Googleમાં સવારે વહેલા ઉઠવાના કારણ શોધવાથી ૧,૫૦૦,૦૦૦ કારણો મળશે. Amazone પાસે આ વિષે ૬૬૯૯ ચોપડીઓ છે. અનેક વ્યક્તિત્વ વિકાસ વિષે લખવા વાળા લેખકોએ અને ગુરુઓએ સવારે વહેલા ઉઠવાના ફાયદાઓ વિષે અનેકગણી ચોપડીઓ અને લેખો લખ્યા છે. થોડા સમય પહલા જ મેં આ બધા કારણોની યાદી બનવાનો પ્રયત્ન કર્યો ત્યારે યાદીમાં ૧૦,૦૦૦ થી વધુ કારણો થઇ ગયા. ત્યારે મને થયું કે કદાચ ખરેખર જરૂરી છે સવારે વહેલા ઉઠવું.
એક ચોખવટ કરી દઉં કે મને સવારે વહેલા ઉઠવામાં કોઈ જ રસ નથી. સામાન્ય રીતે મારે ઓફીસ સવારે ૭ થી ૭.૩૦ ની વચ્ચે પહોચી જવું પડે છે પણ જયારે ઘરે રજા હોય ત્યારે નીંદર ખુલે ત્યારે ઊઠવાનું ગમે. કોઈ જાતની અલર્મ ના જોઈએ કે ના જોઈએ સવારે વહેલા ઉઠવાનો વિચાર. શા માટે મારે સવારે વહેલા ઉઠવું અને મારે શું સાબિત કરવું છે?
તેથી, આ મારા નીચે મુજબ ના કારણો છે કે શા માટે મારે મોડે સુધી સુઈ રહેવું અને ખરાબ ના લગાડવું જયારે સવારે વહેલા ઉઠવાના કારણો સભર વ્યાખ્યાન, લેખો અને વ્યક્તિઓ વહેલા ઉઠવાના વખાણ કરતા હોય છે.
શા માટે મોડે સુધી સુતા રહેવું?
૧. સવારે વહેલા ઉઠવું એ પ્રાક્રતીક અથવા કુદરતી નથી. આ કદાચ ઘણા વર્ષો પહેલા જયારે સૂર્ય-પ્રકાશ જ એક માત્ર પ્રકાશનો સ્ત્રોત હતો અને એ સમયે જ તમે ઘણા ખરા કર્યો કરી શકતા હતા. તેથી સવારે વહેલા ઉઠવાની જરૂર દિવસના પ્રકાશ દરમ્યાન કર્યો પૂરા કરવાની જરૂરિયાત ના કરને હતી. આવી જરૂરિયાત આજે નથી - જ્યાં વીજળી હોય છે. (જો તમે આ વાંચો છો તો તમારે ત્યાં વીજળી છે.)
૨. એ ખોટી વાત છે કે જો તમે સવારે વહેલા ઉઠો તો સમયની બચત થાય છે. દિવસના ૨૪ કલાક હોય છે અને તમે ૬ થી ૮ કલાક સુતા હો તો તમારી પાસે ૧૬ થી ૧૮ કલાક બચે જે એ બધા કર્યો કરવા માટે - આ બાબત ને તમે ક્યારે સુવો છો અને ક્યારે ઉઠો છો સાથે કોઈ જ નિસ્બત નથી.
૩. જો તમે સવારે વહેલા ઉઠો તો તમને રાત્રે વહેલા સુવાની જરૂર પડશે. જો વહેલા સુઈ જશો તો તમે એ તમામ રોમાંચી અને રસપ્રદ વસ્તુઓ જે મોડે રાત્રી સુધી થતી હોય છે. સામાન્ય રીતે લોકો રાત્રે ૮ વાગ્યા સુધી દિનચર્યાથી નવરા થતા હોય છે અને તરત જ સુવા જતા રહે છે. એ લોકો પાસે પોતાના માટે ફક્ત ૧ અથવા ૨ કલાક જ હોય છે. અને આ સમય દરમ્યાન ખરેખર કશું રસપ્રદ અને અર્થપૂર્ણ કરવું શક્ય નથી. પણ જો તમારી પાસે રાત્રે ૯ વાગ્યા પછી ૩ -૪ કલાક નો સમય હોય તો કશું સારી રીતે કરી શકો. જેમકે ચોપડી વાંચવી, ફિલ્લમ જોવી, કાર્ય કરવું, કે પછી મિત્રો અથવા પરિવાર સાથે ફક્ત વાતો કરવી.
૪. મોડે સુધી કાર્ય કરવું અને પછી ઘસઘસાટ નીંદર કરવી એ એક આલ્હાદક લાગણી છે. એક દમ સારી નીંદર અને શાંત નીંદર.
૫. રાત્રે ૩ - ૪ વાગે બારી ખોલીને બહારની ઝડપની ઝીંદગી જુવો. આખું શહેર ઝાંખી પીડા પ્રકાશમાં નહાઈ રહ્યું છે - તમામ લોકો નિંદ્રાધીન છે. પેલો ઘોંઘાટયો પાડોશી પણ. આવા સમય માં હું કોઈ પણ અનુભવ ગુમાવીશ નહિ.
૬. ઘણી વખત મેં મોડે રાત્રીના સમયે સારું ભોજન માણ્યું છે જેમ કે અમદાવાદ ની મોડે રાત્રીએ ખાઉગલી અથવા માણેક ચોક. કોલેજ ના સમયમાં મોડે રાત્રેએ બહાર જઈને કરેલો નાસ્તો. રાતના મોડે સુધે વાંચ્યા પછી અમને ખુબજ ભૂખ લગતી અને રાતના ૨ -૩ વાગે અમે કશું ખાવાનું બનાવતા અથવા ક્યાંક નાસ્તો કરવા જતા. જો કોલેજના સમય દરમ્યાન તમે રાતના ૩ વાગે નાસ્તો ના કર્યો હોય તો તમે ખરેખર એ આલ્હાદક અનુભવ ગુમાવ્યો છે.
૭. મોડે રાત્રે ચાલવા જવાનો પણ એક જુદો અને અનોખો અનુભવ છે. જે ભાગદોડ ભરેલ ઝીંદગી અને ગીચતા વચ્ચે અઘરું છે. રાત્રે ૧૧ વાગ્યા પછી કલાક ચાલવા જવાનો અનુભવ ખરેખર સરસ હોય છે. તદ્દન શાંત વાતાવરણમાં ચાલવા જવાથી ઘણા સારા વિચારો આવે છે.
૮. હું તન્મયતાથી ખરેખર કશું સારું કાર્ય મોડે રાત્રેજ કરી શકું છું - કોઈ જ પ્રકારની ખલેલ કે કોઈ પ્રકારનો આવાજ નથી હોતો. મને ખબર હોય છે કે અત્યાર અને સુવા વચ્ચે ફક્ત એક જ વસ્તુ છે અને તે છે જે કાર્ય હું કરું છું. એક અદ્ભુત લાગણી છે.
૯. જયારે તમે મોડા સુવો છો અને મોડા ઉઠો છો ત્યારે તમે અણગમતા કર્યો ખરેખર સારી કાર્યશીલતાથી કરી શકો છો. જે સામાન્ય રીતે આળસથી અને રોજીંદા કાર્ય ની જેમ વિચારીને કરો છો. તમને ખબર પડશે કે તમે કેમ ઓછા સમયમાં એ બધા કર્યો ફટાફટ પતાવી દીધા છે અને તે પણ તે વિષે વધુ વિચાર કાર્ય વગર. જેમ કે સવારે તૈયાર થવું અને કામે જવું.
૧૦. જયારે તમે મોડે સુધે કોઈ કામમાં રચ્યા પચ્યા રહો છો અને એ કાર્ય પૂરું કરી દો છો ત્યારે તમને કશુક સારી રીતે પૂરું કાર્યની લાગણી થાય છે. આવી સંતોષ ની લાગણી સાથે જયારે સુવા જાઓ છો અને આંખો બંદ કરો છો એ લાગણી ની કોઈજ તુલના ના થઇ સકે.
આથી, સવારે કેટલા વાગે ઉઠીશું ના વિચારને પડતો મૂકી દો. સવારે વહેલા ઉઠવું ઘણા લોકો માટે સારું છે અને તે લોકો કરી શકે છે પણ એ બધા માટે નથી. કેટલા કલાક તમે આરામથી સારી રીતે સુઈ શકો છો એ મહત્વનું છે અને પોતાના પાસે જાણવા જેવું છે. થોડા દિવસો વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો, અને થોડા દિવસ મોડે સુધે જાગવાનો. કેવું અનુભવ થાય છે? અને પછી એવું જ કરો કે જે નીંદર પછી તમે સારી નીંદરની લાગણી ત્યાં, તમે દિવસ દરમ્યાન કશું સ્વસ્થ મન થી કાર્ય કરી શકો અને તમને કુદરતી જીવનચર્યાની લાગણી થાય.
આ બધા કારણો ફક્ત જરૂરિયાત મુજબની નીંદર માટે છે. આળસ કે વધુ નીંદર માટે નહિ.