિત્વ વિકાસ વિષે લખવા વાળા લેખકોએ અને ગુરુઓએ સવારે વહેલા ઉઠવાના ફાયદાઓ વિષે અનેકગણી ચોપડીઓ અને લેખો લખ્યા છે. થોડા સમય પહલા જ મેં આ બધા કારણોની યાદી બનવાનો પ્રયત્ન કર્યો ત્યારે યાદીમાં ૧૦,૦૦૦ થી વધુ કારણો થઇ ગયા. ત્યારે મને થયું કે કદાચ ખરેખર જરૂરી છે સવારે વહેલા ઉઠવું.

એક ચોખવટ કરી દઉં કે મને સવારે વહેલા ઉઠવામાં કોઈ જ રસ નથી. સામાન્ય રીતે મારે ઓફીસ સવારે ૭ થી ૭.૩૦ ની વચ્ચે પહોચી જવું પડે છે પણ જયારે ઘરે રજા હોય ત્યારે નીંદર ખુલે ત્યારે ઊઠવાનું ગમે. કોઈ જાતની અલર્મ ના જોઈએ કે ના જોઈએ સવારે વહેલા ઉઠવાનો વિચાર. શા માટે મારે સવારે વહેલા ઉઠવું અને મારે શું સાબિત કરવું છે?


તેથી, આ મારા નીચે મુજબ ના કારણો છે કે શા માટે મારે મોડે સુધી સુઈ રહેવું અને ખરાબ ના લગાડવું જયારે સવારે વહેલા ઉઠવાના કારણો સભર વ્યાખ્યાન, લેખો અને વ્યક્તિઓ વહેલા ઉઠવાના વખાણ કરતા હોય છે.
શા માટે મોડે સુધી સુતા રહેવું?
૧. સવારે વહેલા ઉઠવું એ પ્રાક્રતીક અથવા કુદરતી નથી. આ કદાચ ઘણા વર્ષો પહેલા જયારે સૂર્ય-પ્રકાશ જ એક માત્ર પ્રકાશનો સ્ત્રોત હતો અને એ સમયે જ તમે ઘણા ખરા કર્યો કરી શકતા હતા. તેથી સવારે વહેલા ઉઠવાની જરૂર દિવસના પ્રકાશ દરમ્યાન કર્યો પૂરા કરવાની જરૂરિયાત ના કરને હતી. આવી જરૂરિયાત આજે નથી - જ્યાં વીજળી હોય છે. (જો તમે આ વાંચો છો તો તમારે ત્યાં વીજળી છે.)
૨. એ ખોટી વાત છે કે જો તમે સવારે વહેલા ઉઠો તો સમયની બચત થાય છે. દિવસના ૨૪ કલાક હોય છે અને તમે ૬ થી ૮ કલાક સુતા હો તો તમારી પાસે ૧૬ થી ૧૮ કલાક બચે જે એ બધા કર્યો કરવા માટે - આ બાબત ને તમે ક્યારે સુવો છો અને ક્યારે ઉઠો છો સાથે કોઈ જ નિસ્બત નથી.
. જો તમે સવારે વહેલા ઉઠો તો તમને રાત્રે વહેલા સુવાની જરૂર પડશે. જો વહેલા સુઈ જશો તો તમે એ તમામ રોમાંચી અને રસપ્રદ વસ્તુઓ જે મોડે રાત્રી સુધી થતી હોય છે. સામાન્ય રીતે લોકો રાત્રે ૮ વાગ્યા સુધી દિનચર્યાથી નવરા થતા હોય છે અને તરત જ સુવા જતા રહે છે. એ લોકો પાસે પોતાના માટે ફક્ત ૧ અથવા ૨ કલાક જ હોય છે. અને આ સમય દરમ્યાન ખરેખર કશું રસપ્રદ અને અર્થપૂર્ણ કરવું શક્ય નથી. પણ જો તમારી પાસે રાત્રે ૯ વાગ્યા પછી ૩ -૪ કલાક નો સમય હોય તો કશું સારી રીતે કરી શકો. જેમકે ચોપડી વાંચવી, ફિલ્લમ જોવી, કાર્ય કરવું, કે પછી મિત્રો અથવા પરિવાર સાથે ફક્ત વાતો કરવી.
૪. મોડે સુધી કાર્ય કરવું અને પછી ઘસઘસાટ નીંદર કરવી એ એક આલ્હાદક લાગણી છે. એક દમ સારી નીંદર અને શાંત નીંદર.
૫. રાત્રે ૩ - ૪ વાગે બારી ખોલીને બહારની ઝડપની ઝીંદગી જુવો. આખું શહેર ઝાંખી પીડા પ્રકાશમાં નહાઈ રહ્યું છે - તમામ લોકો નિંદ્રાધીન છે. પેલો ઘોંઘાટયો પાડોશી પણ. આવા સમય માં હું કોઈ પણ અનુભવ ગુમાવીશ નહિ.
૬. ઘણી વખત મેં મોડે રાત્રીના સમયે સારું ભોજન માણ્યું છે જેમ કે અમદાવાદ ની મોડે રાત્રીએ ખાઉગલી અથવા માણેક ચોક. કોલેજ ના સમયમાં મોડે રાત્રેએ બહાર જઈને કરેલો નાસ્તો. રાતના મોડે સુધે વાંચ્યા પછી અમને ખુબજ ભૂખ લગતી અને રાતના ૨ -૩ વાગે અમે કશું ખાવાનું બનાવતા અથવા ક્યાંક નાસ્તો કરવા જતા. જો કોલેજના સમય દરમ્યાન તમે રાતના ૩ વાગે નાસ્તો ના કર્યો હોય તો તમે ખરેખર એ આલ્હાદક અનુભવ ગુમાવ્યો છે.
૭. મોડે રાત્રે ચાલવા જવાનો પણ એક જુદો અને અનોખો અનુભવ છે. જે ભાગદોડ ભરેલ ઝીંદગી અને ગીચતા વચ્ચે અઘરું છે. રાત્રે ૧૧ વાગ્યા પછી કલાક ચાલવા જવાનો અનુભવ ખરેખર સરસ હોય છે. તદ્દન શાંત વાતાવરણમાં ચાલવા જવાથી ઘણા સારા વિચારો આવે છે.
૮. હું તન્મયતાથી ખરેખર કશું સારું કાર્ય મોડે રાત્રેજ કરી શકું છું - કોઈ જ પ્રકારની ખલેલ કે કોઈ પ્રકારનો આવાજ નથી હોતો. મને ખબર હોય છે કે અત્યાર અને સુવા વચ્ચે ફક્ત એક જ વસ્તુ છે અને તે છે જે કાર્ય હું કરું છું. એક અદ્ભુત લાગણી છે.
૯. જયારે તમે મોડા સુવો છો અને મોડા ઉઠો છો ત્યારે તમે અણગમતા કર્યો ખરેખર સારી કાર્યશીલતાથી કરી શકો છો. જે સામાન્ય રીતે આળસથી અને રોજીંદા કાર્ય ની જેમ વિચારીને કરો છો. તમને ખબર પડશે કે તમે કેમ ઓછા સમયમાં એ બધા કર્યો ફટાફટ પતાવી દીધા છે અને તે પણ તે વિષે વધુ વિચાર કાર્ય વગર. જેમ કે સવારે તૈયાર થવું અને કામે જવું.
૧૦. જયારે તમે મોડે સુધે કોઈ કામમાં રચ્યા પચ્યા રહો છો અને એ કાર્ય પૂરું કરી દો છો ત્યારે તમને કશુક સારી રીતે પૂરું કાર્યની લાગણી થાય છે. આવી સંતોષ ની લાગણી સાથે જયારે સુવા જાઓ છો અને આંખો બંદ કરો છો એ લાગણી ની કોઈજ તુલના ના થઇ સકે.

આથી, સવારે કેટલા વાગે ઉઠીશું ના વિચારને પડતો મૂકી દો. સવારે વહેલા ઉઠવું ઘણા લોકો માટે સારું છે અને તે લોકો કરી શકે છે પણ એ બધા માટે નથી. કેટલા કલાક તમે આરામથી સારી રીતે સુઈ શકો છો એ મહત્વનું છે અને પોતાના પાસે જાણવા જેવું છે. થોડા દિવસો વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો, અને થોડા દિવસ મોડે સુધે જાગવાનો. કેવું અનુભવ થાય છે? અને પછી એવું જ કરો કે જે નીંદર પછી તમે સારી નીંદરની લાગણી ત્યાં, તમે દિવસ દરમ્યાન કશું સ્વસ્થ મન થી કાર્ય કરી શકો અને તમને કુદરતી જીવનચર્યાની લાગણી થાય.

આ બધા કારણો ફક્ત જરૂરિયાત મુજબની નીંદર માટે છે. આળસ કે વધુ નીંદર માટે નહિ.

બસ થોડા જ વર્ષો માં...

મારી ૪ વરસની દીકરી અમદાવાદની એક સારી શાળામાં ભણે છે. તે નર્સરીમાં છે. તે જયારે શાળા જાય છે ત્યારે તેના દફતરનું આકાર અને વજન જોઇને મને કશુક થાય છે. સાચું કહું તો ખબર નહિ કેવું - પણ ચોક્કસ સારું તો નથી જ લાગતું. મેં એક વખત એને એના દફતરમાં બેસાડી ને પણ જોઈ હતી. એ બરોબર અંદર આવી ગઈ હતી. એના દફતર નું વજન પણ ૭ કિલો છે જયારે એનું વજન ૧૪ કિલો છે. એ દફતર માં ઘણી બધી ચોપડીઓ અંદ બધી જ અગત્યની એટલે કશું પણ ઘરે ભૂલી જવાની શક્યતા નથી. સામે આવું મારી સાથે પણ થયેલું.

હા, ઝીંદગી જરૂર બદલાશે એવી મને ખાતરી છે. આવતા થોડા જ વર્ષોમાં. એ સમય આવવામાં જ છે. હું એવું માનું છું કે આ બધા છોકરાઓ થોડા જ વર્ષોમાં દફતર ની અંદર ચોપડાંની જગ્યાએ Tablet PC લઇ ને જશે - પેલા iPad જેવું. બધી ચોપડીઓ, syllabus અને ઘણું બધું એ Tablet PCમાં preloaded હશે. અને દર વર્ષે છોકરાઓ આ બધું દર નવા વર્ષે નવું શાળાનું કાર્યક્રમ online ખરીદી શકશે. શાળામાં અભ્યાસ અને ઘરે અભ્યાસ - આ બધું એક જ Tablet PCમાં કરી શકશે. તમામ પરીક્ષાઓમાં પણ ફક્ત Tablet PCની જ જરૂર પડશે.

છોકરાઓ (અને તેમના વાલીઓ પણ) Teblet PC દ્વારા વીડિઓ, આવર નવારની પરીક્ષાઓ, શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા (chatting) - બધું જ અ એક જ સુરક્ષિત Tablet PC દ્વારા.

આવા વિચાર સાથેમેં ગઈકાલે દુબઈના એરપોર્ટ પર Teblet PC જોવામાં સારો એવો સમય પસાર કર્યો અને આજે વિચારો અહી પ્રસ્તુત કાર્ય છે. 

બસ થોડા જ વર્ષો માં.........

Friday, May 27, 2011

પ્રવાસ - ઈથીઓપિયા

 ઘરે ૨ મહિના થી વધુ આરામ કર્યા પછી મારે ઓક્ષ્ફોર્ડ જવાનું થયું. દર વર્ષે જાહેર આરોગ્ય વિષે અમારી એક કાર્યશાળા યોજાય છે. આ કાર્યશાળામાં અમારી સંસ્થાએ કરેલ કાર્યો અને તેમાંથી શીખવા મળેલ બાબતો વિષે ચર્ચા થાય છે. ખૂબ જ રસ પ્રદ અને જાણવા જેવું હોય છે તેથી મને પણ ખૂબ જ રસ પડે છે. દુનિયા માં નવા નવા પ્રયોગો અને અવનવી પ્રગતિ વિષે પણ જાણવા મળે છે.  આ સિવાય મારી સાથે કામ કરતા ૬૦ - ૭૦ જેટલા મારા જેવા લોકો ને મળવાનું અને તેમની સાથે ચર્ચા કરવાનો મોકો પણ મળે છે. મેં આ વર્ષે હૈતીમાં કરેલ કૂપન પદ્ધતિથી રાહત સામગ્રીના વિતરણ વિષે બધાને વાત કરી. બધાને ખૂબ જ રસ પડ્યો.  
આજે આ કાર્યશાળા પૂર્ણ થયી અને હવે આવતી કાલે હું અમદાવાદ પરત આવીશ. સાંજે મને જણાવવામાં આવ્યું કે મારી હવે ઈથીઓપિયા જવાનું છે. ૪ મહિના માટે. ખૂબજ ખુશ છું કારણ કે નવા દેશ વિષે જાણવાનું મળશે. ઈથીઓપિયા દુનિયાનું ૨૭મુ સૌથી મોટું દેશ છે અને તેની વસ્તી ૮.૫ કરોડની છે.  ત્યાં હાલમાં દુષ્કાળ છે અને તીગ્રાય નામનો વિસ્તાર આ દુષ્કાળથી ખૂબજ પ્રભાવિત છે. મારે અહી દુષ્કાળ ની અસર લોકો પર ઓછી થાય તેના માટે કામ કરવાનું છે. જેમાં મારે ખાસ તો લોકોને પાણી મળી રહે, સામાન્ય આરોગ્ય જળવાઈ રહે અને લોકોને આમ કરવા માટે જરૂરી એવી વસ્તુઓ પૂરી પડવાનું કાર્ય કરવાનું છે.
આમદાવાદ આવી ને તરત જ મારે વિઝા મેળવવો પડશે અને તે મળ્યે ઈથીઓપિયા જવાનું.
આ વિષે વધુ ત્યાં પહોચ્યા પછી....