મને યાદ છે મારી પહેલી જાહેર સભા. જેવી મેં સભા ચાલુ કરી, ત્યાં અંદાઝે ૪૦૦ થે ૫૦૦ લોકો હતા, એક વ્યક્તિ એ સભા માં આયો અને મોટે થી રડવા લાગ્યો. કારણ પૂછતા એણે જણાવ્યું કે એના ભાઈનું દવાખાનામાં હમણાં જ અવસાન પામ્યો અને એનું કારણ કોલેરા હતું. જરા એ ભાઈને સાંત્વના આપીને એને દવાખાને રવાના કર્યો. આ ઘટના ની મારી સભા પર સરે અસર પડી. મેં નક્કી કર્યું કે આ ઘટના વિષે વ્યવસ્થિત રીતે ચર્ચા કરવાથી લોકોમાં જાગૃતિ જરૂર આવશે અને બીજા લોકોને મારતા બચાવી શકાય. પરિણામ સારું આવ્યું. આ મોટા ટોળાને મારે વાત માં રસ પડ્યો. બધા એ મારે વાત શાંતિથી સાંભળી.
ચર્ચા સમયે હું લોકોની કોલેરા વિષે ગેરસમઝ તથા અફવાઓનું પ્રમાણ જોઈ ને થોડો ચિંતિત થયો. મેં જયારે પૂછ્યું કે કોલેરા થવાના કારણો શું છે અને જવાબો આવા હતા.
- ભાત ખાવા થી કોલેરા થાય.
- નદી નું પાણી પીવા થી થાય છે
- શહેર ના લોકો અમને પસંદ નથી કરતા એટલે એમને આવું કર્યું છે.
- બાજુના દેશથી લોકોએ હેલીકોપ્ટર દ્વારા અમારી નદીમાં કશું નાખવામાં આવ્યું છે.
- નેપાળી લોકોએ આ બીમારી ફેલાવી છે.
- શાક ભાજી ખાવા થી થાય છે.
- વગેરે વગેરે.
આ ૩૪ દિવસ પછી મને પોર્ટ-ઔ-પ્રિન્સ પાછુ બોલવામાં આવું. અહી મને જાહેર આરોગ્ય ના કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી સોપવામાં આવી. આ ફરજ મારે ફેબ્રુઅરી ૨૦ સુધી બજાવાની છે. ત્યાર બાદ મારે ૨૦મી માર્ચ સુધી કોલેરા કો-ઓર્ડીનેટર તરીકે કામ કરવાનું રહેશે.
વધુ આવતા અંકે.....