Sunday, August 7, 2011

અંગત કરી લઉં છું

કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,
ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું.

કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,
નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.

જીવનને આંગણે નિત્ નિત્ નવા મહેમાન આવે છે,
ખુશી આવે-ગમી આવે ,પરોણાગત કરી લઉં છું.

નહીવત છું, પરંતુ આભ સામે મીટ માંડું છું,
પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું.

સભામાં કોઈ "અકબર"થી પરાયું રહી નથી શકતું,
ગઝલમાં હું પરાઈ પીડને અંગત કરી લઉં છું.

-"અકબર"ભાઈ જસદણવાલા

Monday, July 11, 2011

मिज़ाज -ऐ -ज़िन्दगी

देख के दुनिया
को मैं भी
बदलूंगा अब
अपना मिज़ाज -ऐ -ज़िन्दगी …

राबता सब से
होगा लेकिन
वास्ता किसी से
नहीं ………!!

शिकवा

तुम्हें उल्फत नही मझसे,
मझे नफरत नही तुमसे
अजीब शिकवा सा रहता हे
तुम्हें मझसे मझे तुमसे !

Friday, May 27, 2011

પ્રવાસ - ઈથીઓપિયા

 ઘરે ૨ મહિના થી વધુ આરામ કર્યા પછી મારે ઓક્ષ્ફોર્ડ જવાનું થયું. દર વર્ષે જાહેર આરોગ્ય વિષે અમારી એક કાર્યશાળા યોજાય છે. આ કાર્યશાળામાં અમારી સંસ્થાએ કરેલ કાર્યો અને તેમાંથી શીખવા મળેલ બાબતો વિષે ચર્ચા થાય છે. ખૂબ જ રસ પ્રદ અને જાણવા જેવું હોય છે તેથી મને પણ ખૂબ જ રસ પડે છે. દુનિયા માં નવા નવા પ્રયોગો અને અવનવી પ્રગતિ વિષે પણ જાણવા મળે છે.  આ સિવાય મારી સાથે કામ કરતા ૬૦ - ૭૦ જેટલા મારા જેવા લોકો ને મળવાનું અને તેમની સાથે ચર્ચા કરવાનો મોકો પણ મળે છે. મેં આ વર્ષે હૈતીમાં કરેલ કૂપન પદ્ધતિથી રાહત સામગ્રીના વિતરણ વિષે બધાને વાત કરી. બધાને ખૂબ જ રસ પડ્યો.  
આજે આ કાર્યશાળા પૂર્ણ થયી અને હવે આવતી કાલે હું અમદાવાદ પરત આવીશ. સાંજે મને જણાવવામાં આવ્યું કે મારી હવે ઈથીઓપિયા જવાનું છે. ૪ મહિના માટે. ખૂબજ ખુશ છું કારણ કે નવા દેશ વિષે જાણવાનું મળશે. ઈથીઓપિયા દુનિયાનું ૨૭મુ સૌથી મોટું દેશ છે અને તેની વસ્તી ૮.૫ કરોડની છે.  ત્યાં હાલમાં દુષ્કાળ છે અને તીગ્રાય નામનો વિસ્તાર આ દુષ્કાળથી ખૂબજ પ્રભાવિત છે. મારે અહી દુષ્કાળ ની અસર લોકો પર ઓછી થાય તેના માટે કામ કરવાનું છે. જેમાં મારે ખાસ તો લોકોને પાણી મળી રહે, સામાન્ય આરોગ્ય જળવાઈ રહે અને લોકોને આમ કરવા માટે જરૂરી એવી વસ્તુઓ પૂરી પડવાનું કાર્ય કરવાનું છે.
આમદાવાદ આવી ને તરત જ મારે વિઝા મેળવવો પડશે અને તે મળ્યે ઈથીઓપિયા જવાનું.
આ વિષે વધુ ત્યાં પહોચ્યા પછી....

Thursday, May 19, 2011

जिंदा रहेंगे

सदमे उठा रहे हैं बहुत जिंदगी से हम,
जीतें हैं आज तक मगर जिंदादिली से हम.

वो कौन सा जहाँ है जहाँ जिंदगी नहीं,
दमन बचा के जाएँ कहाँ जिंदगी से हम.

हमको किसी ने आज तक अपना नहीं कहा,
अपना समझ के मिलते रहे हर किसी से हम.

लाया है हमको जज्बये इंसानियत वहां,
मायूस हो गए हैं जहाँ आदमी से हम.

देता रहा फरेब हमें उम्र भर कोई,
खाते रहे फरेब बड़ी सादगी से हम.

होगी भी या न होगी हमें वो घडी नसीब,
जब कह सकेंगे अपना फ़साना किसी से हम.

खूने जिगर पिला के इसे दी है जिंदगी,
जिंदा रहेंगे "नीर" इसी शायरी से हम.

कवी : धीरेन्द्र मदान "नीर"

यह ग़ज़ल मुझे मेरे दादाजी के पुराने संग्रह मैं से मिली. यह मेरे दादाजी ने अपने जवानी के समय मैं अपने लिए सम्हाल के रखी थी. करीब १० -१२ सालो से यह मेरे पास थी. आज वापस हाथ आई और पढ़ा.

Monday, May 16, 2011

નિશાળ - એક મુંઝવણ

વર્ષો પહેલા, જયારે હું ભણતો હતો ત્યારે નિશાળમાં પ્રવેશ મેળવવો એક ખૂબ જ સીધી અને સરળ પ્રક્રિયા હતી. ખાસ કરીને મારા વાલીઓ માટે. એ સમયે "જૂથ" પ્રક્રિયાએ દરેક વાલીઓનો સામાન્ય તર્ક હતો. જો એક શેરીના બાળકો "X" શાળામાં જાય તો તેમના પછીના બધા બાળકો પણ "X" શાળામાં જ જાય. વધુ માં વધુ આની ચર્ચા વાલીઓ પોતાના મિત્ર વર્તૂળમાં અથવા કાર્યાલયમાં કરે. એ સમય માં ચર્ચા નો ખાસ મુદ્દો ફક્ત એક જ હતો. અંગ્રેજી માધ્યમમાં ભણવવું કે પછી ગુજરાતી માધ્યમમાં? અને ઘર થી શાળા ની દૂરી અથવા સહશિક્ષા જેવા પ્રશ્નો પણ ક્યારેક ચર્ચાઈ જતા.

આજે, (ખાસ કરી ને અમદાવાદના દ્રષ્ટિકોણથી), એવું લાગે છે કે આ એક જટિલ અને મૂંઝવણ ભરેલ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્ય બોર્ડ (જેમાં કોઈ જવા નથી માંગતું) સિવાય કેન્દ્રિય બોર્ડ અને ICSE (Council for the Indian School Certificate Examinations ) છે. આ સિવાય International Baccalaureate પણ છે. શાળાની ફીમાં જે વધારો છે તેના વિષે શું કહેવું? ઘણી શાળાઓ તો ઘોડા સવારી અને તરવા જેવું પણ શીખાડે છે. ઘણી શાળામાં તો દર ૨૦ છોકરા માટે ૧ શિક્ષક હોય છે. ઘણી શાળા એવો દાવો કરે છે કે તેઓ બાળકો ઉપર કોઈ પ્રકારનું દબાણ નથી કરતા. જેમકે ઘરે લેસન નહિ આપે અને કોઈ જાતની પરીક્ષા નહિ. એવી શાળાઓ પણ છે કે જે બાળકોના વ્યક્તિત્વનું સંપૂર્ણ વિકાસ નો દાવો કરે છે અને અન્ય જાત જાતના ફાયદાઓ દેખાડે છે.

કહેવાનો તાત્પર્ય એ કે આ બધું ખરાબ નથી. પણ, શું ખરેખર ઝીંદગી આવી છે? શું તમે બાળકોને આવતા ૧૦ વર્ષ માટે એક આદર્શ શાળામાં એટલા માટે જ ભણશો કે આગળ નો જમાનો ખૂબ જ કઠીન છે અને તેનો સામનો કરવું સરળ નથી? આ ખરેખર બાળકો અને વાલીઓ માટે ખૂબ જ ચિંતા જનક વિષય છે અને હકિકતમાં અઘરું પણ છે. શું એ એક સારો વિચાર છે કે આવતા ૧૦-૧૫ વર્ષ બાળકોને "superhero " બનાવવા માટે આવી શાળા માં ભણાવીએ અને પછી બાળકો ને ખબર પડે કે દરેક વ્યક્તિ જાંગીયા અંદર જ પહેરે છે - પેન્ટ ને ઉપર નહિ. અથવા એ સારું કે જેમાં બાળકો ને ભાવવા માં આવે, ઘરે લેસન આપવામાં આવે અને સમયસર પરીક્ષા થાય વગેરે વગેરે???

શું હું પસંદ કરીશ કે બાળકને વ્યક્તિગત રીતે ધ્યાન આપવામાં આવે. શાળામાં અને ઘરે પણ. અને ૧૦-૧૫ વર્ષ પછી એને ખબર પડે કે તેના પર વ્યક્તિગત રીતે ધ્યાન આપવા વાળું કોઈ નથી અથવા કોઈને પડી નથી. કે પછી હું એવું પસંદ કરીશ કે આવતા ૧૦ વર્ષ સુધી કોઈ પરીક્ષા નહિ અને પછી દર વર્ષે એક ખૂબ જ અઘરી પરીક્ષા સામે ઉભી છે જેમાં જોરદાર હરીફાઈ છે.

હું અહી કોઈ નિર્ણય લેતો નથી કે કોઈ  સચોટ રસ્તો બતાવતો. હું ખરેખર જાણવા માંગું છું કે જે આ બધી શાળાઓ કરે છે એ સારું અને સાચું છે? જો હોય તો અમારા જેવા ૯૦% લોકો ૧૦૦% ખોટું ભણ્યા છીએ? જે પણ અમે ભણ્યા છીએ (સરકારી શાળાઓમાં) તેનાથી અમે આ હકિકતની ઝીંદગીમાં સફળતા મેળવવામાં મદદ મળી છે. તો શું આ આજની ભણતરની પદ્ધતિથી ભણેલા બાળકો હકિકત ની ઝીંદગી નો સામનો સારી રીતે કરશે? શું તેમને અમારા કરતા સારી સફળતા મળશે? કે પછી તેઓ મરઘીની જેમ, ઈંડા જેવા એક સંપૂર્ણ સુરક્ષા કવચમાંથી બહાર નીકળ્યા પછી જ જાણશે કે ખરેખર ની ઝીંદગી માં તેઓ એક મરઘી છે.

Sunday, May 15, 2011

વૈષ્ણવ જન

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુખ્ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે

સકળ લોક માન સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે

સમદૃષ્ટિ ને તૃષ્ળા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકે અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મન મા રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તન માં રે

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનો દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે

----નરસિંહ મહેતા

Saturday, April 30, 2011

પ્રવાસ : એ ભૂકંપ થી આ ભૂકંપ સુધી ...... ભાગ ૬

હૈતી માં છેલ્લે છેલ્લે ઘણો થાક અનુભવતો હતો. આ થાક માનસિક હતો કારણ કે મેં ૬ મહિના માં એક પણ રજા પાડી નહોતી. આમ તો અમને દર ૮ અઠવાડીયે એક અઠવાડિયા ને રજા મળતી હોય છે પણ .... હું એમ માનું છું કે જયારે આપને થાક અનુભવીએ ત્યારે આરામ કરી લેવો જોઈએ. ઘસરડા કરવા માં કઈ માલ નથી. નક્કી કર્યું કે હવે ઘરે જઈની આરામ કરીશું. મોટા સાહેબો ની લખી નાખ્યું કે હું થાકી ગયો છું અને ઘરે જવું છે. ફેબ્રુઅરી ૨૫ ના રોજ હૈતી થી નીકળ્યો. ૨ દિવસ ઓક્ષ્ફોર્ડમાં મારી de -brief હતી તથા તબીબ સાથે મુલાકાત પણ રાખવામાં આવી હતી. સામાન્ય રીતે તબીબ સાથે ની મુલાકાતમાં તેઓ શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતાને લગતી ચકાસણી અને સલાહ આપતા હોય છે. અહી ખાસ જણાવી દઉં કે ત્યાં ના તબીબો પ્રત્યે મને ખાસ માં છે. કારણ ખૂબ જ સરળ છે. તેઓ એક દર્દીને સામાન્ય રીતે કલાક જેવો સમય આપે છે. આપના અમદાવાદ માં દરેક તબીબ જાણે હરીફાઈ કરતા હોય છે કે કલાક માં કેટલા દર્દી તપાસ્યા અને કેટલા રૂપિયા આવ્યા. 

ઘરે ૨-૩ મહિનાની રજા લીધેલ હોવાના કારણે મારે કરવાના કામોની યાદી બનાવી. આવીને સૌપ્રથમ ભાડાન મકાન છોડી અમે અમારા પોતાના ફ્લેટમાં રહેવા જતા રહ્યા. એકજ અઠવાડિયામાં કલરકામ પૂરું કરાવ્યું બીજા નાના મોટા કામો કર્યા. મકાન બદલ્યા પછી સહુથી અઘરું કામ સરનામાં બદલવાનું. બેંક, ટપાલ, ગાડી ચલાવનું લાઈસંસ, પાસપોર્ટ વગેરેમાં. આમાં સહુથી અઘરું અને ના ગમતું કામ એ છે કે જયારે આપને પૈસા ખવડાવા પડે. લાંચ અને રિશ્વત આપના સમાજમાં જાણે દરેક ખૂણામાં છે. જો આપની સરકાર દરેક પોલીસ કચેરીમાં એક પાટિયું મારી દે કે "અહી લાંચ રિશ્વત લેવામાં આવતી નથી. જો આપવામાં આવશે તો ફોજદારી ગુનો બનશે. ફરિયાદ માટે ફલાણા નંબર પર ફોને કરી આપની ફરિયાદ નોંધાવો.

મારા પાસપોર્ટમાં સરનામું બદલવા આપેલ. જેની પોલીસ તરફ થી ચકાસણી માટે મને નજીકના પોલીસ ચોકીમાં બોલવામાં આવ્યું. બધી કાર્યવાહી પત્યા પછી મારી પાસે "ચા પાણી" ના પૈસા ૫૦૦ રૂપિયા માંગ્યા. મને ૫૦૦ રુપયા આપવાનો ખેદ નથી પણ હું આપના સમાજના એક દુષણનો ભાગ બન્યો એનું દૂખ છે. એ પણ આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના દેશમાં - સાબરમતીમાં. આ પૈસા ખુલ્લા આત્મવિશ્વાસથી માંગવામાં આવે છે. આવું જ મારા ગાડી ચલાવનું લાઈસંસમાં સરનામું બદલવા માટે બન્યું, અને હવે આવું જ રાશન કાર્ડ માટે બને છે.

અમુક લોકોનું એવું કહેવું છે કે સરકારી પગાર ધોરણ બહુજ નીચા છે. શું ખરેખર નીચા છે? કે પછી આપની જરૂરિયાતો ખૂબજ વધી ગયી છે? કે પછી સરકાર બધા સરકારી નોકરોને આમ બાકીના પૈસા કમાવાની તક આપે છે. પગાર વધારા ની માંગણી નથી કરી શકાતી? આટલી બધે હડતાલો અને આંદોલનો થાય છે. મારી નજરમાં તો સરકારી નોકરી એટલે દુનિયાની સૌથી મોટી પેઢી માં નૌકરી કરવાની તક. અહી લોકો ૨૦ - ૩૦ વરસ નૌકરી કરે છે અને પછી સરકાર તેમને બાકી ની ઝીંદગી મફત પૈસા આપે છે. ઘણી વખતે તો તેમના વારસદારોને પણ નૌકરી મળી જાય છે.

આજે આપને અને આપની સરકારે ભ્રષ્ટાચાર સામે સીધા, સરળ, લોકોને સમજાય એવા પગલા લેવાની જરૂરત છે. લાંચ વિરોધી છટકું શા માટે ગોઠવવું પડે? તે વગર કઈના થાય? એવું જે સામાન્ય નાગરિક સામાન્ય રીતે કરી શકે.

હવે થોડા જ દિવસો રહ્યા છે. ૨૦મે મે ના મારે ઓક્ષ્ફોર્ડ જવાનું છે. ત્યાં એક અઠવાડિયા માટે અમારી કાર્યશિબિર છે. ત્યાંજ મને કહેવામાં આવશે કે હવે મારે કયા દેશમાં જવાનું છે અને કઈ આફતમાં કામ કરવાનું છે.

Sunday, April 24, 2011

દિવાળી - ત્યારે અને અત્યારે

દિવાળી?
હા, દિવાળી. હું આપણા તહેવાર દિવાળી વિષે વાત કરવા માંગું છું.

જ્યારથી મેં શ્રીમતીજીને મારી પાછા જવાની ટિકટ બૂક કરવાની વાત કરી છે ત્યારથી જ શ્રીમતીજીએ સવાલો પૂછવા નો દૌર શરુ કર્યો છે.

પાછા ક્યારે આવશો?
હજુ કેટલા વરસ બારે નૌકરી કરવાની બાકી છે?
છેલ્લા ૫ વરસ થી દિવાળી ઘરે નથી કરી. આ વર્ષે શું પ્લાન છે?
૩ મહિના પછી તો એક વખત આવશો ને કે પછી આ વખતે પણ ૬ મહિના?
છોકરાઓની યાદ તમનેના આવે તો કઈ નહિ પણ છોકરા યાદ કરે છે તેનું શું?
વગેરે વગેરે.

આ સવાલો પછી હું વિચારતો હતો કે હું નાનો હતો ત્યારે દિવાળી કેવી હતી અને આજે શું છે !!!

દિવાળી ની શુભ કામનાઓ ને જ લઇ લો. પહેલા શુભ કામનાઓ ના પત્રો અને કાર્ડ આવતા હતા. ઢગલા બંધ ટપાળો. આજે તો ભાગ્યે જ આવે અને આવી જાય તો ઘણા લોકો ને નવાઇ પણ લાગે છે. આજે SMS અને e-mail આવે છે. આમાં પણ અલગ અલગ પ્રકાર ના લોકો છે.

જત્થાબંધ : એ લોકો જે ફોન બૂક ના બધા ને એક સાથે SMS મોકલે છે. એમાં મોટા ભાગ ના એવા લોકો હોય છે જેમની ૫૦ પૈસામાં SMS નું પ્લાન હોય છે.
કલાપ્રેમી : આ પ્રકાર ના લોકો "દિવાળી ની શુભકામનાઓ" કે "નવા વર્ષ ની શુભકામનાઓ" માત્ર ના SMSથી નથી ચાલતું. આ પ્રકાર ના લોકો દીવો, ફટાકડા, શુભકામનાઓનું અદભૂત કે અઘરું લખાણ, ફોટા અને કશુક કલાત્મક SMS મોકલે છે. થોડા ઘણા આવા કલાત્મક SMS બનાવે છે અને મોકલે છે અને બાકીના એને ફોરવર્ડ કરે છે.
ફક્ત પ્રતિઉત્તર : આમાં એવા પ્રકારના લોકો હોય છે જે પોતે કદી SMS નથી મોકલતા પણ આવેલા SMS નું ફક્ત ઉત્તર / જવાબ આપે છે. અંગ્રેજી માં જેને "Reply Only " કહી શકાય. 
હું પણ આ પ્રકારના લોકોમાંનો એક છું :)
ભયાનક : "દિવાળીની શુભકામનાઓ. શું તમે આ વર્ષનો આવક વેરો ભર્યો છે? જો ના ભર્યું હોય તો ૩૧ મી તારીખ પહેલા ભરી દો......." હા, આવા અથવા આવા પ્રકાર ના SMS પણ આવે છે.

આ સિવાય પણ દિવાળી આપણા જેવા લોકો માટે બદલી ગઈ છે.

ત્યારે : વરસ માં એક વખત બાળકો ના નવા કપડા આવતા.
અત્યારે : હવે તો દર અઠવાડીયે "Mall"માં જઈને દિવાળી મનાવીયે છીએ.

ત્યારે : સુતરબોમ્બ, હાજર ફટાકડાવાડી લડી, રોકેટ બોમ્બ વગેરે
અત્યારે : આનર, ફુલઝડી, ચક્રી વગેરે

ત્યારે : રૂ ની દિવેટ, માટી નું તેલ, દીવા
અત્યારે : વેક્ષવાળા તૈયાર દીવા બજારથી ખરીદી લાવીએ છીએ.

ત્યારે : ઘીવારા લાડુ અને બરફી ખાવાનાં દિવસો
અત્યારે : સુગર-ફ્રી મીઠાઈ અને ચોકલેટ ખાવી પડે છે.

ત્યારે : પ્રશ્ન - આ વર્ષે ઘરાકની શું ભેટ મોકલું?
અત્યારે : ઉત્તર - અમારી પેઢી / કમ્પનીમાં ભેટ-સોગાદો લેવાની મનાઈ છે.

હું દિવાળીના ત્યારના કે અત્યારના દિવસો પ્રત્યે ઉદાસીન નથી - સિવાય કે ત્યારની મીઠાઈઓ અને ફરસાણ - ખાસ કરી ને ગુંજયા જે આજે પણ એવા નથી બનતા. આજે આડોશી પાડોશી બજારથી લાવેલી મીઠાઈના ડબ્બા એક બીજાને આપે છે.

ગમે તે હોય, "અત્યારે" વધુ અગત્ય નું છે "ત્યારે" કરતા. પણ હા, દિવાળી તો હજુ પણ છે અને આપણ ને ઉત્સાહ પણ એટલું જ કાયમ છે. અને હા, "છે" અને "નથી" વચ્ચેનો ભેદ તો રહેશે.

એટલે, આવતી દિવાળી સુધી આપ સૌને શુભેચ્છાઓ.

Friday, April 22, 2011

૨૫૦ રૂપિયા ની એક CD

મારી દીકરીની નિશાળમાંથી મને જણાવવામાં આવ્યું કે ૨૫૦ રૂપિયામાં નિશાળ એક CD આપશે જેમાં ગત વર્ષના ફોટા છે. હા, ૨૫૦ રૂપિયા માં એક CD. આજ ના આધુનિક digital દુનિયા માં એક CD ના ૨૫૦ રૂપિયા? બસો ને પચાસ રૂપિયા?

આજે ૨૫૦ રૂપિયાની કોઈ કીમત નથી? અથવા તો પછી આ મોંઘવારીમાં એક CDની કીમત ૨૫૦ રૂપિયા? જો નિશાળ માં ૧૦૦ છોકરાઓ પણ ભણતા હોય તો ૨૫૦૦૦ રૂપિયા થાય. આજે દરેક ને ખબર છે કે બજારમાં એક CDની કીમત માત્ર ૨ થી ૨૦ રૂપિયા વચ્ચે છે. આજે દરેક વાલી પોતાના છોકરાઓ ના ફોટા માટે ૨૦૦ થી ૫૦૦ રૂપિયા ફાટક દઈ ને આપે દેશે. આ ભાવના લગભગ દરેક નિશાળ ના અધિકારીઓ ને ખબર છે. બસ આ જ ભાવના ને આજે દરેક નિશાળ વસૂલ કરે છે.

અમદાવાદમાં આજે દરેક ખૂણામાં એક નિશાળ ખૂલી ગયી છે. એડમીશન ફી, ટુશન ફી, ફોર્મ ફી, સમર કેમ્પ ફી, નાસ્તા ફી, વાહન ફી, યુનીફોર્મ ફી, ચોપડા ફી, વગેરે વગેરે... આજે ૨ વર્ષ ના એક બાળક ને સામાન્ય બાલમંદિરમાં એક વર્ષ ભણાવા માટે વાલીઓ પાસે થી અંદાજે ૧૫ - ૨૦ હજાર રૂપિયા સુધી લેવામાં આવે છે.

જયારે મેં મારી દીકરી નું દફતર જોયું તો ખૂબ જ આશ્ચર્ય થયું. એ દફતરમાં મેં મારી દીકરી ને બેસાડી દીધે. એ તો આવી ગઈ દફતરમાં અને હજુ થોડે જગ્યા વધે હતી. હા હા હા ..... ખરેખર .. હું મજાક નથી કરતો.. આવતા વર્ષે પણ એ આ દફતરમાં આવી જશે. અને એના બૂટની કીમત ૧૧૦૦ રૂપિયા.

ખરેખર, આ પણ એક ખૂબ સરસ ધંધો છે જેમાં કમાણી પુષ્કળ છે અને ઘરાકી પણ ઓછી નથી......

આપ સહુના અનુભવો અને પ્રતિભાવોને આમંત્રણ છે.......