Tuesday, September 13, 2022

મન

યાદ મને એ કરશે જ્યારે ખુદ મુશ્કેલ માં પડશે,
હાથ ના કર્યા હૈયે લાગે તોય દોષ બીજા નો ધરશે,

ચંદન ટિલા ટપકા, માળા જપ અને તપ,
લાખો રૂપિયા મંદિર માં ધરી મને લાંચ આપવા નું કરશે

ખોટા આંસુ, સ્મશાન વૈરાગ્ય અને ઠાલા એના વાયદા
ઘેર જઈ ને આ મનુષ્ય જે કરતો હોય એ કરશે ..

ઠાવકુ મો અને અસ્ખલિત અમી વાણી, ઉપદેશો ની વણઝાર
ખુદ પર અમલ કરવું હોય ત્યારે હજાર ત્રાગા કરશે .

-----' મન " મનીષ મહેતા

1 comment: